ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમનું લોકર પોલીસે ગેસ કટરથી તોડવું પડ્યુ, દાગીના અને મોબાઈલ મળી આવ્યા - latest news nityanand case

અમદાવાદ: વિવાદિત નિત્યાનંદ આશ્રમ કેસમાં સંચાલિકાઓની ધરપકડ બાદ પોલીસે આશ્રમમાંથી મળેલાં ડિઝિટલ લોકરનો પાસર્વડ માગ્યો હતો. પરંતુ સંચાલિકાએ પાસવર્ડ આપવાની ના પાડી હતી. ત્યારબાદ પોલીસે ગેસ કટરથી લોકરથી તોડ્યું હતું.  જેમાંથી દાગીના અને 6 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે આ તમામ વસ્તુઓ FSL માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

નિત્યાનંદ આશ્રમ કેસ
author img

By

Published : Nov 25, 2019, 11:02 AM IST

શહેરના હાથીજણ પાસે આવેલાં નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગૂમ થવાને મામલે SITએ તપાસ કરાઈ હતી. જેમાં બે બાળકને આશ્રમમાં ગોંધી રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલે પોલીસે આશ્રમની મુખ્ય સંચાલિકા પ્રાણપ્રિયા અને સહસંચાલિકા પ્રિયાતત્વની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે પ્રાણપ્રિયાના રૂમમાંથી મળેલું ડિઝિટલ લોકર કબજે કર્યુ હતું. જેના પાસવર્ડ અંગે પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ પોલીસે લોકર તોડી નાખ્યું હતું. જેમાંથી રૂપિયા 1,169ના દાગીના અને 6 મોબાઈલ મળી આવ્યાં હતા. આ તમામ વસ્તુઓને પોલીસે FSL તપાસ માટે મોકલી આપી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

શહેરના હાથીજણ પાસે આવેલાં નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગૂમ થવાને મામલે SITએ તપાસ કરાઈ હતી. જેમાં બે બાળકને આશ્રમમાં ગોંધી રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલે પોલીસે આશ્રમની મુખ્ય સંચાલિકા પ્રાણપ્રિયા અને સહસંચાલિકા પ્રિયાતત્વની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે પ્રાણપ્રિયાના રૂમમાંથી મળેલું ડિઝિટલ લોકર કબજે કર્યુ હતું. જેના પાસવર્ડ અંગે પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ પોલીસે લોકર તોડી નાખ્યું હતું. જેમાંથી રૂપિયા 1,169ના દાગીના અને 6 મોબાઈલ મળી આવ્યાં હતા. આ તમામ વસ્તુઓને પોલીસે FSL તપાસ માટે મોકલી આપી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ:ચકચારી નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓની ધરપકડ બાદ કબજે કરાયેલા ડિજિટલ લોકરનો પાસવર્ડ સંચાલિકાએ પોલીસને ન આપતા પોલીસે આ લોકરને ગેસ કટરથી કાપ્યું હતું. ત્યાર બાદ આ લોકરમાંથી 1196 રૂપિયા, જ્વેલરી અને 6 મોબાઈલ મળી આવ્યા હતા. આ તમામ વસ્તુ એફએસએલમાં મોકલવામાં આવી છે.મોબાઈલ લોકરમાંથી મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.Body:શહેરના હાથીજણ પાસેના નિત્યાનંદના આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલે SITએ તપાસમાં આશ્રમના બે બાળકોએ આશ્રમમાં ગોંધી રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેના આધારે પોલીસે આશ્રમની મુખ્ય સંચાલિકા પ્રાણપ્રિયા અને સહસંચાલિકા પ્રિયાતત્ત્વાની ધરપકડ કરી હતી. પોલીસના તપાસ દરમિયાન પ્રાણપ્રિયાના રૂમમાંથી ડિજિટલ લોકર કબજે કરાયું હતું. લોકરનો પાસવર્ડ જાણવા પોલીસે પ્રાણપ્રિયાની પૂછપરછ કરી હતી, જો કે તેણે પાસવર્ડ આપ્યો નહોતો.જેથી પોલીસ લોકર તોડી નાખ્યું હતું...

પોલીસના જણાવ્યા અનુસાર પ્રાણપ્રિયાના ડિજિટલ લોકરમાં એક ફોન અને કેટલાક ડોક્યુમેન્ટ હોવાનું તેણે પૂછપરછમાં કબૂલ્યું છે. ડિજિટલ લોકરને ગેસ કટરથી કાપી અંદરથી 6 ફોન,દાગીના કબજે લેવામાં આવ્યા છે જેની તપાસ કરવામાં આવી રહી છે.ઉપરાંત પ્રાણપ્રિયાના ફોનનાં કોલ ડિટેઇલ્સની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે અનેક લોકોના સંપર્ક ઉપરાંત અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવી સંભાવના છે.

નોંધ- ફોટો વિડિઓ મળ્યા નથી માત્ર અગાઉ મોકલેલા ચલાવવા વિનંતી..Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.