આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જો કે, 3 આરોપી ભાવેશ પટેલ, કિશન મહંતી અને મનિષ વાઘેલાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી મુદે અગાઉ જસ્ટીસ વી.એમં પંચોલી રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.
કાંકરિયા રાઈડના મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ, તુષાર ચોકસી સહિત 3 આરોપીઓની જામીન અરજી સુનાવણી હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. ઉલ્લેખનીય છે કે સેસન્શ કોર્ટ જજ વી.જે. કાલોતરા કેસના તમામ 6 આરોપીઓના જામીન ફગાવ્યા હતાં. બાદમાં આરોપીઓએ જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
આ દુર્ઘટના બાદ મણિનગર પોલીસે તમામ આરોપીઓ વિરૂધ આઈપીસીની કલમ 304 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.