અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના સૈથી વધુ પોઝિટિવ કેસ જોવા મળે છે. જેથી શહેરમાં 3 મે સુધી કોઈ પણ આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો નહીં ખુલે તેવું મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતુ.
રાજ્ય સરકારે નાની દુકાનોને ખોલવાની પરવાનગી આપી હતી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ 3 મે સુધી દુકાનો નહીં ખોલવાની માહિતી પત્રકાર પરિષદમાં આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, અમદાવાદમાં જીવન જરૂરિયાત સિવાયની કોઈ દુકાન 3 મે પહેલા નહીં ખુલે. લોકડાઉનની સ્થિતિ 3 મે સુધી યથાવત જ રહેશે.
વેપારી એસોસિએશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરસ્પર ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.