ETV Bharat / state

આણંદમાં 1199 પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે વતન મોકલાવાયા

આણંદ જિલ્લામાં રહેતા પરપ્રાંતીય નાગરિકોને તમામ કાર્યવાહી બાદ મંગળવારે આણંદ રેલવે સ્ટેશનથી લખનઉ (યુ.પી) જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ આણંદ રેલ્વે સ્ટેશનથી ખાસ ફરજ પરનાં સચિવ સંદિપકુમાર, કલેક્ટર આર.જી. ગોહિલ અને સાંસદ મિતેશભાઈએ લીલી ઝંડી આપીને ટ્રેનને ઉષ્માભરી વિદાય આપી હતી.

author img

By

Published : May 6, 2020, 12:22 AM IST

etv bharat
આણંદ: 1199 પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે વતન મોકલાયા

આણંદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાંથી કુલ 1199 પરપ્રાંતિયોને આણંદથી લખનઉ (યુ.પી)ની સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલવામાં આવ્યાં હતાં. આ પરપ્રાંતિય નાગરીકોને સંપૂર્ણ સોસિયલ ડિસ્ટન્સિંગનાં પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી.

etv bharat
આણંદ: 1199 પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે વતન મોકલાયા

લોકડાઉનનાં અમલ બાદ વતન જવા ઇચ્છતાં આણંદ જિલ્લાના અને બહારથી આવીને શેલ્ટર હોમમાં રોકાયેલા પરપ્રાંતિય નાગરીકો માટે સ્પેશ્યલ ટ્રેન દ્વારા પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાની વ્યવસ્થા થતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતાં.

etv bharat
આણંદ: 1199 પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે વતન મોકલાયા

આણંદ જિલ્લામાંના પરપ્રાંતીય નાગરિકોએ પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવેલી વ્યવસ્થાને સહકાર આપ્યો હતો અને લોક ડાઉનમાંથી બહાર નીકળી વતન જવાનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો.

આણંદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાંથી કુલ 1199 પરપ્રાંતિયોને આણંદથી લખનઉ (યુ.પી)ની સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલવામાં આવ્યાં હતાં. આ પરપ્રાંતિય નાગરીકોને સંપૂર્ણ સોસિયલ ડિસ્ટન્સિંગનાં પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી.

etv bharat
આણંદ: 1199 પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે વતન મોકલાયા

લોકડાઉનનાં અમલ બાદ વતન જવા ઇચ્છતાં આણંદ જિલ્લાના અને બહારથી આવીને શેલ્ટર હોમમાં રોકાયેલા પરપ્રાંતિય નાગરીકો માટે સ્પેશ્યલ ટ્રેન દ્વારા પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાની વ્યવસ્થા થતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતાં.

etv bharat
આણંદ: 1199 પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે વતન મોકલાયા

આણંદ જિલ્લામાંના પરપ્રાંતીય નાગરિકોએ પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવેલી વ્યવસ્થાને સહકાર આપ્યો હતો અને લોક ડાઉનમાંથી બહાર નીકળી વતન જવાનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.