ETV Bharat / state

કાંકરિયા ડિસ્કવરી રાઈડ: હાઈકોર્ટે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા

અમદાવાદઃ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાથી બે લોકોના મોત કેસમાં ચાર્જશીટ દાખલ થઈ જતાં મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણ આરોપીઓના શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ વી.એમ પંચોલીએ જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે કાંકરિયા ડિસ્કવરી રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ, પુત્ર ભાવેશ પટેલ અને તુષાર ચોકસીના જામીન મંજૂર કરતા નોધ્યું હતું કે, આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે અને આરોપીઓના રાઈડ ચલાવવાના લાઈસન્સ પણ રદ કરી દેવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓ 15મી જુલાઈથી જેલમાં હોવાની નોંધ લેતા હાઈકોર્ટે આરોપીઓને 1 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

author img

By

Published : Nov 15, 2019, 11:38 PM IST

હાઈકોર્ટે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા

આ કેસના તમામ 6 આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે તેમને ચાર્જશીટ દાખલ કરાયા બાદ જામીન માટે અરજી દાખલ કરવાનો આદેશ કરતા 3 આરોપીઓ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસના અન્ય 3 આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતાં. હાઈકોર્ટે અગાઉ ડિસ્કવરી રાઈડમાં કર્મચારી અને ઓપરેટર તરીકે કામ કરતા 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતાં.

હાઈકોર્ટે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા
આ અગાઉ હાઈકોર્ટે મુખ્ય આરોપી રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર ચોકસી, અને ભાવેશ પટેલને હાઈકોર્ટે ચાર્જશીટ પછી જામીન અરજી દાખલ કરવાનું કહેતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બરે આ કેસના બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલા કે જેઓ ઓપરેટર તરીકે કામ કરતા હતા, તેમના જામીન મંજૂર કર્યા હતાં.આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જે પૈકી 3 આરોપીઓના જામીન મંજૂર થયા છે. જ્યારે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત અન્ય 3 આરોપીઓની જામીન અરજી પરત ખેંચાઈ છે. અગાઉ અમદાવાદ સેશન્સ કોર્ટના જજ વી.જે.કાલોતરાએ તમામ 6 આરોપીઓના જામીન ફગાવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત્ત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડી હતી. જેમાં આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી. સાક્ષીઓના જણાવ્યાં પ્રમાણે આશરે 20 ફૂટથી વધારે ઊંચાઈથી રાઈડની નીચે પટકાતાં લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદથી આકિબ છીપાનો અહેવાલ

આ કેસના તમામ 6 આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે તેમને ચાર્જશીટ દાખલ કરાયા બાદ જામીન માટે અરજી દાખલ કરવાનો આદેશ કરતા 3 આરોપીઓ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસના અન્ય 3 આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતાં. હાઈકોર્ટે અગાઉ ડિસ્કવરી રાઈડમાં કર્મચારી અને ઓપરેટર તરીકે કામ કરતા 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતાં.

હાઈકોર્ટે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા
આ અગાઉ હાઈકોર્ટે મુખ્ય આરોપી રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર ચોકસી, અને ભાવેશ પટેલને હાઈકોર્ટે ચાર્જશીટ પછી જામીન અરજી દાખલ કરવાનું કહેતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બરે આ કેસના બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલા કે જેઓ ઓપરેટર તરીકે કામ કરતા હતા, તેમના જામીન મંજૂર કર્યા હતાં.આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જે પૈકી 3 આરોપીઓના જામીન મંજૂર થયા છે. જ્યારે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત અન્ય 3 આરોપીઓની જામીન અરજી પરત ખેંચાઈ છે. અગાઉ અમદાવાદ સેશન્સ કોર્ટના જજ વી.જે.કાલોતરાએ તમામ 6 આરોપીઓના જામીન ફગાવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત્ત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડી હતી. જેમાં આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી. સાક્ષીઓના જણાવ્યાં પ્રમાણે આશરે 20 ફૂટથી વધારે ઊંચાઈથી રાઈડની નીચે પટકાતાં લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદથી આકિબ છીપાનો અહેવાલ

Intro:(આ સ્ટોરી ભરત સરે ચેક કરી છે, અને આ સ્ટોરી એક્ઝક્લૂસિવ છે, માટે બાયલાઈન આપવી- એપ્રુવ્ડ બાય ભરત પંચાલ)

અમદાવાદ- કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાથી બે લોકોના મોત કેસમાં ચાર્જશીટ દાખલ થઈ જતાં મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણ આરોપીઓના શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ વી.એમ પંચોલીએ જામીન મંજૂર કર્યા છે. Body:હાઈકોર્ટે કાંકરિયા ડિસ્કવરી રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ, પુત્ર ભાવેશ પટેલ અને તુષાર ચોકસીના જામીન મંજૂર કરતા નોધ્યું હતું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે અને આરોપીઓના રાઈડ ચલાવવાના લાઈસન્સ પણ રદ કરી દેવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓ 15મી જુલાઈથી જેલમાં હોવાની નોંધ લેતા હાઈકોર્ટે આરોપીઓને 1 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

આ કેસના તમામ 6 આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે તેમને ચાર્જશીટ દાખલ કરયા બાદ જામીન માટે અરજી દાખલ કરવાનો આદેશ કરતા 3 આરોપીઓ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસના અન્ય 3 આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. હાઈકોર્ટે અગાઉ ડિસ્કવરી રાઈડમાં કર્મચારી અને ઓપરેટર તરીકે કામ કરતા 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.

અગાઉ હાઈકોર્ટે મુખ્ય આરોપી રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર ચોકસી, અને ભાવેશ પટેલને હાઈકોર્ટે ચાર્જશીટ પછી જામીન અરજી દાખલ કરવાનું કહેતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 3 સપ્ટેમ્બરના રોજ આ કેસના બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલા કે જેઓ ઓપરેટર તરીકે કામ કરતા હતા, તેમના જામીન મંજૂર કર્યા હતા.

આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જે પૈકી 3 આરોપીઓના જામીન મંજૂર થયા છે. જ્યારે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત અન્ય 3 આરોપીઓની જામીન અરજી પરત ખેંચાઈ છે. અગાઉ અમદાવાદ સેશન્સ કોર્ટના જજ વી.જે કાલોતરાએ તમામ 6 આરોપીઓના જામીન ફગાવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડી હતી. જેમાં આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આશરે 20 ફૂટથી વધારે ઊંચાઈથી રાઈડની નીચે પટકાતાં લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદથી આકિબ છીપાનો અહેવાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.