ETV Bharat / state

Gujarat High Court: દુષ્કર્મ પીડિત સગીરાને પોતાના જોખમે ગર્ભપાતની મંજૂરી હાઈકોર્ટે આપી

છેલ્લા કેટલાય સમયથી બાળકીઓ તથા સગીરવયની યુવતીઓ પર દુષ્કર્મની ઘટનાઓ અંગે અવારનવાર સમાચાર મળતા સામે આવતા હોય છે. આવો જ એક બનાસકાંઠાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીર વયની યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવતા દીકરીને ગર્ભ રહી જતા તેના નિકાલ માટે દીકરીના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

author img

By

Published : Feb 18, 2023, 8:36 AM IST

Gujarat High Court: દુષ્કર્મ પીડિત સગીરાને પોતાના જોખમે ગર્ભપાતની મંજૂરી હાઈકોર્ટે આપી
Gujarat High Court: દુષ્કર્મ પીડિત સગીરાને પોતાના જોખમે ગર્ભપાતની મંજૂરી હાઈકોર્ટે આપી

અમદાવાદઃ બનાસકાંઠાના એક પિતાએ તેની સગીરાના 12 થી 14 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. સગીરા યુવતીના તે ગર્ભપાતને ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપતા સ્પષ્ટ કર્યું છે કે ,16 વર્ષની દુષ્કર્મ પીડીતા તેના પોતાના જોખમે ગર્ભપાત કરાવી શકે છે.

આ પણ વાંચોઃ Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો

શું છે સમગ્ર કેસ? આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, બનાસકાંઠાની રહેવાસી એવી 16 વર્ષની સગીર વયની યુવતી પર એક યુવક દ્વારા લગ્નની લાલચ આપીને તેની પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના પરિણામે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેની જાણ તેના પિતાને થતા હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા . ગર્ભપાત કરાવવા માટે ડોક્ટરને કહેવામાં આવ્યું હતું. પરંતુ ડોક્ટર દ્વારા આ પોલીસ કેસ છે. તેથી ગર્ભપાત કરવા તૈયાર ન હતા.

હાઈકોર્ટમાં અરજીઃ જેથી સગીર વયની દીકરીનો ગર્ભપાત ની મંજૂરી મેળવવા માટે થઈને પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ બાબતે પિતાની રજૂઆત હતી કે, તેમની દીકરી બાળકને જન્મ આપવા માટેની માનસિક અવસ્થામાં નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. આ સમગ્ર મામલે જસ્ટિસ ઈલેશ વોરાએ પાલનપુર સિવિલ હોસ્પિટલને સગીરાની તબીબી તપાસ માટે નિર્દેશ આપ્યા હતા. ગર્ભપાત થઈ શકે કે નહીં. તેની તપાસ માટેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી

ગર્ભપાત શક્યઃ હાઇકોર્ટના આદેશ બાદ ડોક્ટરોએ સગીરાની તપાસ બાદ રિપોર્ટ આપ્યો હતો. આ સાથે કહ્યું હતું કે સગીરાની ગર્ભાવસ્થા 19 અઠવાડિયાથી ઓછી હોવાથી તે ગર્ભપાત કરાવી શકે છે. જોકે રાજ્ય સરકારે, ગર્ભપાતની આ માંગનો વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, છોકરી અને બાળક માટે આ નુકસાનકારક છે. જ્યારે અરજદારનાએડવોકેટ અન્વેશ વ્યાસે રજૂઆત કરી હતી કે, પીડિતાને તેને પોતાના જોખમે બાળકનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવી જોઈએ.

જરૂરિયાત છેઃ સામાજિક કલંક ને ટાળવા માટે પણ યુવતીનો ગર્ભપાત થાય એ જરૂરી છે. તેમણે પોતાની દલીલના સમર્થનમાં બોમ્બે હાઈકોર્ટનો આદેશ પણ ટાંક્યો હતો. આ સમગ્ર મામલે સુનાવણી બાદ, જસ્ટિસ વોરાએ સગીરાને પોતાના જોખમે તબીબી પ્રક્રિયામાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. આ સાથે જ કોર્ટ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ,અરજદારો અને તેમના વકીલને તબીબી પ્રક્રિયાના તમામ જોખમી પરિબળો વિશે યોગ્ય રીતે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat High Court: ગેરકાયદે કતલખાનાને HCની ફટકાર, કહ્યું- લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરો

પોતાના જોખમે પગલુંઃ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પીડિતા પોતાના જોખમે ગર્ભપાત કરાવી રહી છે. આ સ્પષ્ટતા સાથે જ હાઇકોર્ટ પાલનપુર સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેડ અને સિનિયર ગાયનેકોલોજિસ્ટને પ્રેગનેન્સીના મેડિકલ ટર્મિનેશનની પ્રક્રિયા હાથ ધરવા માટે નિર્દેશ આપ્યા હતા.

અમદાવાદઃ બનાસકાંઠાના એક પિતાએ તેની સગીરાના 12 થી 14 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. સગીરા યુવતીના તે ગર્ભપાતને ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપતા સ્પષ્ટ કર્યું છે કે ,16 વર્ષની દુષ્કર્મ પીડીતા તેના પોતાના જોખમે ગર્ભપાત કરાવી શકે છે.

આ પણ વાંચોઃ Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો

શું છે સમગ્ર કેસ? આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, બનાસકાંઠાની રહેવાસી એવી 16 વર્ષની સગીર વયની યુવતી પર એક યુવક દ્વારા લગ્નની લાલચ આપીને તેની પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના પરિણામે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેની જાણ તેના પિતાને થતા હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા . ગર્ભપાત કરાવવા માટે ડોક્ટરને કહેવામાં આવ્યું હતું. પરંતુ ડોક્ટર દ્વારા આ પોલીસ કેસ છે. તેથી ગર્ભપાત કરવા તૈયાર ન હતા.

હાઈકોર્ટમાં અરજીઃ જેથી સગીર વયની દીકરીનો ગર્ભપાત ની મંજૂરી મેળવવા માટે થઈને પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ બાબતે પિતાની રજૂઆત હતી કે, તેમની દીકરી બાળકને જન્મ આપવા માટેની માનસિક અવસ્થામાં નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. આ સમગ્ર મામલે જસ્ટિસ ઈલેશ વોરાએ પાલનપુર સિવિલ હોસ્પિટલને સગીરાની તબીબી તપાસ માટે નિર્દેશ આપ્યા હતા. ગર્ભપાત થઈ શકે કે નહીં. તેની તપાસ માટેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી

ગર્ભપાત શક્યઃ હાઇકોર્ટના આદેશ બાદ ડોક્ટરોએ સગીરાની તપાસ બાદ રિપોર્ટ આપ્યો હતો. આ સાથે કહ્યું હતું કે સગીરાની ગર્ભાવસ્થા 19 અઠવાડિયાથી ઓછી હોવાથી તે ગર્ભપાત કરાવી શકે છે. જોકે રાજ્ય સરકારે, ગર્ભપાતની આ માંગનો વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, છોકરી અને બાળક માટે આ નુકસાનકારક છે. જ્યારે અરજદારનાએડવોકેટ અન્વેશ વ્યાસે રજૂઆત કરી હતી કે, પીડિતાને તેને પોતાના જોખમે બાળકનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવી જોઈએ.

જરૂરિયાત છેઃ સામાજિક કલંક ને ટાળવા માટે પણ યુવતીનો ગર્ભપાત થાય એ જરૂરી છે. તેમણે પોતાની દલીલના સમર્થનમાં બોમ્બે હાઈકોર્ટનો આદેશ પણ ટાંક્યો હતો. આ સમગ્ર મામલે સુનાવણી બાદ, જસ્ટિસ વોરાએ સગીરાને પોતાના જોખમે તબીબી પ્રક્રિયામાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. આ સાથે જ કોર્ટ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ,અરજદારો અને તેમના વકીલને તબીબી પ્રક્રિયાના તમામ જોખમી પરિબળો વિશે યોગ્ય રીતે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat High Court: ગેરકાયદે કતલખાનાને HCની ફટકાર, કહ્યું- લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરો

પોતાના જોખમે પગલુંઃ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પીડિતા પોતાના જોખમે ગર્ભપાત કરાવી રહી છે. આ સ્પષ્ટતા સાથે જ હાઇકોર્ટ પાલનપુર સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેડ અને સિનિયર ગાયનેકોલોજિસ્ટને પ્રેગનેન્સીના મેડિકલ ટર્મિનેશનની પ્રક્રિયા હાથ ધરવા માટે નિર્દેશ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.