અમરેલી જિલ્લામાં આવેલા લીલીયામાં પશુ દવાખાનું ઘણું જૂનું છે. આ પશુ દવાખાનું હાલ ખુબ જ અસુરક્ષિત પરિસ્થિતિમાં છે. હાલ આ દવાખાનાની આ બિસમાર હાલતને પગલે ચોમાસામાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાની કિંમત દવા કોઈ કામની રહેતી નથી.
જો કે કોઈ માલઢોર અહીં સારવાર માટે આવે તો આ ઇમારતમાં કોઈ અકસ્માત સર્જાય જેના કારણે ડૉકટર અને પશુ બંનેને નુકશાન થાય તેમ છે. આમ તો સરકાર દ્વારા માલધારીઓ માટે ઘણી યોજનાઓ બહાર પડે છે. પરંતુ આ પશુ દવાખાના માટે કોઈ પણ વ્યવસ્થા ઉભી થતી નથી.
આ દવાખાનામાં છેલ્લા 15 વર્ષથી કોઈ રીપેરીંગ કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ આ ઇમારત દિવસે દિવસે ધૂળધાણી થતી જાય છે. જેને પગલે આવતા પશુ સારવાર આપતા કોઈ અકસ્માત સર્જાય તેના પહેલા આ દવાખાનાને રિનોવેશનનું કામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.