ETV Bharat / state

ખાનગી શાળાઓ ફી માટે માસિક અથવા નાના હપ્તાની વ્યવસ્થા કરેઃ હાઈકોર્ટ

author img

By

Published : Aug 5, 2020, 5:29 PM IST

શાળાઓ ફરીવાર ફિઝિકલ સ્વરૂપમાં ન ખુલે ત્યાં સુધી સંચાલકો ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી વસુલી શકશે નહીં. જો કે, હાઈકોર્ટે વાલીઓને રાહત મળી રહે એ માટે શાળાઓને માસિક અથવા હપ્તાના સ્વરૂપમાં ફી વસૂલવાની કોઈ વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, આર્થિક તંગી વચ્ચે શાળાઓએ કેટલાક મહિનાઓ સુધી નફો કર્યા વગર જ સંસ્થા ચલાવી પડશે.

ખાનગી શાળાઓ ફી માટે માસિક અથવા નાના હપ્તાની વ્યવસ્થા કરેઃ હાઈકોર્ટ
ખાનગી શાળાઓ ફી માટે માસિક અથવા નાના હપ્તાની વ્યવસ્થા કરેઃ હાઈકોર્ટ

અમદાવાદઃ અગાઉ હાઇકોર્ટે કોઈપણ પ્રકારની ફી ન વસૂલવાના શિક્ષણ વિભાગના ઠરાવમાં ફી ન વસૂલવા મુદ્દે ચોથો ક્લોસને રદ્દ જાહેર કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આપેલ આદેશમાં જણાવ્યું કે, ટ્યુશન ફી મુદ્દે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવે. હાઈકોર્ટનું અવલોકન છે કે ઠરાવમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલન જળવાવું જોઈએ.

આ મુદ્દે વાતચીત કરતા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે અમે શાળા અને વાલીઓ સાથે બેઠક કરી ટૂંક સમયમાં મધ્યસ્થી નિણર્ય લઈશું. આ અંગેનો નવો પણ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ફી મુદ્દે નવો નિણર્ય લેવામાં આવે, ત્યાં સુધી શિક્ષણ પ્રવૃત્તિ અટકવી ન જોઈએ. એટલે ઓનલાઈન શિક્ષણ પ્રવૃત્તિ જારી રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ચૂકાદા બાદ હવે શાળા અને સરકાર વચ્ચે બેઠક થઈ શકે છે, જેમાં ફી કેટલાક પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકાય છે, તેવું સુત્રો દ્વારા હાલ જાણવા મળ્યું છે.

ખાનગી શાળાઓ ફી માટે માસિક અથવા નાના હપ્તાની વ્યવસ્થા કરેઃ હાઈકોર્ટ

નોંધનીય છે કે, ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે, જો રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે તો આવી કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થાય નહીં. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, વાલીઓ કેમ ફી ભરી શકતા નથી. જેના જવાબમાં સરકારે કહ્યું કે આર્થિક સમસ્યાને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને ઉધડો લેતા કહ્યું કે, જો વાલીઓ પાસે સ્કૂલની ફી ભરવાના પૈસા નથી, તો રાજ્ય સરકાર તેમની મદદ કેમ કરતી નથી. સરકાર સુવિધાઓ પુરી પાડી શકી નથી ત્યારે જ ખાનગી શાળાઓ શરૂ થઈ છે.

કોરોનાના કારણે કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી ફી સામે વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી બાદ શિક્ષણ વિભાગ તરફે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ શાળાઓ બંધ છે. જ્યાં સુધી ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસુલી શકશે નહિ. જે વાલીઓએ ફી ભરી દીધી છે. એ શાળા શરૂ થશે ત્યારે સરભર કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે.

લોકડાઉનના સમયગાળામાં જે વિધાર્થીઓએ વૈક્લિપક સુવિધા/પ્રવૃતિઓનો લાભ લીધો છે એ માટે ફીની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ જે શાળાઓ સેવા આપતી નથી તે શાળા કોઈપણ પ્રકારની ફી વસુલી શકશે નહિ. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓ ફી વધારો કરી શકશે નહિ. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા બાળકોને શાળા હાંકી શકશે નહિ.

નોંધનીય છે કે લોકડાઉનના સમય દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેની સામે ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને વાલીઓ અને શાળાઓ વચ્ચે મધ્યહસ્થી બની નિણર્ય લેવાનો આદેશ કર્યો હતો. જોકે વાલીઓને બોજો ન થાય તેવો નિણર્ય લેવાની તાકીદ પણ કરી હતી. હાઈકોર્ટે 30મી જૂન સુધી વાલી ફી ન ભરે તો વિદ્યાર્થીનો એડમિશન રદ્દ ન કરવાનો આદેશ કર્યો હતો.

વાલીઓ વતી હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોરોનાના કારણે કરવામાં આવેલ લોકડાઉનને લીધે ધંધો-વેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે.

વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફીસમાંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફીસ માફ કરવામાં આવે, કારણે કે લોકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયા છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 30મી ઓગસ્ટ બાદ શાળા-કોલેજ શરૂ કરવાનો નિણર્ય લેશે.

અમદાવાદઃ અગાઉ હાઇકોર્ટે કોઈપણ પ્રકારની ફી ન વસૂલવાના શિક્ષણ વિભાગના ઠરાવમાં ફી ન વસૂલવા મુદ્દે ચોથો ક્લોસને રદ્દ જાહેર કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આપેલ આદેશમાં જણાવ્યું કે, ટ્યુશન ફી મુદ્દે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવે. હાઈકોર્ટનું અવલોકન છે કે ઠરાવમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલન જળવાવું જોઈએ.

આ મુદ્દે વાતચીત કરતા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે અમે શાળા અને વાલીઓ સાથે બેઠક કરી ટૂંક સમયમાં મધ્યસ્થી નિણર્ય લઈશું. આ અંગેનો નવો પણ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ફી મુદ્દે નવો નિણર્ય લેવામાં આવે, ત્યાં સુધી શિક્ષણ પ્રવૃત્તિ અટકવી ન જોઈએ. એટલે ઓનલાઈન શિક્ષણ પ્રવૃત્તિ જારી રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ચૂકાદા બાદ હવે શાળા અને સરકાર વચ્ચે બેઠક થઈ શકે છે, જેમાં ફી કેટલાક પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકાય છે, તેવું સુત્રો દ્વારા હાલ જાણવા મળ્યું છે.

ખાનગી શાળાઓ ફી માટે માસિક અથવા નાના હપ્તાની વ્યવસ્થા કરેઃ હાઈકોર્ટ

નોંધનીય છે કે, ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે, જો રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે તો આવી કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થાય નહીં. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, વાલીઓ કેમ ફી ભરી શકતા નથી. જેના જવાબમાં સરકારે કહ્યું કે આર્થિક સમસ્યાને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને ઉધડો લેતા કહ્યું કે, જો વાલીઓ પાસે સ્કૂલની ફી ભરવાના પૈસા નથી, તો રાજ્ય સરકાર તેમની મદદ કેમ કરતી નથી. સરકાર સુવિધાઓ પુરી પાડી શકી નથી ત્યારે જ ખાનગી શાળાઓ શરૂ થઈ છે.

કોરોનાના કારણે કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી ફી સામે વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી બાદ શિક્ષણ વિભાગ તરફે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ શાળાઓ બંધ છે. જ્યાં સુધી ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસુલી શકશે નહિ. જે વાલીઓએ ફી ભરી દીધી છે. એ શાળા શરૂ થશે ત્યારે સરભર કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે.

લોકડાઉનના સમયગાળામાં જે વિધાર્થીઓએ વૈક્લિપક સુવિધા/પ્રવૃતિઓનો લાભ લીધો છે એ માટે ફીની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ જે શાળાઓ સેવા આપતી નથી તે શાળા કોઈપણ પ્રકારની ફી વસુલી શકશે નહિ. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓ ફી વધારો કરી શકશે નહિ. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા બાળકોને શાળા હાંકી શકશે નહિ.

નોંધનીય છે કે લોકડાઉનના સમય દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેની સામે ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને વાલીઓ અને શાળાઓ વચ્ચે મધ્યહસ્થી બની નિણર્ય લેવાનો આદેશ કર્યો હતો. જોકે વાલીઓને બોજો ન થાય તેવો નિણર્ય લેવાની તાકીદ પણ કરી હતી. હાઈકોર્ટે 30મી જૂન સુધી વાલી ફી ન ભરે તો વિદ્યાર્થીનો એડમિશન રદ્દ ન કરવાનો આદેશ કર્યો હતો.

વાલીઓ વતી હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોરોનાના કારણે કરવામાં આવેલ લોકડાઉનને લીધે ધંધો-વેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે.

વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફીસમાંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફીસ માફ કરવામાં આવે, કારણે કે લોકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયા છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 30મી ઓગસ્ટ બાદ શાળા-કોલેજ શરૂ કરવાનો નિણર્ય લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.