ETV Bharat / state

વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે ST વિભાગને બે દિવસમાં 25 લાખનું નુકસાન

author img

By

Published : Jun 14, 2019, 6:16 PM IST

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારે વાયુ નામનું વાવાઝોડું 13 અને 14 જૂને ત્રાટકવાનું હતું. જેને લઇને ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવ્યા હતા. આ સાવચેતીના પગલા રૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના તમામ ST ડેપો પરથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસોને રદ કરવામાં આવી હતી. જેને લઇને છેલ્લા બે દિવસમાં ST વિભાગને કુલ 25 લાખ જેટલું નુકશાન થયુ છે.

ST વિભાગને બે દિવસમાં 25 લાખનું નુકસાન

ST વિભાગને નુકશાન અંગેની જાણકારી આપતા GSRTCના એમ.ડી. સોનલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર જતી તમામ બસોને રદ કરવામાં આવી હતી. આમ છેલ્લા બે દિવસમાં કુલ 4443 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેને કારણે કુલ 18.50 લાખનું નુકશાન થયું છે. જ્યારે મુસાફરો દ્વારા અગાઉ કરાયેલા રીર્ઝવેશન પણ રદ કરવામાં આવ્યા હતા.

ST વિભાગ દ્વારા તમામ મુસાફરોને ઓનલાઇન રીપેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. એક પણ મુસાફરોનુ પેમેન્ટ રોકવામાં આવ્યુ નથી. જે રીઝર્વેશન રદ કરવામાં આવ્યું હતું, તે તમામ મુસાફરોને ટીકીટની પરત ચૂકવણી કરવામાં આવી છે. આમ રીઝર્વેશનમાં કુલ 7.5 લાખનું પેમેન્ટ મુસાફરોને આપવામાં આવ્યું છે. આમ છેલ્લા બે દિવસમાં ST વિભાગને કુલ 25 લાખ જેટલું નુકશાન થયુ છે.

જ્યારે ST વિભાગની બસોને રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દિવસમાં વાયુ ચક્રવાતથી બચવા માટે કુલ 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ST વિભાગને નુકશાન અંગેની જાણકારી આપતા GSRTCના એમ.ડી. સોનલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર જતી તમામ બસોને રદ કરવામાં આવી હતી. આમ છેલ્લા બે દિવસમાં કુલ 4443 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેને કારણે કુલ 18.50 લાખનું નુકશાન થયું છે. જ્યારે મુસાફરો દ્વારા અગાઉ કરાયેલા રીર્ઝવેશન પણ રદ કરવામાં આવ્યા હતા.

ST વિભાગ દ્વારા તમામ મુસાફરોને ઓનલાઇન રીપેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. એક પણ મુસાફરોનુ પેમેન્ટ રોકવામાં આવ્યુ નથી. જે રીઝર્વેશન રદ કરવામાં આવ્યું હતું, તે તમામ મુસાફરોને ટીકીટની પરત ચૂકવણી કરવામાં આવી છે. આમ રીઝર્વેશનમાં કુલ 7.5 લાખનું પેમેન્ટ મુસાફરોને આપવામાં આવ્યું છે. આમ છેલ્લા બે દિવસમાં ST વિભાગને કુલ 25 લાખ જેટલું નુકશાન થયુ છે.

જ્યારે ST વિભાગની બસોને રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દિવસમાં વાયુ ચક્રવાતથી બચવા માટે કુલ 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

R_GJ_AHD_03_14_JUN_2019_ST_DEPARTMENT_LOSS_VAYU_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD


કેટેગરી- ટોપ ન્યુઝ, રાજ્ય


હેડિંગ- વાયુ ચક્રાવત- બે દિવસમાં એસટી વિભાગને 25 લાખનુ નુકશાન, કુલ 4443 ટ્રીપ રદ


અમદાવાદ-
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારે વાયુ નામનુ વાવાઝોડુ તારીખ 13 અને 14 જૂનના રોજ ત્રાટકવાનુ હતુ. જેને લઇને ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવ્યા હતા. સાવચેતીના પગલા રૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના તમામ એસટી ડેપો પરથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસોને રદ કરવામાં આવી હતી. જેને લઇને છેલ્લા બે દિવસમાં એસટી વિભાગને કુલ 25 લાખ જેટલુ નુકશાન થયુ છે. 
એસટી વિભાગને નુકશાન અંગેની જાણકારી આપતા જીએસઆરટીસીના એમડી સોનલ મિશ્રાએ ઈટીવી ભારતને જણાવ્યુ હતુ કે ગુજરાતમાં વાયુ વાવાઝોને કારણે સૌરાષ્ટ્ર જતી તમામ બસોને રદ કરવામાં આવી હતી. આમ છેલ્લા બે દિવસમાં કુલ 4443 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેને કારણે કુલ 18.50 લાખનુ નુકશાન થયુ છે. જ્યારે મુસાફરો દ્વારા આગાઉ કરાયેલા રીર્ઝવેશન પણ રદ કરવામાં આવ્યા હતા. જેમાં એસટી વિભાગ દ્વારા તમામ મુસાફરોને ઓનલાઇન રીપેમેન્ટ કરી દેવામાં આવ્યુ છે. એક પણ મુસાફરોનુ પેમેન્ટ રોકવામાં આવ્યુ નથી. જે રીઝર્વેશન રદ કરવામાં આવ્યુ હતુ તે તમામ મુસાફરોને ટીકીટની પરત ચૂકવણી કરવામાં આવી છે. આમ રીઝર્વેશનમાં કુલ 7.5 લાખનુ પેમેન્ટ મુસાફરોને આપવામાં આવ્યુ છે. આમ છેલ્લા બે દિવસમાં એસટી વિભાગને કુલ 25 લાખ જેટલુ નુકશાન થયુ છે. 
જ્યારે એસટી વિભાગની બસો દ્વારા રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાંથી સુરક્ષિત વિસ્તારમાં ખસેડવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારે છેલ્લા બે દિવસમાં વાયુ ચક્રવાતથી બચવા માટે કુલ 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.