ETV Bharat / state

ETV Exclusive: ગુજરાતમાં જળસંકટ, 17 વર્ષ બાદ નળસરોવર સુકાયું

author img

By

Published : May 1, 2019, 10:16 PM IST

અમદાવાદઃ કાળઝાળ ઉનાળાની અસર હવે નળસરોવર પર જોવા મળી છે. 120.82 ચો કિ.મીના વિસ્તારમાં ફેલાયેલું નળ સરોવર આખરે સુકાઇ ગયું છે. અંદાજે બે મહિનાથી નળસરોવર પાણી વિહીન બની ગયું છે. નળસરોવર સુકાતાં આજુ-બાજુના 12 ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ઈ ટીવી ભારતે જ્યારે નળસરોવરની પ્રત્યક્ષ મુલાકાત લીધી ત્યારે નળસરોવર સુકુભઠ્ઠ પડયું હતું. બારેય માસ લીલુઝમ રહેતું નળસરોવર સાવ સુકાઈ જતાં પર્યાવરણપ્રેમીઓ ચિંતામાં પડી ગયા છે. આ એ જ નળસરોવર છે, જ્યાં દેશ-વિદેશના અનેક પક્ષીઓ ખુબ મોટી સંખ્યામાં આવતા હોય છે અને નળસરોવરની ભવ્યતામાં પક્ષીઓ વધારો કરે છે, ત્યારે આજે નળસરોવર સુકાઈ જતાં પક્ષીપ્રેમીઓ નિરાશ થયા છે.

ETV Exclusive

એક તરફ ગુજરાત સરકાર પાણી માટે સબ સલામત હોવાનો દાવો કરી રહી છે, પણ ગ્રાઉન્ડ પર કંઈક અલગ જ તસવીર જોવા મળી રહી છે. નળસરોવર સુકાતાં પ્રવાસીઓ માટે જાહેરનામું તૈયાર કરાયું છે, ત્યારે અત્યારે કોઈ પ્રવાસી પણ અહીંયા આવે તો તેને નળસરોવરનો કુદરતી નજારો જોવા નહીં મળે. અત્યારે નળ સરોવર બંજર હાલતમાં છે, એક સમયે આ તળાવમાં પાણી ઉપર બેસેલા દેશ-વિદેશના પક્ષીઓનો કલરવ અને કુદરતી સૌંદર્ય જોવા મળતું હતું.

નળ સરોવરથી ETV BHARATનો રિપોર્ટ

વર્ષ 2002 બાદ નળસરોવર સુકાયું છે, ત્યારે 300 લાયસન્સ ધારક નાવડીઓ ચલાવતાં અને પોતાની રોજીરોટી મેળવતાં લોકોનો રોજગાર ઠપ થઈ ગયો છે. તમને જણાવી દઇએ કે, ચોમાસામાં નળસરોવરમાં સરેરાશ 7થી 8 ફૂટ પાણી હોય છે, પરંતુ આ વખતે ઓછાં વરસાદનાં કારણે ચોમાસામાં પણ નળસરોવરનાં માત્ર 2થી 3 ફૂટ પાણી હતું. જે અત્યારે બિલકુલ રહ્યું નથી. નળ સરોવર એ ગુજરાત રાજ્યનાં અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી-૪ હેઠળ અને વનવિભાગનાં અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષિત એક વિશાળ સરોવર છે.

આ સરોવરની મહત્તમ ઉંડાઇ 2.7 મીટર છે, પરંતુ 60 ટકા કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એકથી સવા મીટર જેટલી છે, પરંતુ જળાશય 12,000 હેકટર જેટલી વિશાળતા ધરાવે છે. અહીં પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટીની નીચે વિવિધ વનસ્પતિ જોવાં મળે છે, ત્યારે ખોરાકની માત્રા અહીં વિપુલ પ્રમાણમાં હોવાથી પક્ષીઓ અહીં ખુબ મોટી સંખ્યામાં આવે છે, પણ આ વર્ષે નળસરોવર સુકાઈ ગયું છે, જેથી નળસરોવરની કુદરતી સુંદરતા જતી રહી છે. હવે આગામી ચોમાસું કેવું જશે તેના પર બધો આધાર છે.

એક તરફ ગુજરાત સરકાર પાણી માટે સબ સલામત હોવાનો દાવો કરી રહી છે, પણ ગ્રાઉન્ડ પર કંઈક અલગ જ તસવીર જોવા મળી રહી છે. નળસરોવર સુકાતાં પ્રવાસીઓ માટે જાહેરનામું તૈયાર કરાયું છે, ત્યારે અત્યારે કોઈ પ્રવાસી પણ અહીંયા આવે તો તેને નળસરોવરનો કુદરતી નજારો જોવા નહીં મળે. અત્યારે નળ સરોવર બંજર હાલતમાં છે, એક સમયે આ તળાવમાં પાણી ઉપર બેસેલા દેશ-વિદેશના પક્ષીઓનો કલરવ અને કુદરતી સૌંદર્ય જોવા મળતું હતું.

નળ સરોવરથી ETV BHARATનો રિપોર્ટ

વર્ષ 2002 બાદ નળસરોવર સુકાયું છે, ત્યારે 300 લાયસન્સ ધારક નાવડીઓ ચલાવતાં અને પોતાની રોજીરોટી મેળવતાં લોકોનો રોજગાર ઠપ થઈ ગયો છે. તમને જણાવી દઇએ કે, ચોમાસામાં નળસરોવરમાં સરેરાશ 7થી 8 ફૂટ પાણી હોય છે, પરંતુ આ વખતે ઓછાં વરસાદનાં કારણે ચોમાસામાં પણ નળસરોવરનાં માત્ર 2થી 3 ફૂટ પાણી હતું. જે અત્યારે બિલકુલ રહ્યું નથી. નળ સરોવર એ ગુજરાત રાજ્યનાં અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી-૪ હેઠળ અને વનવિભાગનાં અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષિત એક વિશાળ સરોવર છે.

આ સરોવરની મહત્તમ ઉંડાઇ 2.7 મીટર છે, પરંતુ 60 ટકા કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એકથી સવા મીટર જેટલી છે, પરંતુ જળાશય 12,000 હેકટર જેટલી વિશાળતા ધરાવે છે. અહીં પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટીની નીચે વિવિધ વનસ્પતિ જોવાં મળે છે, ત્યારે ખોરાકની માત્રા અહીં વિપુલ પ્રમાણમાં હોવાથી પક્ષીઓ અહીં ખુબ મોટી સંખ્યામાં આવે છે, પણ આ વર્ષે નળસરોવર સુકાઈ ગયું છે, જેથી નળસરોવરની કુદરતી સુંદરતા જતી રહી છે. હવે આગામી ચોમાસું કેવું જશે તેના પર બધો આધાર છે.

R_GJ_AHD_08_01_MAY_2019_NAL_SAROVAR_EXCLUSIVE_VIDEO_STORY_YASH_UPADHAYAY


ગુજરાતમાં જળસંકટઃ 17 વર્ષ બાદ નળસરોવર સુકાયું, ETV Bharatનો એક્સક્લૂઝિવ રીપોર્ટ

 

(નોંધ- આ સ્ટોરીના વિઝ્યુલ અને બાઈટ લાઈવ કિટથી મોકલ્યા છે અને આ સ્ટોરી સાથે ફોટા મોકલ્યા છે, તેમાંથી સારા ફોટા સ્ટોરીની ફીચર ઈમેજમાં મુકી શકાય)

--------------------------------------------

આ સ્ટોરીમાં ગુજરાતી બાઈટ સાથે હિન્દીમાં બાઈટ છે અને એક વોકથ્રુ પણ કરેલ છે, જે વોકથ્રુ ગુજરાતી અને હિન્દીમાં કરેલ છે....

-------------------------------------------------------------

 

અમદાવાદ- કાળઝાળ ઉનાળાની અસર હવે નળસરોવર પર જોવાં મળી છે. 120.82 ચો કિ.મીના વિસ્તારમાં ફેલાયેલું નળસરોવર આખરે સુકાઇ ગયું છે. અંદાજે બે મહિનાથી નળસરોવર પાણી વિહીન બની ગયું છે. નળસરોવર સુકાતાં આજુબાજુના 12 ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.

 

ઈ ટીવી ભારતે જ્યારે નળસરોવરની પ્રત્યક્ષ મુલાકાત લીધી ત્યારે નળસરોવર સુકુભઠ્ઠ પડયું હતું. બારેય માસ લીલુઝમ રહેતું નળસરોવર સાવ સુકાઈ જતાં પર્યાવરણપ્રેમીઓ ચિંતામાં પડી ગયા છે. આ એ જ નળસરોવર છે, જ્યાં દેશ વિદેશના અનેક પક્ષીઓ ખુબ મોટી સંખ્યામાં આવતા હોય છે. અને નળસરોવરની ભવ્યતામાં પક્ષીઓ વધારો કરે છે, ત્યારે આજે નળસરોવર સુકાઈ જતાં પક્ષીપ્રેમીઓ નિરાશ થયા છે.

 

એક તરફ ગુજરાત સરકાર પાણી માટે સબ સલામત હોવાનો દાવો કરી રહી છે, પણ ગ્રાઉન્ડ પર કંઈક અલગ જ તસ્વીર જોવા મળી રહી છે. 


નળસરોવર સુકાતાં પ્રવાસીઓ માટે જાહેરનામું તૈયાર કરાયું છે, ત્યારે અત્યારે કોઈ પ્રવાસી પણ અહીંયા આવે તો તેને નળસરોવરનો કુદરતી નજારો જોવા નહિ મળે. અત્યારે નળ સરોવર બંજર હાલતમાં છે, એક સમય આ તળાવ કે જ્યાં પાણી ઉપર બેસેલા દેશ વિદેશના પક્ષીઓનો કલરવ અને એક કુદરતી સૌંદર્ય જોવા મળતું હતું. 2002 બાદ નળસરોવર સુકાયું છે, ત્યારે300 લાયસન્સ ધારક નાવડીઓ ચલાવતાં અને પોતાની રોજીરોટી મેળવતાં લોકોનો રોજગાર ઠપ થઈ ગયો છે. તમને જણાવી દઇએ કે ચોમાસામાં નળસરોવરમાં સરેરાશ 7થી ફૂટ પાણી હોય છે. પરંતુ આ વખતે ઓછાં વરસાદનાં કારણે ચોમાસામાં પણ નળસરોવરનાં માત્ર 2થી ફૂટ પાણી હતું. જે અત્યારે બિલકુલ રહ્યું નથી.

 

નળ સરોવરએ ગુજરાત રાજ્યનાં અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગનાં અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષિત એક વિશાળ સરોવર છે.

 

આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે, પરંતુ 60 ટકા કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એકથી સવા મીટર જેટલી છે. પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલી વિશાળતા ધરાવે છે. અહીં પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટીની નીચે વિવિધ વનસ્પતિ જોવાં મળે છે. ત્યારે ખોરાકની માત્રા અહીં વિપુલ પ્રમાણમાં હોવાથી પક્ષીઓ અહીં ખુબ મોટી સંખ્યામાં આવે છે. પણ આ વર્ષે નળસરોવર સુકાઈ ગયું છે, જેથી નળસરોવરની કુદરતી સૌદર્યતા જતી રહી છે. હવે આગામી ચોમાસું કેવું જશે તેના પર બધો આધાર છે.

અમદાવાદથી કેમેરામેન મુકેશ ડોડિયા સાથે રીપોર્ટર યશ ઉપાધ્યાયનો વિશેષ અહેવાલ
બાઈટ- રણજીત કવેઠિયા
ઈનચાર્જ, વન વિભાગ, નળસરોવર


 

Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.