ETV Bharat / state

લીંબ ગામમાં દલિત સમાજની દીકરીની જાન પર પથ્થરમારાની ઘટના, 9 લોકો સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ

21મી સદીમાં પણ ગુજરાતમાં જાતિવાદ યથાવત છે. જેનું દ્રષ્ટાંત સામે આવ્યું છે, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામેથી. જ્યાં અનુસુચિતજાતિ સમાજના યુવકની જાનમાં કેટલાક યુવકોએ માથે સાફો બાંધ્યો હતો. આ મામલે કેટલાક અસામાજીક તત્વોએ જાન પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જે બાદ આ મામલે આંબલીયારા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે 9 લોકો અને ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Feb 24, 2021, 8:54 PM IST

Updated : Feb 25, 2021, 8:51 AM IST

Dalit Atrocities Incident in Gujarat
Dalit Atrocities Incident in Gujarat
  • કેટલાક અસામાજીક તત્વોએ જાન પર કર્યો હતો પથ્થરમારો
  • આંબલીયારા પોલીસ મથકમાં યુવતીના ભાઈએ નોંધાવી ફરિયાદ
  • લીંબ ગામમાં જાન પર પથ્થરમારાની ઘટનામાં 9 લોકો અને ટોળા સામે ફરિયાદ નોંધાઇ

અરવલ્લી : જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામે અનુસુચિતજાતિ સમાજના યુવકની જાનમાં કેટલાક યુવકોએ માથે સાફો બાંધ્યો હતો. આ મામલે કેટલાક અસામાજીક તત્વોએ જાન પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. અચાનક થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે જાનૈયાઓ ગભરાઇ ગયા હતા અને દોડાદોડી કરી મૂકી હતી. આ મામલે આંબલીયારા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે 9 લોકો અને ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ તૈનાત કરી દીધી હતી.

અરવલ્લીમાં છેલ્લા કેટલાક સમયથી અનુસુચિતજાતિના લોકોના લગ્ન પ્રસંગે વરઘોડા પર હુમલા થઇ રહ્યા છે. તાજેતરમાં જિલ્લાના નાંદીસણ ગામે યુવતીના લગ્નમાં તેના ભાઈએ સાફો બાંધ્યો હતો, તે મામલે વરઘોડો અટકાવતા યુવતીએ ચાલતા ઘરે પરત ફરવું પડ્યું હતું, ત્યારે મંગળવારે જિલ્લાના બાયડના લીંબ ગામે મણીલાલ બાલાભાઈ પરમારની દીકરીના લગ્ન હોવાથી કપડવંજના તેલનારા ગામેથી યુવક જાન લઈ આવ્યો હતો. જાનમાં આવેલા યુવકો માથે સાફો બાંધી ગામના બસ સ્ટેન્ડ નજીક રાસ ગરબા રમતાં હતાં. ત્યારે અચાનક તેમના પર પથ્થરમારો શરૂ થતા ભારે નાસભાગ મચી હતી. જેમાં યુવતીના પરિવાજનોને માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચીને સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ પોલીસની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બાયડના આંબલરીયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબુમાં છે.

આંબલરીયા પોલીસે લીંબ ગામના હર્ષવર્ધન લવજીભાઈ પરમારની ફરિયાદના આધારે સંજયસિંહ બેચરસિંહ ચૌહાણ, શૈલેશસિંહ દેવુસિંહ ચૌહાણ, હિતેશ સિંહ બકુસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ધુળસિંહ ચૌહાણ, સંજયસિંહ ઝિંદુસિંહ ચૌહાણ, યુવરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ઈંદ્રરાજસિંહ બહેચરસિંહ ચૌહાણ, વિજયસીંહ ભારતસિંહ ચૌહાણ, માનસિંહ અદેસિંહ ચૌહાણ અને ટોળા વિરુદ્ધ એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીંબ ગામે જાન પર થયેલા હુમલાની તપાસ SC ST સેલના DYSP વિશાલ રબારીને સોંપતા જાન પર હુમલો કરનારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

8 લોકો સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ

અનુસુચિત જાતિના લોકો સાથે થયેલા અત્યાચારોની અન્ય ઘટના

નાંદીસણ ગામમાં જાતિવાદની ઘટના, પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી

અરવલ્લી જિલ્લામાં વધુ એક વાર જાતિવાદની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના નાંદીસણ ગામમાં યુવતીના લગ્ન પ્રસંગે તેના ભાઈએ સાફો પહેર્યો હતો, જેના સામે ગામના મહિલા સરપંચના પતિ અને તેના પુત્રએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વરઘોડો અટકાવતા મામલો તંગ બન્યો હતો. જોકે, સમયસર મોડાસા રૂરલ પોલીસ પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો.

દલિત અત્યાચાર મામલો: દલિત આગેવાનો દ્વારા DYSP ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરવા CMને કરાઇ રજૂઆત

ગાંધીનગર: મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન DYSP ફાલ્ગુની પટેલ મગજ પરનું કાબૂ ગુમાવતા મન ફાવે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. જેને લઇને સમગ્ર મામલે દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને ચીફ સેક્રેટરી સુધી D.Y.S.P ફાલ્ગુની પટેલ સામે FIR દાખલ કરવા માટે રજૂઆત કરી હતી. તો આ સાથે જ આ આયોજન પુર્ણ કાવતરૂ ઘડ્યું હોવાની આશંકાએ SRT રચના કરવાની પણ માંગ કરી હતી.

સાવરકંડુલાના થોરડીમાં દલિત દંપતી પર અત્યાચાર

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં દલિત દંપતીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જમીન પચાવી પાડવા કાવતરું રચવા 8 જેટલા ઈસમોએ વાડી વિસ્તારમાં બોલાવી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાલનપુરના સરીપડા ગામે દલિત વરરાજા ઘોડે ચઢતાં પથ્થરમારો થયો, 3 ઘાયલ

પાલનપુરના સરીપડા ગામે દલિત આર્મીમેનને ઘોડે ચઢવાનુ ભારે પડ્યું હતું.ગામના ઠાકોર સમાજના લોકોએ વરરાજાની ઘોડેસવારીનો વિરોધ જતાવતાં જાન પર પથ્થરમારો કર્યો હતો. જેને પગલે મામલો ગરમાયો હતો. જોકે બાદમાં દલિત સમાજના જાનૈયાઓની જાન પોલીસ પ્રોટકશન સાથે માંડવે પહોંચી હતી. દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયેલાં એક વૃદ્ધ સહિત બે જણને સારવાર માટે ખસેડાયાં હતાં.


21મી સદીમાં શિક્ષકને લાગે છે આભડછેટ, વીડિયો વાયરલ

રાજકોટઃ 21મી સદીમાં પણ ગુજરાતમાં જાતિવાદ યથાવત છે. જેનું દ્રષ્ટાંત સામે આવ્યું છે, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા સંચાલિત રાજમોતી શાળામાં દલિત બાળાઓ સાથે શિક્ષકો જ્ઞાતિ ભેદ રાખે છે. આ સમગ્ર બાબતને ઉજાગર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતુ થયું હતું. આ બાબતે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપલેટા દોડી આવ્યાં હતાં. તેઓ સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાં જાતિવાદ જોવા મળી રહ્યો છે.

ખંભીસર દલિત વરઘોડા મામલે ખંભીસર પંચાયતના સરપંચ સસ્પેન્ડ

ખંભીસર ગામે દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો નિકળવાનો હતો, પરંતું વરઘોડો જે માર્ગો પર નિકળવાનો હતો તે માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહિલાઓ દ્વારા રસ્તાઓ પર ભજન કિર્તનના કાર્યક્રમો કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કરાણે સમગ્ર મામલો બીચકાયો હતો. આ સમયે જૂથ અથડામણ પણ થઇ હતી. જેમાં મોડાસા રૂરલ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠાના પ્રાંતિજમાં 35 લોકો સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ

સાબરકાંઠાઃ પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે ચાર દિવસ પહેલા જાનૈયાઓ દ્વારા ડીજે વગાડવાના મુદ્દે સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો. જેના પગલે ગ્રામજનો તેમજ આવેલા જાનૈયાઓને વિરોધાભાસ થવાને પગલે ચાર દિવસ બાદ દીકરીના પિતાએ એક સાથે 35 લોકો પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

અનુ.જાતિના વરઘોડા વખતે અથડામણ સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગત રવિવારના રોજ અનુસૂચિત જાતિના વરઘોડા વખતે જૂથ અથડામણ થઇ હતી. આ અંગે પોલીસે 150ના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. જેમાં ઇ.પી.કો ની અન્ય કલમો સાથે એટ્રોસીટીની કલમ પણ દાખલ કરવામાં આવી છે.

  • કેટલાક અસામાજીક તત્વોએ જાન પર કર્યો હતો પથ્થરમારો
  • આંબલીયારા પોલીસ મથકમાં યુવતીના ભાઈએ નોંધાવી ફરિયાદ
  • લીંબ ગામમાં જાન પર પથ્થરમારાની ઘટનામાં 9 લોકો અને ટોળા સામે ફરિયાદ નોંધાઇ

અરવલ્લી : જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામે અનુસુચિતજાતિ સમાજના યુવકની જાનમાં કેટલાક યુવકોએ માથે સાફો બાંધ્યો હતો. આ મામલે કેટલાક અસામાજીક તત્વોએ જાન પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. અચાનક થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે જાનૈયાઓ ગભરાઇ ગયા હતા અને દોડાદોડી કરી મૂકી હતી. આ મામલે આંબલીયારા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે 9 લોકો અને ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ તૈનાત કરી દીધી હતી.

અરવલ્લીમાં છેલ્લા કેટલાક સમયથી અનુસુચિતજાતિના લોકોના લગ્ન પ્રસંગે વરઘોડા પર હુમલા થઇ રહ્યા છે. તાજેતરમાં જિલ્લાના નાંદીસણ ગામે યુવતીના લગ્નમાં તેના ભાઈએ સાફો બાંધ્યો હતો, તે મામલે વરઘોડો અટકાવતા યુવતીએ ચાલતા ઘરે પરત ફરવું પડ્યું હતું, ત્યારે મંગળવારે જિલ્લાના બાયડના લીંબ ગામે મણીલાલ બાલાભાઈ પરમારની દીકરીના લગ્ન હોવાથી કપડવંજના તેલનારા ગામેથી યુવક જાન લઈ આવ્યો હતો. જાનમાં આવેલા યુવકો માથે સાફો બાંધી ગામના બસ સ્ટેન્ડ નજીક રાસ ગરબા રમતાં હતાં. ત્યારે અચાનક તેમના પર પથ્થરમારો શરૂ થતા ભારે નાસભાગ મચી હતી. જેમાં યુવતીના પરિવાજનોને માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચીને સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ પોલીસની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બાયડના આંબલરીયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબુમાં છે.

આંબલરીયા પોલીસે લીંબ ગામના હર્ષવર્ધન લવજીભાઈ પરમારની ફરિયાદના આધારે સંજયસિંહ બેચરસિંહ ચૌહાણ, શૈલેશસિંહ દેવુસિંહ ચૌહાણ, હિતેશ સિંહ બકુસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ધુળસિંહ ચૌહાણ, સંજયસિંહ ઝિંદુસિંહ ચૌહાણ, યુવરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ઈંદ્રરાજસિંહ બહેચરસિંહ ચૌહાણ, વિજયસીંહ ભારતસિંહ ચૌહાણ, માનસિંહ અદેસિંહ ચૌહાણ અને ટોળા વિરુદ્ધ એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીંબ ગામે જાન પર થયેલા હુમલાની તપાસ SC ST સેલના DYSP વિશાલ રબારીને સોંપતા જાન પર હુમલો કરનારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

8 લોકો સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ

અનુસુચિત જાતિના લોકો સાથે થયેલા અત્યાચારોની અન્ય ઘટના

નાંદીસણ ગામમાં જાતિવાદની ઘટના, પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી

અરવલ્લી જિલ્લામાં વધુ એક વાર જાતિવાદની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના નાંદીસણ ગામમાં યુવતીના લગ્ન પ્રસંગે તેના ભાઈએ સાફો પહેર્યો હતો, જેના સામે ગામના મહિલા સરપંચના પતિ અને તેના પુત્રએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વરઘોડો અટકાવતા મામલો તંગ બન્યો હતો. જોકે, સમયસર મોડાસા રૂરલ પોલીસ પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો.

દલિત અત્યાચાર મામલો: દલિત આગેવાનો દ્વારા DYSP ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરવા CMને કરાઇ રજૂઆત

ગાંધીનગર: મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન DYSP ફાલ્ગુની પટેલ મગજ પરનું કાબૂ ગુમાવતા મન ફાવે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. જેને લઇને સમગ્ર મામલે દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને ચીફ સેક્રેટરી સુધી D.Y.S.P ફાલ્ગુની પટેલ સામે FIR દાખલ કરવા માટે રજૂઆત કરી હતી. તો આ સાથે જ આ આયોજન પુર્ણ કાવતરૂ ઘડ્યું હોવાની આશંકાએ SRT રચના કરવાની પણ માંગ કરી હતી.

સાવરકંડુલાના થોરડીમાં દલિત દંપતી પર અત્યાચાર

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં દલિત દંપતીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જમીન પચાવી પાડવા કાવતરું રચવા 8 જેટલા ઈસમોએ વાડી વિસ્તારમાં બોલાવી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાલનપુરના સરીપડા ગામે દલિત વરરાજા ઘોડે ચઢતાં પથ્થરમારો થયો, 3 ઘાયલ

પાલનપુરના સરીપડા ગામે દલિત આર્મીમેનને ઘોડે ચઢવાનુ ભારે પડ્યું હતું.ગામના ઠાકોર સમાજના લોકોએ વરરાજાની ઘોડેસવારીનો વિરોધ જતાવતાં જાન પર પથ્થરમારો કર્યો હતો. જેને પગલે મામલો ગરમાયો હતો. જોકે બાદમાં દલિત સમાજના જાનૈયાઓની જાન પોલીસ પ્રોટકશન સાથે માંડવે પહોંચી હતી. દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયેલાં એક વૃદ્ધ સહિત બે જણને સારવાર માટે ખસેડાયાં હતાં.


21મી સદીમાં શિક્ષકને લાગે છે આભડછેટ, વીડિયો વાયરલ

રાજકોટઃ 21મી સદીમાં પણ ગુજરાતમાં જાતિવાદ યથાવત છે. જેનું દ્રષ્ટાંત સામે આવ્યું છે, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા સંચાલિત રાજમોતી શાળામાં દલિત બાળાઓ સાથે શિક્ષકો જ્ઞાતિ ભેદ રાખે છે. આ સમગ્ર બાબતને ઉજાગર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતુ થયું હતું. આ બાબતે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપલેટા દોડી આવ્યાં હતાં. તેઓ સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાં જાતિવાદ જોવા મળી રહ્યો છે.

ખંભીસર દલિત વરઘોડા મામલે ખંભીસર પંચાયતના સરપંચ સસ્પેન્ડ

ખંભીસર ગામે દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો નિકળવાનો હતો, પરંતું વરઘોડો જે માર્ગો પર નિકળવાનો હતો તે માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહિલાઓ દ્વારા રસ્તાઓ પર ભજન કિર્તનના કાર્યક્રમો કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કરાણે સમગ્ર મામલો બીચકાયો હતો. આ સમયે જૂથ અથડામણ પણ થઇ હતી. જેમાં મોડાસા રૂરલ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠાના પ્રાંતિજમાં 35 લોકો સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ

સાબરકાંઠાઃ પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે ચાર દિવસ પહેલા જાનૈયાઓ દ્વારા ડીજે વગાડવાના મુદ્દે સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો. જેના પગલે ગ્રામજનો તેમજ આવેલા જાનૈયાઓને વિરોધાભાસ થવાને પગલે ચાર દિવસ બાદ દીકરીના પિતાએ એક સાથે 35 લોકો પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

અનુ.જાતિના વરઘોડા વખતે અથડામણ સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગત રવિવારના રોજ અનુસૂચિત જાતિના વરઘોડા વખતે જૂથ અથડામણ થઇ હતી. આ અંગે પોલીસે 150ના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. જેમાં ઇ.પી.કો ની અન્ય કલમો સાથે એટ્રોસીટીની કલમ પણ દાખલ કરવામાં આવી છે.

Last Updated : Feb 25, 2021, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.