ETV Bharat / state

કપાસના ભાવમાં ૧૫૦ રૂપિયાના કડાકાથી અરવલ્લીના ખેડૂતોમાં નિરાશા

author img

By

Published : Feb 6, 2020, 4:44 PM IST

જિલ્લામાં ૧૫ હજાર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર થયું છે. જેના પગલે જિલ્લાના માર્કેટયાર્ડોમાં ધીમે ધીમે કપાસની આવક શરૂ થઇ છે. એક સપ્તાહ પૂર્વે કપાસનો ભાવ મણે રૂપિયા ૧૦૦૦થી ૧૨૦૦ જેટલો બોલાતો હતો, પરંતુ આ અઠવાડિયામાં કપાસના ભાવ ગગડયા છે. ઓછું થવાનું કારણ ચીનમાં હાહાકાર મચાવનાર વાયરસ છે તેવું જાણકારોનું માનવું છે.

કપાસના ભાવમાં ૧૫૦ રૂપિયાના કડાકાથી અરવલ્લીના ખેડૂતોમાં નિરાશા
કપાસના ભાવમાં ૧૫૦ રૂપિયાના કડાકાથી અરવલ્લીના ખેડૂતોમાં નિરાશા

અરવલ્લી : જિલ્લામાં કપાસનો પાક તૈયાર થઇ જતાં બાયડ, ધનસુરા, મોડાસા ,માલપુર, મેઘરજ અને ભિલોડા માર્કેટયાર્ડમાંમાં ખેડૂતો કપાસ લઈને આવી રહ્યા છે. પ્રારંભિક ચાર દિવસ સુધી ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના પ્રતિ મણ ભાવ રૂપિયા ૧૦૦૦થી 1100 મળતા ખેડૂતોએ મહદ્અંશે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ ચાર દિવસ પછી કપાસના ભાવમાં પ્રતિ રૂપિયા 100થી 150નો કડાકો બોલાયો છે .પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ મોડાસા સહિત તમામ તાલુકા કક્ષાએ અને સબયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવી તેવી માગ કરી છે.

કપાસના ભાવમાં ૧૫૦ રૂપિયાના કડાકાથી અરવલ્લીના ખેડૂતોમાં નિરાશા
ભાવ ઘટાડા અંગે વેપારીઓએ ચીનમાં કોરોના વાયરસનું કારણ બતાવી રહ્યા છે. કપાસમાં ઇયળના ઉપદ્રવથી થતા ખેડૂતોને પાકમાં ૫૦ ટકા નુકસાન થયું છે અને કોરાના વયરસે પડતા પર પાટુ માર્યુ છે. મોંઘા બિયારણ જંતુનાશક દવાઓ અને મજૂરીનો તોતિંગ ખર્ચ કરીને પણ ધરતીનો તાત જ્યારે તેનો મહામૂલો પાક વેચવા આવે છે, ત્યારે એક યા બીજા કારણસર નિરાશ થાય છે.

અરવલ્લી : જિલ્લામાં કપાસનો પાક તૈયાર થઇ જતાં બાયડ, ધનસુરા, મોડાસા ,માલપુર, મેઘરજ અને ભિલોડા માર્કેટયાર્ડમાંમાં ખેડૂતો કપાસ લઈને આવી રહ્યા છે. પ્રારંભિક ચાર દિવસ સુધી ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના પ્રતિ મણ ભાવ રૂપિયા ૧૦૦૦થી 1100 મળતા ખેડૂતોએ મહદ્અંશે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ ચાર દિવસ પછી કપાસના ભાવમાં પ્રતિ રૂપિયા 100થી 150નો કડાકો બોલાયો છે .પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ મોડાસા સહિત તમામ તાલુકા કક્ષાએ અને સબયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવી તેવી માગ કરી છે.

કપાસના ભાવમાં ૧૫૦ રૂપિયાના કડાકાથી અરવલ્લીના ખેડૂતોમાં નિરાશા
ભાવ ઘટાડા અંગે વેપારીઓએ ચીનમાં કોરોના વાયરસનું કારણ બતાવી રહ્યા છે. કપાસમાં ઇયળના ઉપદ્રવથી થતા ખેડૂતોને પાકમાં ૫૦ ટકા નુકસાન થયું છે અને કોરાના વયરસે પડતા પર પાટુ માર્યુ છે. મોંઘા બિયારણ જંતુનાશક દવાઓ અને મજૂરીનો તોતિંગ ખર્ચ કરીને પણ ધરતીનો તાત જ્યારે તેનો મહામૂલો પાક વેચવા આવે છે, ત્યારે એક યા બીજા કારણસર નિરાશ થાય છે.
Intro:કપાસના ભાવ મળી ૧૫૦ રૂપિયાનો ઘટાડો થતા અરવલ્લીના ખેડૂતોમાં નિરાશા

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ૧૫ હજાર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર થયું છે જિલ્લાના માર્કેટયાર્ડોમાં ધીમે ધીમે કપાસની આવક શરૂ થઇ છે એક સપ્તાહ પૂર્વે કપાસનો ભાવ મણે રૃપિયા ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલો બોલતો હતો પરંતુ આ અઠવાડિયામાં કપાસના ભાવ ગગડયા છે ઓછું થવાનું કારણ ચીનમાં હાહાકાર મચાવનાર વાયરસ છે તેવું જાણકારોનું માનવું છે


Body:અરવલ્લી જિલ્લામાં કપાસનો પાક તૈયાર થઇ જતાં બાયડ, ધનસુરા, મોડાસા ,માલપુર, મેઘરજ અને ભિલોડા માર્કેટયાર્ડમાં માં ખેડૂતો કપાસ લઈને આવી રહ્યા છે. પ્રારંભિક ચાર દિવસ સુધી ખેડૂતોને માર્કેટયાર્ડ માં કપાસ ના પ્રતિ મણ ભાવ રૃપિયા ૧૦૦૦ થી 1100 મળતા ખેડૂતોએ મહદ્અંશે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ચાર દિવસ પછી કપાસના ભાવમાં પ્રતિ રૂપિયા 100 થી 150 નો કડાકો બોલાયો છે .પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો એ મોડાસા સહિત તમામ તાલુકા કક્ષાએ અને સબયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવી તેવી માંગ કરી છે.




Conclusion: ભાવ ઘટાડા અંગે વેપારીઓએ ચીનમાં કોરોના વાયરસનું કારણ બતાવી રહ્યા છે .

કપાસમાં ઇયળના ઉપદ્રવથી થતા ખેડૂતોને પાકમાં ૫૦ ટકા નુકસાન થયું છે અને કોરાના વયરસે પડતા પર પાટુ માર્યુ છે. મોંઘા બિયારણ જંતુનાશક દવાઓ અને મજૂરી નો તોતિંગ ખર્ચ કરીને પણ ધરતીનો તાત જ્યારે તેનો મહામૂલો પાક વેચવા આવે છે ત્યારે એક યા બીજા કારણસર નિરાશ થાય છે.

બાઈટ ગરવીત ખેડૂત

બાઈટ જમાલભાઈ વેપારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.