મોડાસા: તાલુકા આરોગ્ય કેન્દ્રોની 7થી 8 ટીમો દ્વારા પરીક્ષા કેન્દ્રો પર તપાસ કરવામાં આવી હતી. 42.5 ડિગ્રી તાપમાન વાળા હાઇ રિસ્ક વિધાર્થીઓને અલગ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે મોડાસામાં હાઈ રિસ્ક તાપમાનમાં એક પણ વિધાર્થી નોધાયો ન હતો.
બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોડાસા શહેરમાં આયુષ નિયામકની સુચનના સંદર્ભે અરવલ્લી આયુર્વેદ શાખા દ્વારા ડીપ વિસ્તારમાં, ગણપતી મંદિર નજીક માલપુર રોડ પર સાંઈ મંદિર અને મેઘરજ રોડ પર આવેલા ઉમિયા મંદિર નજીક શહેરીજનોને કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળો હોમિયોપેથી પ્રિવેન્ટીવ ડોઝ આપવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.