ETV Bharat / state

વિવાદ સે વિશ્વાસ તક યોજનામાં ગુજરાતે 30 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો, અમદાવાદમાં ટેક્સ કોન્કલેવનો પ્રારંભ - અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન દ્વારા અમદાવાદમાં બે દિવસીય ટેક્સ કોન્કલેવ 2021નો પ્રારંભ થયો છે. જેમાં કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરીને 200 ચાર્ટડ એકાઉન્ટન્ટસ ભાગ લઈ રહ્યા છે. બે દિવસના ટેક્સ કોન્કલેવમાં કરવેરામાં આવેલા ફેરફારો પર ચર્ચા થશે. વિવાદ સે વિશ્વાસ તક યોજનામાં ગુજરાતે 30 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો છે.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન
author img

By

Published : Mar 5, 2021, 6:55 PM IST

  • અમદાવાદમાં આજથી બે દિવસીય ટેક્સ કોન્કલેવનો પ્રારંભ
  • 200 ચાર્ટડ એકાઉન્ટન્ટ લઈ રહ્યા છે ભાગ
  • આવકવેરા અને GST જેવા મુદ્દે ચર્ચા થશે

અમદાવાદ : ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 5 અને 6 માર્ચ, 2021ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA)માં ટેક્સ કોન્કલેવ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ્ય બન્ને સંસ્થાઓના સદસ્યોને નેટવર્કિંગ, નોલેજ શેરિંગ, ચર્ચા-વિચારણા કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જાણીતા વક્તાઓ, ઉદ્યોગના અગ્રણીઓ તથા નિષ્ણાંતો ભાગ લઇને ઇન્કમ ટેક્સ, GST વગેરે જેવાં મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે. આ સાથે તેમને સહભાગીઓ સાથે પોતાના અનુભવો અને જાણકારીનું પણ આદાનપ્રદાન કરશે.

વિવાદ સે વિશ્વાસ તક યોજનામાં ગુજરાતે 30 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો

કરવેરાને લગતા પ્રશ્નોની ચર્ચા

ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કરે જણાવ્યું હતું કે, બે દિવસ જ્ઞાનની ગંગા વહેશે. કરવેરા નિષ્ણાતોને બે દિવસમાં ઘણુ બધુ જાણવા મળશે. તેમના વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓને વર્ણવી શકશે, તેમજ તેનો ઉકેલ એક્સપર્ટ આપશે. કોન્કલેવનું ઉદ્ઘાટન ઈન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર અમિત જૈને જણાવ્યું હતું કે, ગત વર્ષમાં આવકવેરાના એમેડમેન્ટમાં અનેક નવા ફેરફાર થયા છે. ડાયરેક્ટ ટેક્સ અને ઈનડાયરેક્ટ ટેક્સ, વિવાદ સે વિશ્વાસ તક, ફેસલેસ એસેસમેન્ટ, અગત્યના ઈસ્યૂઝ, આવકવેરા વિભાગ સાથે કેવી રીતે કાર્યવાહી કરવી, તે તમામ બાબતો અંગે આ કોન્કલેવમાં ચર્ચા થશે. વિવાદ સે વિશ્વાસ તક યોજનામાં ગુજરાતે 30 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો છે. જે સારી બાબત છે.

ફેસલેસ એસેસમેન્ટથી જૂના લિટિગેશન સમાપ્ત થશે

જાણીતા કરવેરા નિષ્ણાંત એડવોકેટ ધીરેશ શાહે જણાવ્યું હતું કે, વિવાદ સે વિશ્વાસ તકને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. તેની મર્યાદા 31 માર્ચ સુધી લંબાવી છે. ટેક્સ ડિસ્પ્યુટનો અંત લાવવો, જૂના લિટિગેશનને સમાપ્ત કરવો, નવો વેપાર ધંધો કરો અને આગળ વધો. કોન્કલેવમાં ફેસલેસ એસેસમેન્ટમાં તુરત જવાબ આપવો, તેના માટે મેઈલ જોતા રહેવા અને આ યોજનાથી અનેક ફાયદા થશે.

આ પણ વાંચો -

પીરાણા ડમ્પ સાઈટ પર કચરાનો ડુંગર આશરે બે વર્ષમાં દૂર થશેઃ જસ્ટીસ એમ.આર. શાહ

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ મુકેશ શાહ અમદાવાદ ખાતે યોજાયેલી બે દિવસીય ટેક્સ કોન્કલેવ 2020માં હાજરી આપતા જણાવ્યું હતું કે, માણસે જીવનમાં દરેક વસ્તુઓ પ્રતિબ્દ્ધતાથી કરવી જોઈએ. આ સાથે જ અમદાવાદ શહેરની સમસ્યા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં પીરાણા ડમ્પ સાઈટના કેસ પર તેમની નજર છે અને આગામી બે વર્ષમાં પીરાણા ડમ્પ સાઈટને જમીન સંતુલિત કરી દેવામાં આવશે.

CGST ટીમે અમદાવાદમાં રેડ કરી રૂપિયા 2,435 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું, એકની ધરપકડ

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ટીમ દ્વારા અમદાવાદના ન્યૂ રાણીપમાં સોના-ચાંદી વેપારીને ત્યાં રેડ કરીને રૂપિયા 2,435 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી લીધું છે. આ સાથે CGST અમદાવાદ નોર્થ કમિશનરેટ દ્વારા ભરત ભગવાનદાસ સોનીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં પ્રૉપર્ટી ટેક્સ ન ભરનારા સામે તંત્રએ કરી લાલ આંખ

અમદાવાદમાં ચૂંટણીની કામગીરી દરમિયાન કોર્પોરેશન તંત્રની કામગીરી પણ મંદ પડી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ કોર્પોરેશનના ટેક્સ વિભાગ તરત એક્શન મોડમાં આવતા સિનેમા રોડ, ગુરુકુળ રોડ અને બોડકદેવ વિસ્તારમાં મિલકતવેરો નહીં ભરનારાની 190 પ્રૉપર્ટી સીલ કરી દેવામાં આવી છે.

109 કરોડના GST કૌભાંડમાં ઊંઝાના સંજય પટેલે રિમાન્ડ પર

ઊંઝામાં જીએસટી વિભાગની બોગસ બિલિંગ અને ઈ-વે બિલ તપાસમાં બે શખ્સોની ધરપકડ બાદ રૂ.109.97 કરોડના ફક્ત ઈ-વે બિલ જનરેટ કરી રૂ. 6.31 કરોડની કરચોરીમાં ઊંઝાના સંજય પટેલ ઉર્ફે સંજય માધાની ધરપકડ કરવામાં આવી હતી. તેના 17 ડિસેમ્બર સુધીના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન માટે રિમાન્ડ લીધા છે. ઉલ્લેખનીય છે કે, સંજય પટેલની 4 મહિના પહેલા 27 ઓગસ્ટે જીએસટી કરચોરીના અન્ય ગુનામાં પણ ધરપકડ કરાઈ હતી. સંજય પ્રહલાદભાઈ પટેલ દ્વારા સંચાલિત પેઢીઓમાં માલ સપ્લાય બિલો ઇસ્યુ કર્યા સિવાય ફક્ત ઇ-વે બિલ જનરેટ કરી તેના આધારે માલ સપ્લાય કરી કરચોરી કરાઈ છે.

  • અમદાવાદમાં આજથી બે દિવસીય ટેક્સ કોન્કલેવનો પ્રારંભ
  • 200 ચાર્ટડ એકાઉન્ટન્ટ લઈ રહ્યા છે ભાગ
  • આવકવેરા અને GST જેવા મુદ્દે ચર્ચા થશે

અમદાવાદ : ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 5 અને 6 માર્ચ, 2021ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA)માં ટેક્સ કોન્કલેવ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ્ય બન્ને સંસ્થાઓના સદસ્યોને નેટવર્કિંગ, નોલેજ શેરિંગ, ચર્ચા-વિચારણા કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જાણીતા વક્તાઓ, ઉદ્યોગના અગ્રણીઓ તથા નિષ્ણાંતો ભાગ લઇને ઇન્કમ ટેક્સ, GST વગેરે જેવાં મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે. આ સાથે તેમને સહભાગીઓ સાથે પોતાના અનુભવો અને જાણકારીનું પણ આદાનપ્રદાન કરશે.

વિવાદ સે વિશ્વાસ તક યોજનામાં ગુજરાતે 30 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો

કરવેરાને લગતા પ્રશ્નોની ચર્ચા

ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કરે જણાવ્યું હતું કે, બે દિવસ જ્ઞાનની ગંગા વહેશે. કરવેરા નિષ્ણાતોને બે દિવસમાં ઘણુ બધુ જાણવા મળશે. તેમના વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓને વર્ણવી શકશે, તેમજ તેનો ઉકેલ એક્સપર્ટ આપશે. કોન્કલેવનું ઉદ્ઘાટન ઈન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર અમિત જૈને જણાવ્યું હતું કે, ગત વર્ષમાં આવકવેરાના એમેડમેન્ટમાં અનેક નવા ફેરફાર થયા છે. ડાયરેક્ટ ટેક્સ અને ઈનડાયરેક્ટ ટેક્સ, વિવાદ સે વિશ્વાસ તક, ફેસલેસ એસેસમેન્ટ, અગત્યના ઈસ્યૂઝ, આવકવેરા વિભાગ સાથે કેવી રીતે કાર્યવાહી કરવી, તે તમામ બાબતો અંગે આ કોન્કલેવમાં ચર્ચા થશે. વિવાદ સે વિશ્વાસ તક યોજનામાં ગુજરાતે 30 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો છે. જે સારી બાબત છે.

ફેસલેસ એસેસમેન્ટથી જૂના લિટિગેશન સમાપ્ત થશે

જાણીતા કરવેરા નિષ્ણાંત એડવોકેટ ધીરેશ શાહે જણાવ્યું હતું કે, વિવાદ સે વિશ્વાસ તકને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. તેની મર્યાદા 31 માર્ચ સુધી લંબાવી છે. ટેક્સ ડિસ્પ્યુટનો અંત લાવવો, જૂના લિટિગેશનને સમાપ્ત કરવો, નવો વેપાર ધંધો કરો અને આગળ વધો. કોન્કલેવમાં ફેસલેસ એસેસમેન્ટમાં તુરત જવાબ આપવો, તેના માટે મેઈલ જોતા રહેવા અને આ યોજનાથી અનેક ફાયદા થશે.

આ પણ વાંચો -

પીરાણા ડમ્પ સાઈટ પર કચરાનો ડુંગર આશરે બે વર્ષમાં દૂર થશેઃ જસ્ટીસ એમ.આર. શાહ

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ મુકેશ શાહ અમદાવાદ ખાતે યોજાયેલી બે દિવસીય ટેક્સ કોન્કલેવ 2020માં હાજરી આપતા જણાવ્યું હતું કે, માણસે જીવનમાં દરેક વસ્તુઓ પ્રતિબ્દ્ધતાથી કરવી જોઈએ. આ સાથે જ અમદાવાદ શહેરની સમસ્યા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં પીરાણા ડમ્પ સાઈટના કેસ પર તેમની નજર છે અને આગામી બે વર્ષમાં પીરાણા ડમ્પ સાઈટને જમીન સંતુલિત કરી દેવામાં આવશે.

CGST ટીમે અમદાવાદમાં રેડ કરી રૂપિયા 2,435 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું, એકની ધરપકડ

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ટીમ દ્વારા અમદાવાદના ન્યૂ રાણીપમાં સોના-ચાંદી વેપારીને ત્યાં રેડ કરીને રૂપિયા 2,435 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી લીધું છે. આ સાથે CGST અમદાવાદ નોર્થ કમિશનરેટ દ્વારા ભરત ભગવાનદાસ સોનીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં પ્રૉપર્ટી ટેક્સ ન ભરનારા સામે તંત્રએ કરી લાલ આંખ

અમદાવાદમાં ચૂંટણીની કામગીરી દરમિયાન કોર્પોરેશન તંત્રની કામગીરી પણ મંદ પડી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ કોર્પોરેશનના ટેક્સ વિભાગ તરત એક્શન મોડમાં આવતા સિનેમા રોડ, ગુરુકુળ રોડ અને બોડકદેવ વિસ્તારમાં મિલકતવેરો નહીં ભરનારાની 190 પ્રૉપર્ટી સીલ કરી દેવામાં આવી છે.

109 કરોડના GST કૌભાંડમાં ઊંઝાના સંજય પટેલે રિમાન્ડ પર

ઊંઝામાં જીએસટી વિભાગની બોગસ બિલિંગ અને ઈ-વે બિલ તપાસમાં બે શખ્સોની ધરપકડ બાદ રૂ.109.97 કરોડના ફક્ત ઈ-વે બિલ જનરેટ કરી રૂ. 6.31 કરોડની કરચોરીમાં ઊંઝાના સંજય પટેલ ઉર્ફે સંજય માધાની ધરપકડ કરવામાં આવી હતી. તેના 17 ડિસેમ્બર સુધીના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન માટે રિમાન્ડ લીધા છે. ઉલ્લેખનીય છે કે, સંજય પટેલની 4 મહિના પહેલા 27 ઓગસ્ટે જીએસટી કરચોરીના અન્ય ગુનામાં પણ ધરપકડ કરાઈ હતી. સંજય પ્રહલાદભાઈ પટેલ દ્વારા સંચાલિત પેઢીઓમાં માલ સપ્લાય બિલો ઇસ્યુ કર્યા સિવાય ફક્ત ઇ-વે બિલ જનરેટ કરી તેના આધારે માલ સપ્લાય કરી કરચોરી કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.