કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.સાથે-સાથે પક્ષ દ્વારા ઉમેદવારની નામની જાહેરાત કરવામાં આવતા વિલંબને લઇ તેમણે વ્યક્તિને નહીં પરંતુ કમળને મત આપવા અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે જાતિવાદ, પ્રાંતવાદ અને વંશવાદનેવરેલી પાર્ટી છે. જ્યારે ભાજપ તે પોતાના શાસન દરમિયાન વિકાસની સાથે-સાથેરાષ્ટ્રના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે સારા નિર્ણય લીધા છે, તેના ફળ આવનાર પાંચ વર્ષમાં પ્રજાને મળશે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,ગતલોકસભા કરતાં 2019ની લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠકનેજંગી મતોથી જીતી અને ભગવોલહેરાવાનોવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.લોકો સુધી ભાજપે કરેલા વિકાસના કામોની ગાથા પહોંચાડવા માટે ભાજપના કાર્યકરોને કામે લાગી જવા કહ્યું હતું. ભુપેન્દ્રસિંહએ પણ ભાજપ દ્વારા આણંદ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર ન કર્યુંહોવાના કારણે ફક્ત કમળને મહત્વ આપી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી.
ભુપેન્દ્રસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે,કોંગ્રેસ દ્વારા 55 વર્ષ સુધી ફક્ત ગરીબોના હિત માટેના કામના વાયદા કરેલા છે. હાલ દેશમાં 50 કરોડ કરતાં પણ વધારે ગરીબ પરિવારોની મદદ મોદી સરકારે પાંચ વર્ષમાં કરી બતાવી છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાહુલ ગાંધીના આપેલ નિવેદન પર કટાક્ષમાં કરતા કહ્યું કે, "રાહુલ ગાંધી જે 72 હજાર રૂપિયા ગરીબ ખેડૂતોના ખાતામાં જમા કરવાની વાતો કરે છે, તે ઇન્દિરા ગાંધીની ખોટી વાતો જેટલી સાચી છે"
ભાજપનો વિજય સંકલ્પ સંમેલનમાંઆણંદ લોકસભાના સાંસદ દિલીપ મણિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદિયા, નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ સાથે પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી.