ETV Bharat / state

અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી પૂર્ણ - અરવલ્લીના તાજા સમાચાર

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આ સાથે જ જિલ્લામાં મગફળીના 62 કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવાઈ છે.

ETV BHARAT
અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી પૂર્ણ
author img

By

Published : Feb 1, 2020, 4:49 PM IST

અરવલ્લી: રાજ્ય સરકારે ટેકાના ભાવે શરૂ કરેલ મગફળી ખરીદીની મુદ્દત પૂર્ણ થઇ છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે કુલ 1,77,545 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેના અંદાજે 75 કરોડ પૈકી 62 કરોડ જેટલી ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે.

અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી પૂર્ણ

અરવલ્લી જિલ્લામાં કુલ 9,885 સામે 8,274 ખેડૂતોને મગફળીનું વળતર ચુકવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના 6 તાલુકામાં મગફળી ખરીદી કરાઈ હતી.

ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં 14,500 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં અંદાજે 55 હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અરવલ્લી: રાજ્ય સરકારે ટેકાના ભાવે શરૂ કરેલ મગફળી ખરીદીની મુદ્દત પૂર્ણ થઇ છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે કુલ 1,77,545 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેના અંદાજે 75 કરોડ પૈકી 62 કરોડ જેટલી ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે.

અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી પૂર્ણ

અરવલ્લી જિલ્લામાં કુલ 9,885 સામે 8,274 ખેડૂતોને મગફળીનું વળતર ચુકવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના 6 તાલુકામાં મગફળી ખરીદી કરાઈ હતી.

ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં 14,500 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં અંદાજે 55 હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Intro:અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા ની કામગીરી પૂર્ણ


રાજ્ય સરકારે ટેકાના ભાવે શરૂ કરેલ મગફળીની ખરીદી મુદત પૂર્ણ થઇ ગઇ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે કુલ એક લાખ સીતોત્તેર હજાર પાંચસો પિસ્તાળીસ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે જેના ખેડૂતોને અંદાજે ૭૫ કરોડ પૈકી 62 કરોડ રૂપિયા જેટલી ચૂંકવણી કરી દેવાઈ છે.


Body:અરવલ્લી જિલ્લામાં કુલ 9885 સામે 8274 ખેડૂતોને નાણાંની ચુકવણી કરવામાં આવી છે . મહત્વનું છે કે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી જેને લઇને અરવલ્લી જીલ્લાના છ તાલુકાઓમાં મગફળીની ખરીદી કરવામાં આવી હતી.




Conclusion:ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં 14500 જેટલા ખેડૂતોએ રેજીસ્ટ્રેશન કરાવ્યું હતું . અરવલ્લી જિલ્લામાં અંદાજે ૫૫ હજાર જેટલા હેકટરમાં મગફળીનું વાવેતર થતા મોટી સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી હતી.

બાઈટ જે.એન.કટારા , મામલતદાર , પુરવઠા વિભાગ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.