ETV Bharat / state

અમદાવાદ જિલ્લામાં 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાશે

author img

By

Published : Aug 1, 2020, 10:04 AM IST

અમદાવાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો સાથે 1 થી 7 ઓગસ્ટે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અઠવાડિયામાં જન્મ લેનારા બાળકના કુટુંબને એક એક ફળના છોડ આપવામાં આવશે. તે સાથે જ સગર્ભા બહેનોને સ્તનપાનનું મહત્વ પણ સમજાવવામાં આવશે.

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ: જિલ્લામાં આજ થી 7 ઓગસ્ટ સુધી "વિશ્વ સ્તનપાન સપ્તાહ" હેઠળ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. સમગ્ર જિલ્લામાંથી આશરે 354 જેટલી બહેનોને આ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન આપવામાં આવશે. ICDS તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે દુનિયાભરમાં 1થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ આખા સપ્તાહ દરમિયાન બાળકને જન્મ આપનારા અને ગર્ભવતી મહિલાઓને બ્રેસ્ટફિડિંગ અને તેનાથી થતા ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવે છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશની ભાવિ પેઢીને પરિપક્વ, શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવા માટે દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ટુંકમાં સમજાવવામાં આવે તો જે રીતે નાના છોડને ભવિષ્યનું મજબુત અને ઘટાદાર વૃક્ષ બનાવવા શરૂઆતથી જ તેની માવજત અને ધ્યાન રાખવામાં આવતું હોય છે. તેવી જ રીતે નવજાત બાળકનું પણ ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે. બાળક મોટું થઈને તંદુરસ્ત બને તે માટે નાનપણથી જ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ વિશેષ ધ્યાનમાં ખુબજ મહત્વનું પ્રથમ પાયો તે માતાનું ઘાવણ ખુબજ જરૂરી હોય છે.

ahmedabad
વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી
બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં વધારો કરવા માટે થઈ રાજ્યના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તારીખ 7 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી સ્તનપાનનું સમર્થન કરીએ – તંદુરસ્ત વિશ્વના સર્જન માટેના અલગ અલગ વિષય સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. કુપોષણ અને અન્ય રોગને હરાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબુત હોવી અનિવાર્ય છે. ત્યારે નવજાત બાળકની રોગ પ્રતિકારક શક્તિ મજબુત બનાવવા માટે બાળકના જન્મના પ્રથમ કલાકથી લઈને 6 માસ સુધી માતાનું ધાવણ અતિ આવશ્યક છે.આ ઉજવણી દરમિયાન સપ્તાહના દરેક દિવસે અલગ અલગ પ્રવૃતિ કરવામાં આવશે.
  • નવજાત બાળકની માતા સાથે ટેલીફોનીક સંવાદ કરવો
  • સ્થાનિક રેડીયો સ્ટેશનમાં સ્તનપાન જાગૃતિ વિષય સ્પર્ધાનું આયોજન
  • ઉંબરે આંગણવાડી કાર્યક્રમનો વધુને વધુ લાભ લેવા મહિલાઓને પ્રેરિત કરવી
  • પાલકવાલી દ્વારા નવજાત માતા અને કુંટુંબના સભ્યો સાથે ટેલીફોનીક વાર્તાલાપ
  • સ્તનપાનથી થતા ફાયદા અને બહારના દુધથી થતાં નુકશાન વિશે જાગૃતિ આપવી

જેવી અનેક પ્રેરક પ્રવૃતિઓ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રકૃતિના ઉદાહરણ અને વૃક્ષારોપણ થકી નવજાત બાળકને સ્તનપાનથી થતાં ફાયદા વિશે અનોખી રીતે પ્રેરિત કરવામાં આવશે. જિલ્લાના બાગાયત વિભાગ સાથે સંકલન કરીને જિલ્લાની સગર્ભા કે, જેની સંભવિત સુવાવડ તારીખ તા. 1 થી 7 ઓગસ્ટ સુધીમાં હોય તેમજ આ અઠવાડિયા દરમિયાનમાં જન્મ લેનાર નવજાત બાળકના કુંટુંબને એક ફળનો છોડ આપવામાં આવશે. તેમજ એ જ છોડને જન્મ લેનાર બાળક્નું નામ આપવામાં આવશે.

આ સ્તનપાન સપ્તાહ દરમિયાન NNM કોર્ડિનેટર, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરો દ્વારા COVID19 નો ચેપ ન લાગે તેની સંપૂર્ણ તકેદારી પણ રાખવામાં આવશે. આ સાથે જ સગર્ભા માતાઓ કે, જેની સંભવિત સુવાવડ તા. 1 થી 7 ઓગસ્ટ સુધીમાં હોય તેવા નવજાત બાળકોના જન્મ થાય તે ઘરની પણ મુલાકાત લેવામાં આવશે.

અમદાવાદ: જિલ્લામાં આજ થી 7 ઓગસ્ટ સુધી "વિશ્વ સ્તનપાન સપ્તાહ" હેઠળ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. સમગ્ર જિલ્લામાંથી આશરે 354 જેટલી બહેનોને આ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન આપવામાં આવશે. ICDS તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે દુનિયાભરમાં 1થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ આખા સપ્તાહ દરમિયાન બાળકને જન્મ આપનારા અને ગર્ભવતી મહિલાઓને બ્રેસ્ટફિડિંગ અને તેનાથી થતા ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવે છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશની ભાવિ પેઢીને પરિપક્વ, શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવા માટે દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ટુંકમાં સમજાવવામાં આવે તો જે રીતે નાના છોડને ભવિષ્યનું મજબુત અને ઘટાદાર વૃક્ષ બનાવવા શરૂઆતથી જ તેની માવજત અને ધ્યાન રાખવામાં આવતું હોય છે. તેવી જ રીતે નવજાત બાળકનું પણ ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે. બાળક મોટું થઈને તંદુરસ્ત બને તે માટે નાનપણથી જ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ વિશેષ ધ્યાનમાં ખુબજ મહત્વનું પ્રથમ પાયો તે માતાનું ઘાવણ ખુબજ જરૂરી હોય છે.

ahmedabad
વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી
બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં વધારો કરવા માટે થઈ રાજ્યના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તારીખ 7 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી સ્તનપાનનું સમર્થન કરીએ – તંદુરસ્ત વિશ્વના સર્જન માટેના અલગ અલગ વિષય સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. કુપોષણ અને અન્ય રોગને હરાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબુત હોવી અનિવાર્ય છે. ત્યારે નવજાત બાળકની રોગ પ્રતિકારક શક્તિ મજબુત બનાવવા માટે બાળકના જન્મના પ્રથમ કલાકથી લઈને 6 માસ સુધી માતાનું ધાવણ અતિ આવશ્યક છે.આ ઉજવણી દરમિયાન સપ્તાહના દરેક દિવસે અલગ અલગ પ્રવૃતિ કરવામાં આવશે.
  • નવજાત બાળકની માતા સાથે ટેલીફોનીક સંવાદ કરવો
  • સ્થાનિક રેડીયો સ્ટેશનમાં સ્તનપાન જાગૃતિ વિષય સ્પર્ધાનું આયોજન
  • ઉંબરે આંગણવાડી કાર્યક્રમનો વધુને વધુ લાભ લેવા મહિલાઓને પ્રેરિત કરવી
  • પાલકવાલી દ્વારા નવજાત માતા અને કુંટુંબના સભ્યો સાથે ટેલીફોનીક વાર્તાલાપ
  • સ્તનપાનથી થતા ફાયદા અને બહારના દુધથી થતાં નુકશાન વિશે જાગૃતિ આપવી

જેવી અનેક પ્રેરક પ્રવૃતિઓ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રકૃતિના ઉદાહરણ અને વૃક્ષારોપણ થકી નવજાત બાળકને સ્તનપાનથી થતાં ફાયદા વિશે અનોખી રીતે પ્રેરિત કરવામાં આવશે. જિલ્લાના બાગાયત વિભાગ સાથે સંકલન કરીને જિલ્લાની સગર્ભા કે, જેની સંભવિત સુવાવડ તારીખ તા. 1 થી 7 ઓગસ્ટ સુધીમાં હોય તેમજ આ અઠવાડિયા દરમિયાનમાં જન્મ લેનાર નવજાત બાળકના કુંટુંબને એક ફળનો છોડ આપવામાં આવશે. તેમજ એ જ છોડને જન્મ લેનાર બાળક્નું નામ આપવામાં આવશે.

આ સ્તનપાન સપ્તાહ દરમિયાન NNM કોર્ડિનેટર, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરો દ્વારા COVID19 નો ચેપ ન લાગે તેની સંપૂર્ણ તકેદારી પણ રાખવામાં આવશે. આ સાથે જ સગર્ભા માતાઓ કે, જેની સંભવિત સુવાવડ તા. 1 થી 7 ઓગસ્ટ સુધીમાં હોય તેવા નવજાત બાળકોના જન્મ થાય તે ઘરની પણ મુલાકાત લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.