અમરેલી: જિલ્લામાં સંભવિત નિસર્ગ વાવાઝોડાને કારણે જાફરાબાદ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. ગઇકાલે વાવાઝોડાની દિશા બદલાતા જાફરાબાદ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું હતું.
બુધવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ઝડપ વધી રહી છે એવામાં જાફરાબાદ પોર્ટના લાઈટ હાઉસ ખાતે 2 નંબરનું સિગ્નલ હટાવી 3 નંબરનું ભયજનક સિગ્નલ લગવવમાં આવ્યું છે.