અમરેલીઃ જિલ્લાના રાજુલામાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી હતી. જે આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે.
રાજુલા શહેરમાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીને માર મારતા પત્નીને હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.
પતિએ પત્નીની અંતિમ વિધિ કરી પુરાવાનો નાશ કર્યો હતો. રાજુલા પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરતા પતિએ પત્નીની હત્યા કર્યાનું ખુલતા હત્યાનો ગુનો નોંધ્યો હતો.
મૃતક પત્નીની બહેને રાજુલા પોલીસ સ્ટેશનમા પિતા-પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીને ઝડપી પાડવા રાજુલા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા.