ETV Bharat / state

કાંકરિયા ડિસ્કવરી રાઈડ કેસ: બે આરોપીઓના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ - હાઈકૉર્ટ

અમદાવાદઃ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાથી બે લોકોના મોતના કેસમાં મંગળવારે હાઈકોર્ટના જસ્ટીસ એ.જે દેસાઈએ રાઈડ ઓપરેટીંગ તરીકે કામ કરનાર બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલાના 10 હજારના બોન્ડ પર જામીન મંજુર કર્યા છે, જ્યારે અન્ય એક આરોપી ભાવેશ પટેલની જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

HIGH
author img

By

Published : Sep 3, 2019, 10:20 PM IST

આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જો કે, 3 આરોપી ભાવેશ પટેલ, કિશન મહંતી અને મનિષ વાઘેલાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી મુદે અગાઉ જસ્ટીસ વી.એમં પંચોલી રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

કાંકરિયા રાઈડના મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ, તુષાર ચોકસી સહિત 3 આરોપીઓની જામીન અરજી સુનાવણી હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. ઉલ્લેખનીય છે કે સેસન્શ કોર્ટ જજ વી.જે. કાલોતરા કેસના તમામ 6 આરોપીઓના જામીન ફગાવ્યા હતાં. બાદમાં આરોપીઓએ જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

આ દુર્ઘટના બાદ મણિનગર પોલીસે તમામ આરોપીઓ વિરૂધ આઈપીસીની કલમ 304 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જો કે, 3 આરોપી ભાવેશ પટેલ, કિશન મહંતી અને મનિષ વાઘેલાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી મુદે અગાઉ જસ્ટીસ વી.એમં પંચોલી રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

કાંકરિયા રાઈડના મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ, તુષાર ચોકસી સહિત 3 આરોપીઓની જામીન અરજી સુનાવણી હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. ઉલ્લેખનીય છે કે સેસન્શ કોર્ટ જજ વી.જે. કાલોતરા કેસના તમામ 6 આરોપીઓના જામીન ફગાવ્યા હતાં. બાદમાં આરોપીઓએ જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

આ દુર્ઘટના બાદ મણિનગર પોલીસે તમામ આરોપીઓ વિરૂધ આઈપીસીની કલમ 304 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Intro:કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાથી બે લોકોના મોત કેસમાં મંગળવારે હાઈકોર્ટના જસ્ટીસ એ.જે દેસાઈએ રાઈડ ઓપરેટીંગ તરીકે કામ કરનાર બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલાના 10 હજારના બોન્ડ પર જામીન મંજુર કર્યા છે જ્યારે અન્ય એક આરોપી ભાવેશ પટેલની જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે....Body:આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે જોકે 3 આરોપી ભાવેશ પટેલ, કિશન મહંતી અને મનિષ વાઘેલાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.. આ ત્રણેય આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી મુદે અગાઉ જસ્ટીસ વી.એમં પંચોલી રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો...

કાંકરિયા રાઈડના મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ, તુષાર ચોકસી સહિત 3 આરોપીઓની જામીન અરજી સુનાવણી હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે.. ઉલ્લેખનીય છે કે શેસન્સ કોર્ટ જજ વી.જે. કાલોતરા કેસના તમામ 6 આરોપીઓના જામીન ફગાવતા જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી...આ દુર્ઘટના બાદ મણિનગર પોલીસે તમામ આરોપીઓ વિરૂધ આઈપીસીની કલમ 304 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી..Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તુટી પડી હતી જેમાં આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી.. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આશરે 20 ફુટથી વધારે ઉંચાઈથી રાઈડની નીચે પટકાતા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી...આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.