સેશન કોર્ટ દ્વારા આરોપીઓના મંગળવારએ ત્રણ વગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર પોલીસ તપાસ દરમિયાન એક આરોપીએ મૃતક સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું કબલ્યું હતું. ઉલ્લખનીય છે કે, ડી.જી.પી શિવાનંદ ઝાએ એન.કે. રબારીને સસ્પેન્ડ કરી પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સિનિયર અધિકારીઓની સીટની રચના કરવામાં આવી છે. અપમૃત્યુ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી છે. રવિવારે અરવલ્લી જિલ્લા પોલીસ કચેરીએ CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DYSP અશ્વિન પટેલ સહિતની ટીમ પહોંચી હતી.
પ્રથમ દિવસે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાની સાથે CID ક્રાઇમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી વડલાના ઝાડથી મૃતદેહ જગ્યા સુધી ઊંચાઈ મપાઈ આજુ-બાજુ વિસ્તારમાં સર્ચ કર્યું હતું. ઘટના સ્થળની મુલાકાત પછી CID ક્રાઇમની ટીમે પીડિતાના પરિવાર સાથે બેઠક કરી હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. પીડિતાના મોત મામલે રહસ્ય ઉકેલવા CID ક્રાઇમની તપાસ તેજ કરી દીધી છે.