ETV Bharat / state

અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી - અમદાવાદમાં 20 દુકાનોમાં ચોરી

અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસેને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં વધુ એક ઉમેરો થયો છે. બુધવાર મોડી રાત્રે ચોખા બજારની 20 દુકાનોમાં ચોરી થઈ છે. આ મામલે પોલીસે ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી
author img

By

Published : Nov 14, 2019, 5:29 PM IST

મળતી માહિતી પ્રમાણે, શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલાં ચોખા બજારમાં બુધવારે મોડી રાત્રે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ચોખા બજારમાં નીચેના માળ પર આવેલી અનાજની દુકાનોના તાળા તોડીને રોકડ રકમ અને પહેલા માળની કેટલીક ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. જેની જાણમાં જ્યારે સવારે વેપારીઓ આવ્યા ત્યારે દુકાનોના તૂટેલાં તાળા તથા કેટલીક દુકાનો અડધી ખુલ્લી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતાં. આમ, આટલી મોટી માત્રામાં તાળા તૂટતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી
આ અંગે દુકાનદારોએ દરિયાપુર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોચ્યાં હતાં. આ અંગે પોલીસે પ્રાથમિક તપાસ CCTV ફૂટેજ અને વેપારીઓની પૂછપરછના આધારે શરુ કરી છે. પ્રાથમિક માહિતીમાં 20થી વધુ દુકાનોના તાળા તોડી 3 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલાં ચોખા બજારમાં બુધવારે મોડી રાત્રે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ચોખા બજારમાં નીચેના માળ પર આવેલી અનાજની દુકાનોના તાળા તોડીને રોકડ રકમ અને પહેલા માળની કેટલીક ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. જેની જાણમાં જ્યારે સવારે વેપારીઓ આવ્યા ત્યારે દુકાનોના તૂટેલાં તાળા તથા કેટલીક દુકાનો અડધી ખુલ્લી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતાં. આમ, આટલી મોટી માત્રામાં તાળા તૂટતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી
આ અંગે દુકાનદારોએ દરિયાપુર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોચ્યાં હતાં. આ અંગે પોલીસે પ્રાથમિક તપાસ CCTV ફૂટેજ અને વેપારીઓની પૂછપરછના આધારે શરુ કરી છે. પ્રાથમિક માહિતીમાં 20થી વધુ દુકાનોના તાળા તોડી 3 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
Intro:અમદાવાદ:શહેરમાં ગુનાખોરીની પ્રમાણ વધી રહ્યું છે અને ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે વધુ એક બનાવ બન્યો છે તેમાં મોડી રાતે તસ્કરો કાલુપુરના ચોખા બજારમાં ત્રાટક્યા હતા અને ૨૦થી વધુ દુકાનના તાળા તોડી ચોરી કરીને ફરાર થઇ ગયા છે.આ મામલે સવારે વેપારીઓને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.Body:અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાં બુધવારે મોડી રાતે ચોર આવ્યા હતા અને બંધ દુકાન અને ઓફીસના તાળા તોડી ચોરીને અંજામ આપ્યું હતું.ચોખા બજારમાં નીચેના માળે આવેલી અનાજની દુકાનોના તાળા તોડીને રોકડ રકમ જયારે પહેલા માળની કેટલીક ઓફિસમાં તાળા તથા દરવાજાના નચુકા તોડીને રોકડ રકમની ચોરી કરી હતી.સવારે જયારે વેપારીઓ આવ્યા ત્યારે દુકાનોના તૂટેલા તાળા તથા કેટલીક દુકાનો અડધી ખુલ્લી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા.આટલી મોટી માત્રામાં તાળા તૂટતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી....

આ અંગે દુકાનદારોએ દરિયાપુર પોલીસને જાણ કરતા પોલીસ બનાવના સ્થળે પહોચી હતી.સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ અંગ જાણ થતા ઘટના સ્થળે પહોચ્યા હતા.પોલીસે પ્રાથમિક તપાસ સીસીટીવી ફૂટેજ અને વેપારીઓની પૂછપરછના આધારે શરુ કરી છે.પ્રાથમિક માહિતીમાં ૨૦થી વધુ દુકાનોના તાળા તોડી ૩ લાખ જ જેટલી ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે...


બાઈટ- જે.કે.ઝાલા(એસીપી-એફ- ડીવીઝન)

બાઈટ- વેપારીConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.