સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોદી અને ટ્રમ્પ ગાંધી આશ્રમમાં લગભગ અડધો કલાક જેટલો સમય ગાળશે. જે બાદ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. તેમને એરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોઢેરાના 22 કિ.મીના રોડ શોમાં 28 ઓગસ્ટે તૈયાર કરવામાં આવ્યાં છે, જે અલગ-અલગ રાજ્યોની શાંતિ આપશે.
કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે 10 હજારથી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે, ત્યારે હવાઇ હુમલાને પાડવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે કાર્યક્રમ થશે. 24મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યાં છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર કન્ટ્રોલરૂમના સ્વરૂપમાં 3 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જે હવાઈ મોનિટરિંગ કરશે અને કોઈપણ ડ્રોન કે આકાશી હુમલાને તોડી પાડવા સક્ષમ છે.
24મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાત બંને મહાનુભાવો આગરામાં તાજમહેલ નિહાળશે. જે બાદ દિલ્હીના રાજભવનમાં રોકાણ બાદ 25મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.