ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટમાં આજથી સુનાવણી હાથ ધરશે, કોર્ટના 17 કર્મી પોઝિટિવ આવ્યા બાદ કાર્યવાહી અટકી હતી

ગુજરાત હાઈકોર્ટના જ્યુડિશિયલ અને અન્ય વિભાગમાં કામ કરતા 17 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હાઇકોર્ટની કામગીરીને મર્યાદિત કરાઈ હતી. જો કે, સોમવારથી હાઈકોર્ટ 15 બેન્ચ સાથે સંપૂર્ણ કામગીરીનો આરંભ કરશે. સોમવારે 11 કલાકથી હાઈકોર્ટમાં સુનાવણી થશે.

author img

By

Published : Jul 20, 2020, 12:12 PM IST

17 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હાઇકોર્ટે લીધો મહત્વનો નિર્ણય, આજથી સુનાવણી હાથ ધરશે
17 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હાઇકોર્ટે લીધો મહત્વનો નિર્ણય, આજથી સુનાવણી હાથ ધરશે

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં સોમવારથી 15 બેન્ચ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ 15 બેન્ચ પૈકી 3 ડિવિઝન બેન્ચ જ્યારે અન્ય 10 સિંગલ બેન્ચ રહેશે. 10મી જુલાઈથી 17મી જુલાઈ સુધી મુલતવી રહેલી તમામ કેસની અરજીઓ પર આ સપ્તાહ દરમિયાન સુનાવણી હાથ ધરાશે. ગત સપ્તાહ દરમિયાન હાઈકોર્ટના 17 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટ પરિસરને માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો હતું અને 17મી જૂલાઈ સુધી હાઈકોર્ટમાં અરજન્ટ મેટરની સુનાવણી હાથ ધરાઈ હતી.

ગુજરાત હાઈકોર્ટમાં ગત સોમવારે ફરીવાર નવા 10 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા હાઈકોર્ટના કોરોના પોઝિટિવ કર્મચારીઓની કુલ સંખ્યા 17 થઈ હતી. હાઈકોર્ટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો હતો. હાઇકોર્ટ કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યાના 5થી 6 દિવસ બાદ હાઈકોર્ટમાં ફરીવાર 27 બેન્ચ સમક્ષ ઓનલાઈન સુનાવણી શરૂ કરાઈ હતી. હાઇકોર્ટના કુલ સાત કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચીફ જસ્ટિસના નિર્દેશથી તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં, ત્યારબાદ ફરીવાર સુનાવણી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

4 જુલાઈના રોજ હાઈકોર્ટના નવા 6 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 7મી જુલાઈના રોજ મોડી સાંજે હાઈકોર્ટની 8 જુલાઈથી 10 જૂલાઈ સુધીની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. જેના ભાગરૂપે હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે અને વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ એવા બેનર મુકવામાં આવ્યા હતાં. હાઈકોર્ટના મુખ્ય દ્વાર બહાર આવા પોસ્ટર લગાડવામાં આવ્યા હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઇકોર્ટની કમિટી દ્વારા યોજાયેલી બેઠકમાં હાઇકોર્ટ પરિસરને માઈક્રો કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યુ હતું.

મહત્વનું છે કે, ત્રણથી વધુ કોરોના પોઝિટિવ વ્યક્તિ કોઈ એક જગ્યા પરથી આવે ત્યારે તેને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. હાઇકોર્ટની રજીસ્ટ્રીએ કોરોના પોઝિટિવ વ્યક્તિની સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ-ક્વોરન્ટાઇન અને ડોક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો હતો.

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં સોમવારથી 15 બેન્ચ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ 15 બેન્ચ પૈકી 3 ડિવિઝન બેન્ચ જ્યારે અન્ય 10 સિંગલ બેન્ચ રહેશે. 10મી જુલાઈથી 17મી જુલાઈ સુધી મુલતવી રહેલી તમામ કેસની અરજીઓ પર આ સપ્તાહ દરમિયાન સુનાવણી હાથ ધરાશે. ગત સપ્તાહ દરમિયાન હાઈકોર્ટના 17 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટ પરિસરને માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો હતું અને 17મી જૂલાઈ સુધી હાઈકોર્ટમાં અરજન્ટ મેટરની સુનાવણી હાથ ધરાઈ હતી.

ગુજરાત હાઈકોર્ટમાં ગત સોમવારે ફરીવાર નવા 10 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા હાઈકોર્ટના કોરોના પોઝિટિવ કર્મચારીઓની કુલ સંખ્યા 17 થઈ હતી. હાઈકોર્ટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો હતો. હાઇકોર્ટ કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યાના 5થી 6 દિવસ બાદ હાઈકોર્ટમાં ફરીવાર 27 બેન્ચ સમક્ષ ઓનલાઈન સુનાવણી શરૂ કરાઈ હતી. હાઇકોર્ટના કુલ સાત કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચીફ જસ્ટિસના નિર્દેશથી તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં, ત્યારબાદ ફરીવાર સુનાવણી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

4 જુલાઈના રોજ હાઈકોર્ટના નવા 6 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 7મી જુલાઈના રોજ મોડી સાંજે હાઈકોર્ટની 8 જુલાઈથી 10 જૂલાઈ સુધીની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. જેના ભાગરૂપે હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે અને વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ એવા બેનર મુકવામાં આવ્યા હતાં. હાઈકોર્ટના મુખ્ય દ્વાર બહાર આવા પોસ્ટર લગાડવામાં આવ્યા હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઇકોર્ટની કમિટી દ્વારા યોજાયેલી બેઠકમાં હાઇકોર્ટ પરિસરને માઈક્રો કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યુ હતું.

મહત્વનું છે કે, ત્રણથી વધુ કોરોના પોઝિટિવ વ્યક્તિ કોઈ એક જગ્યા પરથી આવે ત્યારે તેને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. હાઇકોર્ટની રજીસ્ટ્રીએ કોરોના પોઝિટિવ વ્યક્તિની સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ-ક્વોરન્ટાઇન અને ડોક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.