ETV Bharat / state

અરવલ્લીમાં ખુલ્લામાં શૌચ મુક્ત ગામ માત્ર બોર્ડ પર...! - અરવલ્લીમાં શૌચાલય કૌભાંડ

અરવલ્લીઃ દેશનું દુર્ભાગ્ય છે કે સત્તાધારીઓ બદલાય છે પણ તેમની સાથે સરકારી અધિકારીઓની માનસિકતા નહીં. અરવલ્લીમાં તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. સરકારી કાગળ પર આખે આખા ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરી દેવાયા છે. પરંતુ, વાસ્તવિકતા તદ્દન જુદી જ છે. જે ગામોમાં ઘરદીઠ શૌચાલય બનાવવા 12000 રૂપિયા ફાળવાયા છે. તેવા અનેક ઘરોમાં શૌચાલય બનાવાયા જ નથી અને તેનું સીધુ કારણ છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર.

અરવલ્લીમાં ખુલ્લામાં શૌચ મુક્ત ગામ માત્ર બોર્ડ પર...!
author img

By

Published : Oct 20, 2019, 11:29 AM IST

વડાપ્રધાને અનેક મોટા મંચ પરથી દેશના નાગરિકોને સ્વચ્છ ભારત મિશન માટે આહ્વાન કર્યુ છે. પરંતુ, તેની કોઈ અસર જિલ્લા અને તાલુકાઓમાં સંચાલન કરતા અધિકારીઓમાં જોવા મળતી નથી.

અરવલ્લીમાં ખુલ્લામાં શૌચ મુક્ત ગામ માત્ર બોર્ડ પર...!

ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બનેલા અરવલ્લીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે PMનું મિશન ક્યાંક કાગળ પર સિમિત થઈ ગયુ છે. કાગળ પર એ રીતે સિમિત થયું કે ખુલ્લામાં જે વિકાસ ન થયો હોય તે કાગળ પર દેખાઈ રહ્યો છે. કાગળથી બહાર આવીએ તો ગામના પ્રવેશદ્વારો પર બૉર્ડ પર વિકાસ દેખાઈ રહ્યો છે. એટલે કે અરવલ્લીના બાયડમાં આવેલા રમોસ ગામે મોટા ભાગના શૌચાલયના કામકાજ થયા નથી.

પ્રતિ શૌચાલય 12,000 રૂપિયા ફાળવ્યા બાદ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કારણ કે ગામમાં અનેક ઘરોમાં શૌચાલયો ન હોવા છતાં ગામની બહાર ખુલ્લામાં શૌચાલય મુક્ત ગામની ઓળખ આપી દેવામાં આવી છે. જે ઘરોમાં શૌચાલયો બનાવવાની શરૂઆત કરી છે તેને અધુરા છોડી દેવાયા છે. શૌચાલયોના અભાવે આજે પણ આ ગામના લોકો નદીએ ઉંડે ઉતરી શૌચ જવા માટે મજબૂર છે!

આમ, તો સમગ્ર અરવલ્લી જિલ્લાને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરાયો છે. પરંતુ, જિલ્લા વિકાસ એજન્સીના દસ્તાવેજોમાં. કારણ કે શૌચાલય બનાવવા માટે ખર્ચાયેલા નાણાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગ પ્રબળ બની છે.

એ સમય પણ હતો જ્યારે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીએ કહેવું પડ્યુ હતું કે કેન્દ્ર સરકાર 1 રૂપિયો વિકાસ માટે મોકલે તે લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આજેય અધિકારીઓ આ વાતમાં રહેલા તથ્યને સાબિત કરી રહ્યાં છે.

વડાપ્રધાને અનેક મોટા મંચ પરથી દેશના નાગરિકોને સ્વચ્છ ભારત મિશન માટે આહ્વાન કર્યુ છે. પરંતુ, તેની કોઈ અસર જિલ્લા અને તાલુકાઓમાં સંચાલન કરતા અધિકારીઓમાં જોવા મળતી નથી.

અરવલ્લીમાં ખુલ્લામાં શૌચ મુક્ત ગામ માત્ર બોર્ડ પર...!

ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બનેલા અરવલ્લીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે PMનું મિશન ક્યાંક કાગળ પર સિમિત થઈ ગયુ છે. કાગળ પર એ રીતે સિમિત થયું કે ખુલ્લામાં જે વિકાસ ન થયો હોય તે કાગળ પર દેખાઈ રહ્યો છે. કાગળથી બહાર આવીએ તો ગામના પ્રવેશદ્વારો પર બૉર્ડ પર વિકાસ દેખાઈ રહ્યો છે. એટલે કે અરવલ્લીના બાયડમાં આવેલા રમોસ ગામે મોટા ભાગના શૌચાલયના કામકાજ થયા નથી.

પ્રતિ શૌચાલય 12,000 રૂપિયા ફાળવ્યા બાદ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કારણ કે ગામમાં અનેક ઘરોમાં શૌચાલયો ન હોવા છતાં ગામની બહાર ખુલ્લામાં શૌચાલય મુક્ત ગામની ઓળખ આપી દેવામાં આવી છે. જે ઘરોમાં શૌચાલયો બનાવવાની શરૂઆત કરી છે તેને અધુરા છોડી દેવાયા છે. શૌચાલયોના અભાવે આજે પણ આ ગામના લોકો નદીએ ઉંડે ઉતરી શૌચ જવા માટે મજબૂર છે!

આમ, તો સમગ્ર અરવલ્લી જિલ્લાને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરાયો છે. પરંતુ, જિલ્લા વિકાસ એજન્સીના દસ્તાવેજોમાં. કારણ કે શૌચાલય બનાવવા માટે ખર્ચાયેલા નાણાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગ પ્રબળ બની છે.

એ સમય પણ હતો જ્યારે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીએ કહેવું પડ્યુ હતું કે કેન્દ્ર સરકાર 1 રૂપિયો વિકાસ માટે મોકલે તે લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આજેય અધિકારીઓ આ વાતમાં રહેલા તથ્યને સાબિત કરી રહ્યાં છે.

Intro:અરવલ્લીમાં ખુલ્લામાં શૌચ મુક્ત ગામ માત્ર બોર્ડ પર...!

બાયડ અરવલ્લી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતિ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બટન દબાવીને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યું હતું . જોકે જાહેરાત અને વાસ્તવિકતામાં જમીન આસમાનનો ફર્ક જોવા મળી રહ્યો છે. અરવલ્લીના રમોસ ગામમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર આદરી શૌચાલય અધૂરા બનાવી છોડી મુક્યા છે.


Body:ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું કે 'એક રૂપિયો જ્યારે દિલ્હીથી મોકલવામાં આવે છે તો માત્ર ૧૫ પૈસા જનતા સુધી પહોંચે છે' આ વાતને વર્ષો વીતી ગયા અને રાજીવ ગાંધી નું એ વાક્ય ફક્ત ઈતિહાસના પાના ઉપર જ નહીં પરંતુ આજે પણ અધિકારીઓની માનસિકતા પર અમર છે અને એ જોવું હોય તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રમોસ ગામે સાક્ષાત જોવા મળશે. સરકારે શૌચાલય દીઠ રૂ.12000 ફળવ્યા છે પણ કામ ના નામે નકરો ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે .

અરવલ્લી જિલ્લાને ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો જાહેર કરાયો છે. જિલ્લામાં આવેલ 676 ગામડાઓમાં વસવાટ કરતા પ્રજાજનો માટે શૌચાલય સુવિધા તો ઉપલબ્ધ છે પણ માત્ર કાગળ પર. હા માત્ર કાગળ પર વિકાસ . જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ગ્રામ્ય વિસ્તારોમાં 'ખુલ્લામાં શૌચ મુક્ત ગામ માં આપનું સ્વાગત છે ' તેવા બોર્ડ તો લગાવ્યા છે પરંતુ ગામમાં


બેનર લગાવેલ બાયડના રમોસ ગામમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી શૌચાલયના નામે માત્ર ઈંટોનું ચણતર કરી ઓરડીઓ બનાવવામાં આવી છે જેના કારણે ગામ લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બને છે. શૌચ કરવા લોકો 25 ફૂટ નીચે નદીમાં ઉતરે છે .

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અધુરી યોજના કાગળ પર પૂર્ણ બતાવવાની પોલ ખુલ્લી પડી ગઈ છે . રમોસ ગામમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલ શૌચાલય માં અધુરી કામગીરી કરવામાં આવી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું.

ગામ માં બનાવેલ શૌચાલય માં લોટ લાકડું અને પાણી વાપરવામાં આવતા શૌચાલય તૂટી પડ્યા છે . આવા કેટલાય ગામડામાં સરકારની આંખમાં ધૂળ નાંખી અધિકારીઓએ અને કોન્ટ્રાકટએઓ નાણાં ઘર ભેગા કર્યા છે તેની ઉચ્ચસ્તરીય તપાસ કરી. અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો તેવી લોકમાંગ છે.
બાઈટ રેવાબેન ગ્રામજન

બાઈટ ભીખાજી મણાજી પરમાર ગ્રામજન












Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.