ETV Bharat / state

પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકીએ મેળવ્યા 97.72 પર્સન્ટાઈલ - Smit Chauhan

અમદાવાદઃ ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થઇ ગયા છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે પાંચ વર્ષ પહેલા પિતાને ગુમાવનાર બાળકીએ 97.72 પર્સન્ટાઇલ મેળવીને અદભુત સફળતા હાંસલ કરી છે.

અમદાવાદ
author img

By

Published : May 25, 2019, 11:21 PM IST

Updated : May 25, 2019, 11:27 PM IST

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદમાં લેઉવા કરિશ્મા ધર્મેન્દ્ર કુમાર નામની બાળકીએ 97.72 પર્સેન્ટાઇલ અને 83 ટકા મેળવ્યા છે. કરિશ્માએ પોતાના પિતાની છત્રછાયા પાંચ વર્ષ પહેલાં જ ગુમાવી દીધી હતી. તેના પિતાને બ્રેઇન ટ્યુમર હતું, જેના કારણે 2014માં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેણીની માતા એ જ તેનો ઉછેર કર્યો તેને ભણવામાં મદદ કરી અને પૂરતી સહાય કરી હતી અને આજે આટલું સારૂં પરિણામ આવ્યા બાદ કરિશ્મા તેની સફળતાનો બધો શ્રેય તેની માતાને આપ્યો હતો.

પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકીએ પરીક્ષામાં 97.72 પર્સન્ટાઈલ મેળવ્યા

કરિશ્માની માતા વર્ષાબેન ધર્મેન્દ્રકુમારએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, પતિને ગુમાવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં પ્રાઇવેટ જોબ કરી, ઓછા પગારમાં કામ કરી બાળકોના ભવિષ્ય માટે તેમણે અથાગ મહેનત કરી હતી અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની કાળજી લીધી હતી. પતિ વિના ઘર સંભાળવું મુશ્કેલ હોય છે, ત્યારે બાળકોને ભણાવવું અને આગળ વધારવું તેમના માટે કઠિન રહ્યું હતું. તેમ છતાં તેમણે હાર ન માની હતી અને તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેનો પ્રયત્ન કર્યો હતો. તેમણે અન્ય વાલીઓને પણ મેસેજ આપ્યો હતો કે, કોઈ પણ ભોગે બાળકોને ભણતા ન અટકાવા જોઈએ માટે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ મહેનત કરી બાળકોને ભણાવવા જોઈએ. એક દિવસ બાળકો તમારૂં નામ જરૂર રોશન કરશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદમાં લેઉવા કરિશ્મા ધર્મેન્દ્ર કુમાર નામની બાળકીએ 97.72 પર્સેન્ટાઇલ અને 83 ટકા મેળવ્યા છે. કરિશ્માએ પોતાના પિતાની છત્રછાયા પાંચ વર્ષ પહેલાં જ ગુમાવી દીધી હતી. તેના પિતાને બ્રેઇન ટ્યુમર હતું, જેના કારણે 2014માં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેણીની માતા એ જ તેનો ઉછેર કર્યો તેને ભણવામાં મદદ કરી અને પૂરતી સહાય કરી હતી અને આજે આટલું સારૂં પરિણામ આવ્યા બાદ કરિશ્મા તેની સફળતાનો બધો શ્રેય તેની માતાને આપ્યો હતો.

પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકીએ પરીક્ષામાં 97.72 પર્સન્ટાઈલ મેળવ્યા

કરિશ્માની માતા વર્ષાબેન ધર્મેન્દ્રકુમારએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, પતિને ગુમાવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં પ્રાઇવેટ જોબ કરી, ઓછા પગારમાં કામ કરી બાળકોના ભવિષ્ય માટે તેમણે અથાગ મહેનત કરી હતી અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની કાળજી લીધી હતી. પતિ વિના ઘર સંભાળવું મુશ્કેલ હોય છે, ત્યારે બાળકોને ભણાવવું અને આગળ વધારવું તેમના માટે કઠિન રહ્યું હતું. તેમ છતાં તેમણે હાર ન માની હતી અને તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેનો પ્રયત્ન કર્યો હતો. તેમણે અન્ય વાલીઓને પણ મેસેજ આપ્યો હતો કે, કોઈ પણ ભોગે બાળકોને ભણતા ન અટકાવા જોઈએ માટે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ મહેનત કરી બાળકોને ભણાવવા જોઈએ. એક દિવસ બાળકો તમારૂં નામ જરૂર રોશન કરશે.

Intro:ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થઇ ગયા હતા અને વહેલી સવારે આઠ વાગ્યાથી ઓફિશિયલ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ માટે પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા હતા ત્યારે ગુજરાતના અમદાવાદમાં અનેક પ્રેરણા દાયી કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે બ્રેઇન ટ્યૂમરથી પાંચ વર્ષ પહેલા પિતાને ગુમાવનાર બાળકીએ ૯૭.૭૨ ટકા પર્સન્ટાઇલ મેળવીને અદભુત સફળતા હાંસલ કરી છે


Body:ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં અમદાવાદમાં લેઉવા કરિશ્મા ધર્મેન્દ્ર કુમાર નામની બાળકીએ ૯૭.૭૨ પર્સેન્ટાઇલ અને ૮૩ ટકા મેળવ્યા છે કરિશ્મા એ પોતાના પિતાની છત્રછાયા પાંચ વર્ષ પહેલાં જ ગુમાવી દીધી હતી તેના પિતાને બ્રેઇન ટ્યુમર હતું જેના કારણે 2014માં તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ તેણીની માતા એ જ તેનો ઉછેર કર્યો તેને ભણવામાં મદદ કરી અને પુરતી સહાય કરી હતી અને આજે આટલું સારું પરિણામ આવ્યા બાદ કરિશ્મા તેની સફળતાનો બધો શ્રેય તેની માતાને આપ્યો હતો

કરિશ્મા ની માતા વર્ષાબેન ધર્મેન્દ્રકુમાર એ એટલી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પતિને ગુમાવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં પ્રાઇવેટ જોબ કરી ઓછા પગારમાં પણ કામ કરી બાળકોના ભવિષ્ય માટે તેમણે અથાગ મહેનત કરી હતી અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની કાળજી લીધી હતી અને પતિ વિના દરેક ઘર સંભાળવું મુશ્કેલ હોય છે ત્યારે બાળકોને ભણાવવું અને આગળ વધારવું તેમના માટે કઠિન રહ્યું હતું તેમ છતાં તેમણે હાર ન માની હતી અને તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને તેનો પ્રયત્ન કર્યો હતો તેમણે અન્ય વાલીઓને પણ એ મેસેજ આપ્યો હતો કે કોઈ પણ ભોગે બાળકોનું ભવિષ્ય પર લગાવી ન શકાય જે માટે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ મહેનત કરી બાળકોને ભણાવવા જોઈએ એક દિવસ બાળકો તમારું નામ જરૂર પસંદ કરશે


Conclusion:12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં જેમાંથી ભવિષ્યમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે ત્યારે લેઉવા કરિશ્મા ધર્મેન્દ્ર કુમારનો આ કિસ્સો પણ એક માતાની પ્રાર્થના અને અથાક પરિશ્રમ તથા બાળકીના મનોબળને યથાર્થ કરે છે અને અનેકોને પ્રેરણા પૂરી પાડે છે.

byte 1 લેઉવા કરિશ્મા ધર્મેન્દ્રકુમાર
byte 2 લેઉવા વર્ષા ધર્મેન્દ્રકુમાર, માતા
Last Updated : May 25, 2019, 11:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.