ETV Bharat / state

આણંદમાં કોરોનાની સ્થિતિ વણસી, જાણો જિલ્લામાં બેડ અને ઓક્સિજનની શું છે વ્યવસ્થા

author img

By

Published : Apr 16, 2021, 1:11 PM IST

રાજ્યમાં કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યા છે. ગુરુવારે રાજ્યમાં 8,152 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા હતા. હાલ રાજ્યમાં કુલ 44,298 દર્દીઓ કોરોનાના એક્ટિવ દર્દીઓ છે. જે સરકારી ચોપડે નોંધાયેલા છે. જેમાંથી 267 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 44,031 દર્દીઓની હાલત હાલમાં સ્ટેબલ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Anand
Anand
  • જિલ્લામાં કોરોના સંક્રમણમાં જોવા મળી રહ્યો છે સતત વધારો
  • ગુરુવારે 48 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં
  • 62 લોકો થયા સ્વસ્થ, એકનું મોત
  • 5,381 લોકોને રસી મૂકવામાં આવી

આણંદ: જિલ્લામાં પણ એપ્રિલ માસની શરૂઆતથી જ કોરોનાએ માથું ઊંચક્યું હોય તેમ સતત સંક્રમિત દર્દીઓના આંકડાઓ વધતા નજરે પડી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પ્રથમ 15 દિવસમાં જિલ્લામાં કુલ 477 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા હોવાના આંકડા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. જ્યારે 229 જેટલા લોકો સારવાર લઈ સાજા થયા હોવાની માહિતી મળી રહી છે.

આણંદમાં સ્થિતી વણસીઃ જાણો જિલ્લામાં બેડ અને ઓક્સિજનની શું છે વ્યવસ્થા

કોવિડ શંકાસ્પદ દર્દીઓના આંકડાની હકિકત સરકારી ચોપડે નોંધવમાં આવતી નથી

આણંદ જિલ્લામાં ગુરુવારે પ્રસિદ્ધ થયેલી યાદી અનુસાર આણંદ જિલ્લામાં કુલ 48 લોકો સંક્રમણનો ભોગ બન્યા હતા. જ્યારે 62 લોકોએ કોરોનાને માત આપી સાજા થઈ રજા મેળવી હતી. સતત બીજા દિવસે પણ આણંદ જિલ્લામાં એક દર્દીનું અવસાન થતાં જિલ્લાનો મૃત્યુ આંક 19 થયો છે. જ્યારે કોવિડ શંકાસ્પદ દર્દીઓના આંકડાની હકિકત સરકારી ચોપડે નોંધવમાં આવતી નથી.

ઓક્સિજન
ઓક્સિજન

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારે કોરોનાનાં 22 કેસ નોંધાયા, 4,008 લોકોને અપાઈ કોરોનાની રસી

કુલ 2,63,056 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા

આણંદ જિલ્લામાં સરકારી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના ઉભા કરેલા ટેસ્ટિંગ બૂથ પર આજ સુધીમાં કુલ 2,63,056 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 3,571 લોકો કોરોના પોઝિટિવ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3,181 લોકો સારવાર મેળવી સ્વસ્થ બન્યા છે. જ્યારે 19 દર્દીઓનું કોરોના સંક્રમણને કારણે અવસાન થયું છે. હાલ જિલ્લામાં કુલ 371 એક્ટિવ કોરોનાના દર્દીઓ છે. જેમાંથી 20 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે 45 દર્દીઓ ઓક્સિજન પર, 5 દર્દીઓ વેન્ટિલેટર પર, 7 દર્દીઓ બાઈપેપ પર અને 314 દર્દીઓ સ્ટેબલ હોવાની માહિતી સરકારી યાદીમાં આપવામાં આવી છે.

આણંદ
આણંદ

આ પણ વાંચો : નવસારીમાં કોરોના વિસ્ફોટ, ગુરુવારે એકી સાથે 75 કેસ નોંધાયા

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1,918 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે

આણંદ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1,918 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાંથી મહત્તમ 50 ટકા ઉપરાંત બેડ ભરેલા હોવાનું બહાર આવી રહ્યું છે. જિલ્લામાં હાલ સરકારી બેડ અને પેડ બેડ મળી 527 બેડ વૉર્ડમાં છે. જ્યારે HDUના 871 બેડ છે. ICUમાં કુલ 368 બેડ છે. જિલ્લામાં 152 વેન્ટિલેટરની વ્યવસ્થા છે. આમ કુલ મળી 1,918 પથારીઓની જિલ્લામાં તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં 888 સરકારી અને 1,030 ખાનગી હોસ્પિટલમાં પેડ બેડનો સમાવેશ થાય છે.

આણંદ
આણંદ

45 વર્ષ કરતા મોટી ઉમરના લોકોને રસી મૂકાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ મુજબ તંત્ર પૂર્ણ સજ્જ છે. જિલ્લામાં દર્દીઓને જરૂરી તમામ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે અને પરિસ્થિતિ ખૂબ ઝડપથી કાબૂમાં આવશે તેવી તેમને જાણકારી આપી હતી. સાથે જ તેમણે પ્રજાને પણ રસીકરણ અભિયાનનો લાભ લઇ 45 વર્ષ કરતા મોટી ઉમરના લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

  • જિલ્લામાં કોરોના સંક્રમણમાં જોવા મળી રહ્યો છે સતત વધારો
  • ગુરુવારે 48 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં
  • 62 લોકો થયા સ્વસ્થ, એકનું મોત
  • 5,381 લોકોને રસી મૂકવામાં આવી

આણંદ: જિલ્લામાં પણ એપ્રિલ માસની શરૂઆતથી જ કોરોનાએ માથું ઊંચક્યું હોય તેમ સતત સંક્રમિત દર્દીઓના આંકડાઓ વધતા નજરે પડી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પ્રથમ 15 દિવસમાં જિલ્લામાં કુલ 477 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા હોવાના આંકડા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. જ્યારે 229 જેટલા લોકો સારવાર લઈ સાજા થયા હોવાની માહિતી મળી રહી છે.

આણંદમાં સ્થિતી વણસીઃ જાણો જિલ્લામાં બેડ અને ઓક્સિજનની શું છે વ્યવસ્થા

કોવિડ શંકાસ્પદ દર્દીઓના આંકડાની હકિકત સરકારી ચોપડે નોંધવમાં આવતી નથી

આણંદ જિલ્લામાં ગુરુવારે પ્રસિદ્ધ થયેલી યાદી અનુસાર આણંદ જિલ્લામાં કુલ 48 લોકો સંક્રમણનો ભોગ બન્યા હતા. જ્યારે 62 લોકોએ કોરોનાને માત આપી સાજા થઈ રજા મેળવી હતી. સતત બીજા દિવસે પણ આણંદ જિલ્લામાં એક દર્દીનું અવસાન થતાં જિલ્લાનો મૃત્યુ આંક 19 થયો છે. જ્યારે કોવિડ શંકાસ્પદ દર્દીઓના આંકડાની હકિકત સરકારી ચોપડે નોંધવમાં આવતી નથી.

ઓક્સિજન
ઓક્સિજન

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારે કોરોનાનાં 22 કેસ નોંધાયા, 4,008 લોકોને અપાઈ કોરોનાની રસી

કુલ 2,63,056 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા

આણંદ જિલ્લામાં સરકારી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના ઉભા કરેલા ટેસ્ટિંગ બૂથ પર આજ સુધીમાં કુલ 2,63,056 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 3,571 લોકો કોરોના પોઝિટિવ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3,181 લોકો સારવાર મેળવી સ્વસ્થ બન્યા છે. જ્યારે 19 દર્દીઓનું કોરોના સંક્રમણને કારણે અવસાન થયું છે. હાલ જિલ્લામાં કુલ 371 એક્ટિવ કોરોનાના દર્દીઓ છે. જેમાંથી 20 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે 45 દર્દીઓ ઓક્સિજન પર, 5 દર્દીઓ વેન્ટિલેટર પર, 7 દર્દીઓ બાઈપેપ પર અને 314 દર્દીઓ સ્ટેબલ હોવાની માહિતી સરકારી યાદીમાં આપવામાં આવી છે.

આણંદ
આણંદ

આ પણ વાંચો : નવસારીમાં કોરોના વિસ્ફોટ, ગુરુવારે એકી સાથે 75 કેસ નોંધાયા

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1,918 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે

આણંદ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1,918 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાંથી મહત્તમ 50 ટકા ઉપરાંત બેડ ભરેલા હોવાનું બહાર આવી રહ્યું છે. જિલ્લામાં હાલ સરકારી બેડ અને પેડ બેડ મળી 527 બેડ વૉર્ડમાં છે. જ્યારે HDUના 871 બેડ છે. ICUમાં કુલ 368 બેડ છે. જિલ્લામાં 152 વેન્ટિલેટરની વ્યવસ્થા છે. આમ કુલ મળી 1,918 પથારીઓની જિલ્લામાં તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં 888 સરકારી અને 1,030 ખાનગી હોસ્પિટલમાં પેડ બેડનો સમાવેશ થાય છે.

આણંદ
આણંદ

45 વર્ષ કરતા મોટી ઉમરના લોકોને રસી મૂકાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ મુજબ તંત્ર પૂર્ણ સજ્જ છે. જિલ્લામાં દર્દીઓને જરૂરી તમામ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે અને પરિસ્થિતિ ખૂબ ઝડપથી કાબૂમાં આવશે તેવી તેમને જાણકારી આપી હતી. સાથે જ તેમણે પ્રજાને પણ રસીકરણ અભિયાનનો લાભ લઇ 45 વર્ષ કરતા મોટી ઉમરના લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.