ETV Bharat / state

આણંદમાં ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર આપ્યું - lockdown 4 effect on farmer

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ત્યારે, ખેડૂતો માટે કોઈ વિશેષ ધ્યાન આપવામાં આવે તે અનિવાર્ય બની રહે છે. ત્યારે ચરોતરના ખેડૂતો માટે કોરોના કહેર વચ્ચે આવશ્યક બનેલી માગને વાચા આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આણંદમાં ભારતીય કિસાન સંઘએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
આણંદમાં ભારતીય કિસાન સંઘએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
author img

By

Published : May 27, 2020, 4:28 PM IST

આણંદઃ જિલ્લા કલેકટરને રૂબરૂમાં આપેલા આવેદનપત્રમાં ખેડૂતોની સમસ્યા અંગે સમાધાન માગતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં લોકડાઉન દરમિયાન તંત્રએ ખેડૂતો માટે સારી કામગીરી કરી છે. તે બદલ શુભેચ્છા પાઠવી હતી. પરંતુ સાથે જ જગતનો તાત કાળી મજૂરી કરી ખેતરમાંથી ઉત્પાદન મેળવે છે. અને બજારમાં તેના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાથી ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર મળતું ન હોવાથી ખેડૂતોને આર્થિક નુકશાન થતું હોવાની રજુઆત કરવામાં આવી હતી. સાથે જ આણંદ જિલ્લામાં જંગલી પ્રાણીઓ જેવાકે, નીલગાય, વાંદરા, ભૂંડ વગેરેના ત્રાસને ઓછો કરવા અપીલ કરવામાં આવી હતી.

આણંદમાં ભારતીય કિસાન સંઘએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ભારતીય કિસાન સંઘના હિતેશ પટેલે જણાવ્યું હતું કે, આ આવેદનપત્રમાં માગ કરવામાં આવી છે કે, કિસાન સંઘ તરફથી મોટી વાવણીને લીધે રવિ અને ઉનાળુ પાકને બચાવવા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી હતી. મબલખ ઉત્પાદન કરવામાં આનંદ જિલ્લાને સફળતા મળી હતી. જેમાં ડાંગર, કઠોળ, તમાકુ, તેલીબીયા વિવિધ પાકોમાં સારી ઉપજ ખેડૂતોને મળી હતી. પરંતુ વેપારીઓ નહિવત ભાવે માલની માગણી કરી રહ્યા છે. જેથી હાલમાં આણંદ જિલ્લામાં વિવિધ પાકોના ટેકાના ભાવે કોઈ તાલુકામાં ખરીદી થતી નથી. વારંવાર કલેકટર કક્ષાએ અને સરકારમાં રજૂઆત કરવા છતાં તાલુકાના ટેકાના ભાવે ખરીદી થતી ન હોવાથી હવે આગામી દિવસોમાં સત્વરે રસ્તો કાઢી આપવા અપીલ કરવામાં આવી હતી.આવનારી ખરાફ ડાંગર અને ધરૂવાડિયા માટે તારીખ 16-6-2020 થી ૧૫ દિવસ સુધી સિચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગ પણ કરવામાં આવી હતી. ખેડૂતોએ સિંચાઇ વિભાગ તથા આમ જનતા માટે બનેલી કેનાલો પર રસ્તાના સમારકામ માટે પણ અરજી કરવામાં આવી છે. જંગલી પશુઓના નિયંત્રણ માટે પણ સચોટ રસ્તા કરવામાં આવે જેથી ખેડૂતોને પાકમાં આર્થિક નુકશાન અને જાનવરો થકી થતું નુકશાન ઘટાડી શકાય અને ખેડૂતને આગામી દિવસોમાં વધુ સક્ષમ કરાવી શકાય તે માટે આવેદનપત્ર આપી ભારતીય કિસાન સંઘ દ્વારા આણંદ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.આણંદ કલેકટર રાજદેવ સિંહ ગોહિલે પણ કિસાન આગેવાનોની વાત સાંભળી સરકારમાં રજૂઆત કરવાની હૈયાધારણા આપી છે. ત્યારે આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં ખેડૂતો માટે તંત્ર દ્વારા નક્કર પગલાં લઈને આર્થિક મજબૂત કરવા કામગીરી કરવામાં આવે તેવો આશાવાદ કિસાન સંઘના આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

આણંદઃ જિલ્લા કલેકટરને રૂબરૂમાં આપેલા આવેદનપત્રમાં ખેડૂતોની સમસ્યા અંગે સમાધાન માગતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં લોકડાઉન દરમિયાન તંત્રએ ખેડૂતો માટે સારી કામગીરી કરી છે. તે બદલ શુભેચ્છા પાઠવી હતી. પરંતુ સાથે જ જગતનો તાત કાળી મજૂરી કરી ખેતરમાંથી ઉત્પાદન મેળવે છે. અને બજારમાં તેના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાથી ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર મળતું ન હોવાથી ખેડૂતોને આર્થિક નુકશાન થતું હોવાની રજુઆત કરવામાં આવી હતી. સાથે જ આણંદ જિલ્લામાં જંગલી પ્રાણીઓ જેવાકે, નીલગાય, વાંદરા, ભૂંડ વગેરેના ત્રાસને ઓછો કરવા અપીલ કરવામાં આવી હતી.

આણંદમાં ભારતીય કિસાન સંઘએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ભારતીય કિસાન સંઘના હિતેશ પટેલે જણાવ્યું હતું કે, આ આવેદનપત્રમાં માગ કરવામાં આવી છે કે, કિસાન સંઘ તરફથી મોટી વાવણીને લીધે રવિ અને ઉનાળુ પાકને બચાવવા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી હતી. મબલખ ઉત્પાદન કરવામાં આનંદ જિલ્લાને સફળતા મળી હતી. જેમાં ડાંગર, કઠોળ, તમાકુ, તેલીબીયા વિવિધ પાકોમાં સારી ઉપજ ખેડૂતોને મળી હતી. પરંતુ વેપારીઓ નહિવત ભાવે માલની માગણી કરી રહ્યા છે. જેથી હાલમાં આણંદ જિલ્લામાં વિવિધ પાકોના ટેકાના ભાવે કોઈ તાલુકામાં ખરીદી થતી નથી. વારંવાર કલેકટર કક્ષાએ અને સરકારમાં રજૂઆત કરવા છતાં તાલુકાના ટેકાના ભાવે ખરીદી થતી ન હોવાથી હવે આગામી દિવસોમાં સત્વરે રસ્તો કાઢી આપવા અપીલ કરવામાં આવી હતી.આવનારી ખરાફ ડાંગર અને ધરૂવાડિયા માટે તારીખ 16-6-2020 થી ૧૫ દિવસ સુધી સિચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગ પણ કરવામાં આવી હતી. ખેડૂતોએ સિંચાઇ વિભાગ તથા આમ જનતા માટે બનેલી કેનાલો પર રસ્તાના સમારકામ માટે પણ અરજી કરવામાં આવી છે. જંગલી પશુઓના નિયંત્રણ માટે પણ સચોટ રસ્તા કરવામાં આવે જેથી ખેડૂતોને પાકમાં આર્થિક નુકશાન અને જાનવરો થકી થતું નુકશાન ઘટાડી શકાય અને ખેડૂતને આગામી દિવસોમાં વધુ સક્ષમ કરાવી શકાય તે માટે આવેદનપત્ર આપી ભારતીય કિસાન સંઘ દ્વારા આણંદ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.આણંદ કલેકટર રાજદેવ સિંહ ગોહિલે પણ કિસાન આગેવાનોની વાત સાંભળી સરકારમાં રજૂઆત કરવાની હૈયાધારણા આપી છે. ત્યારે આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં ખેડૂતો માટે તંત્ર દ્વારા નક્કર પગલાં લઈને આર્થિક મજબૂત કરવા કામગીરી કરવામાં આવે તેવો આશાવાદ કિસાન સંઘના આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.