અમદાવાદ: કોયરબ આશ્રમ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (OCI) અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતીક છે, જેમણે તેને ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના પ્રતીક અને ગ્રામીણ ભારતને સશક્તિકરણના સાધન તરીકે લોકપ્રિય બનાવ્યું હતું. જક્ષય શાહ, ચેરપર્સન, QCI અને શ્રી મનોજ કુમાર, ચેરપર્સન, KVICની ઉપસ્થિતિમાં એમઓયુ કરવામાં આવ્યા હતા.
ક્વોલિટી & સસ્ટેનેબિલિટીનું પ્રતીક બનશે ખાદી: ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે 'મેડ ઈન ઈન્ડિયા' લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડબ્રેકિંગ સહયોગ શરૂ કર્યો, જે માનનીય વડાપ્રધાનનરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે. QCI અને KVIC વચ્ચેનો સહયોગ વિકસીત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કાલાતીત અપીલને જાળવી રાખે નહીં પણ ક્વોલિટી & સસ્ટેનેબિલિટીનું વૈશ્વિક પ્રતીક પણ બને.
OCI વિવિધ હસ્તક્ષેપ દ્વારા ખાદી અને ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરીને KVICને તેનો ટેકો આપશે, જેમાં થર્ડ પાર્ટી એસેસમેન્ટ ફ્રેમવર્ક કારીગરોને તેમની ઉત્પાદકતામાં સુધારો કરવા અને સંભવિત કમાણી કરવા અને ખાદી ઉત્પાદનોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા માટે ક્ષમતા નિર્માણ સહિત વિવિધ હસ્તક્ષેપો દ્વારા સશક્તિકરણનો સમાવેશ થાય છે.
ખાદીના વેચાણમાં થશે વધારો: આ ઉપરાંત, આ સહયોગ ખાદી માટે 'મેડ ઇન ઇન્ડિયા' લેબલ પણ રજૂ કરશે, જે સમગ્ર ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતીક તરીકે ખાદી ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર વધારો કરશે. વધુમાં તે ખાદી કારીગરો માટે તેમને ઉજાત કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરીને આવકમાં વધારો, વધુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સહિત, નવી રોજગારીની તકો સહિતના ઘણા ફાયદાઓ લાવશે.