અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં લોકડાઉન પછી હિજરત કરી રહેલા પરપ્રાંતિય શ્રમિકોને આશરો આપવા માટે બે શેલ્ટર હોમ સ્થાપવામાં આવ્યા છે. જેમાં સર્વોદય નગર ખાતેના સ્પોર્ટસ સેન્ટરમાં સ્થાપવામાં આવેલા શેલ્ટર હોમમાં, એક શ્રમિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આસપાસના રહીશોમાં ભયની લાગણી ફેલાઈ છે. જેમાંથી કેટલાક લોકોએ ઉશકેરાઇ શેલ્ટર હોમ પર પથ્થમારો કર્યો હતો.
શેલ્ટર હોમની આસપાસ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ, આ સ્થળેથી લોકોને દૂર કરવાની માગ કરી હતી. જો કે, મામલાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ટોળાને વિખર્યુ હતુ, ત્યારબાદ પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આશ્રય મેળવી રહેલા શ્રમિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં લોકોએ શેલ્ટર હોમ પર પથ્થરમારો કર્યો
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં હિજરત કરી રહેલા એક શ્રમિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આસ-પાસના રહીશોમાં ભયની લાગણી ફેલાઈ છે. જેનાથી કેટલાક લોકોએ ઉશ્કેરાઈ જઈને શેલ્ટર હોમ પર પથ્થમારો કર્યો હતો.
અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં લોકડાઉન પછી હિજરત કરી રહેલા પરપ્રાંતિય શ્રમિકોને આશરો આપવા માટે બે શેલ્ટર હોમ સ્થાપવામાં આવ્યા છે. જેમાં સર્વોદય નગર ખાતેના સ્પોર્ટસ સેન્ટરમાં સ્થાપવામાં આવેલા શેલ્ટર હોમમાં, એક શ્રમિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આસપાસના રહીશોમાં ભયની લાગણી ફેલાઈ છે. જેમાંથી કેટલાક લોકોએ ઉશકેરાઇ શેલ્ટર હોમ પર પથ્થમારો કર્યો હતો.
શેલ્ટર હોમની આસપાસ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ, આ સ્થળેથી લોકોને દૂર કરવાની માગ કરી હતી. જો કે, મામલાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ટોળાને વિખર્યુ હતુ, ત્યારબાદ પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.