અમદાવાદ: સ્કૂલોમાં 25 ટકા ફી માફીની જાહેરત કરવામાં (Announcement of school fee waiver)આવી હતી પરંતુ તેનો અમલ થયો નથી જેને લઈને NSUI દ્વારા વિરોધ (Opposition to NSUI in Ahmedabad )કરવામાં આવી રહયો છે. NSUI દ્વારા આજે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ફોટા પર પૈસાનો હાર પહેરાવી વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો છે કે શિક્ષણપ્રધાન ખાનગી સંચાલકો માટે જ છે.
નકલી નોટોનો હાર પહેરાવ્યો
વસ્ત્રાપુર DEO કચેરી ખાતે NSUI ના કાર્યકરો એ સાથે મળીને 25 ટકા ફી માફી માટે વિરોધ કર્યો હતો. NSUI દ્વારા શિક્ષણપ્રધાન જીતુ વઘાણી જ ફોટા સાથે રેલી કાઢવામાં આવી હતી જે બાદ શિક્ષણપ્રધાનના ફોટા પર 2000ની નકલી નોટોનો હાર પહેરાવ્યો હતો. ખાનગી શાળા સંચાલકોને ખાનગી શિક્ષણપ્રધાનના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને 25 ટકા ફી માફી માટે માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ School Fee Hike : સ્કૂલ સંચાલકો સંપૂર્ણ ફી ઉઘરાવતા હોવાની રાવ સાથે વડોદરા NSUIનો વિરોધ
નવા શિક્ષણપ્રધાન દ્વારા ફી માફી કરવામાં આવી નથી
આ અંગે NSUI ના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે પૂર્વ શિક્ષણપ્રધાન જાહેરાત કરી છે છતાં નવા શિક્ષણપ્રધાન દ્વારા ફી માફી કરવામાં આવી નથી ઉપરાંત ફી માં વધારો આપવામાં આવ્યો જેથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણપ્રધાન ખાનગી સંચાલકોને છે. અમારી માંગણી છે કે ફીમાં 25 ટકા ઘટાડો કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.