ETV Bharat / state

પાણી પૂરૂ પાડવામાં સરકાર નિષ્ફળ, તેથી પાણીની ચોરી કરવી પડે છેઃ ખેડૂતો - Chief Justice Anant Dave

અમદાવાદઃ ભાવનગરના 16 જેટલા ગામોમાં પીવાના પાણીની અછતને મામલે હાઈકોર્ટમાં 2017માં જાહેર હિતની અરજી દાખલ કરાઈ હતી. આ જાહેર હિતની અરજી પર શુક્રવારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ અરજદારે રજુઆત કરતા કહ્યું કે, સરકાર પાણી આપતી ન હોવાથી ડિઝલ પંપ મૂકી પાણીની ચોરી કરવી પડે છે. હાઇકોર્ટે અરજદારની રજૂઆત સાંભળી જવાબદાર વિભાગ અને સરકારને આ મુદ્દે એફિડેવિટ રજૂ કરવા હુકમ ફરમાવ્યો હતો.

હાઈકોર્ટ
author img

By

Published : May 3, 2019, 9:46 PM IST

વર્ષ 2017માં ગુજરાત હિત રક્ષક સમિતિ દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની કરવામાં આવી હતી. જેમાં ભાવનગરમાં 300 જેટલા ઉદ્યોગોને પાણી આપવામા આવે છે, પરતું 16 ગામોમાં લોકો પાણીના ટીંપા માટે તરસી રહ્યા છે. ભાવનગરના 16 ગામોને નર્મદા નીગમમાંથી જે પાણી મળવુ જોઈએ તેની બધી જ વ્યવસ્થાઓ પણ ઉભી થઈ ગયેલી છે. તેમ છતાં કેટલાય વર્ષોથી આ ગામોને પાણીનું ટીપુંય મળતું નથી.

પાણી પૂરૂ પાડવામાં સરકાર નિષ્ફળ

નર્મદા નિગમે આ 16 ગામોની કેનાલમાં 3 આડી દિવાલો ઉભી કરી પાણીનો પ્રવાહ રોક્યો છે. પરિણામે 16 ગામો પાણીથી વંચીત રહી ગયા છે. ખેડુત સમીતિની રજુઆત સામે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો કે, અમે ગામોમાં પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. જ્યારે અરજદારવતી કોર્ટમાં રજુઆત કરાઈ કે, અમને સરકારે કોઈ પાણી નથી આપ્યું. અમારે ડીઝલ પંપો મુકીને પાણીની ચોરી કરવી પડી છે. હાઇકોર્ટે ખેડૂતોના આ વલણ મુદ્દે અરજદારના વકીલને સવાલ પણ કર્યા કે, ખેડૂતોને કેમ આંદોલન અને પાણી ચોરી કરવાની જરૂર પડી. ત્યારે વકીલે દલીલો કરી કે, ખેડૂતોને પાણી ન મળવાને કારણે આખરે ખેડૂતોએ મજબૂરીથી પાણી ચોરી કરવું પડી રહ્યું છે.

આ મામલે અરજદારના વકીલ જીતેન્દ્ર પંડ્યાએ રજુઆત કરી હતી કે, 300 જેટલા ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને પીયત માટે પાણી આપવામાં આવતું નથી. પહેલા પીવાનું પાણી પછી પીયત અને ત્યારબાદ ઉધોગોને પાણી આપવુ જોઈએ તેવી રજુઆત કરાઈ હતી. સરકારે ત્યારે જણાવ્યું હતું કે, અમે ઉદ્યોગોને માત્ર 5 ટકા જ પાણી આપીએ છીએ. હાઈકોર્ટે 16 ગામોને પાણી નથી અપાતુ તે બાબતને ગંભીર ગણાવી અને સરકારને વિગતવાર એફીડેવિટ કરી જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

વર્ષ 2017માં ગુજરાત હિત રક્ષક સમિતિ દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની કરવામાં આવી હતી. જેમાં ભાવનગરમાં 300 જેટલા ઉદ્યોગોને પાણી આપવામા આવે છે, પરતું 16 ગામોમાં લોકો પાણીના ટીંપા માટે તરસી રહ્યા છે. ભાવનગરના 16 ગામોને નર્મદા નીગમમાંથી જે પાણી મળવુ જોઈએ તેની બધી જ વ્યવસ્થાઓ પણ ઉભી થઈ ગયેલી છે. તેમ છતાં કેટલાય વર્ષોથી આ ગામોને પાણીનું ટીપુંય મળતું નથી.

પાણી પૂરૂ પાડવામાં સરકાર નિષ્ફળ

નર્મદા નિગમે આ 16 ગામોની કેનાલમાં 3 આડી દિવાલો ઉભી કરી પાણીનો પ્રવાહ રોક્યો છે. પરિણામે 16 ગામો પાણીથી વંચીત રહી ગયા છે. ખેડુત સમીતિની રજુઆત સામે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો કે, અમે ગામોમાં પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. જ્યારે અરજદારવતી કોર્ટમાં રજુઆત કરાઈ કે, અમને સરકારે કોઈ પાણી નથી આપ્યું. અમારે ડીઝલ પંપો મુકીને પાણીની ચોરી કરવી પડી છે. હાઇકોર્ટે ખેડૂતોના આ વલણ મુદ્દે અરજદારના વકીલને સવાલ પણ કર્યા કે, ખેડૂતોને કેમ આંદોલન અને પાણી ચોરી કરવાની જરૂર પડી. ત્યારે વકીલે દલીલો કરી કે, ખેડૂતોને પાણી ન મળવાને કારણે આખરે ખેડૂતોએ મજબૂરીથી પાણી ચોરી કરવું પડી રહ્યું છે.

આ મામલે અરજદારના વકીલ જીતેન્દ્ર પંડ્યાએ રજુઆત કરી હતી કે, 300 જેટલા ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને પીયત માટે પાણી આપવામાં આવતું નથી. પહેલા પીવાનું પાણી પછી પીયત અને ત્યારબાદ ઉધોગોને પાણી આપવુ જોઈએ તેવી રજુઆત કરાઈ હતી. સરકારે ત્યારે જણાવ્યું હતું કે, અમે ઉદ્યોગોને માત્ર 5 ટકા જ પાણી આપીએ છીએ. હાઈકોર્ટે 16 ગામોને પાણી નથી અપાતુ તે બાબતને ગંભીર ગણાવી અને સરકારને વિગતવાર એફીડેવિટ કરી જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

R_GJ_AHD_13_03_MAY_2019_PAANI_PURU_PADVANI_SARKARNI_NISHFADTA_NE_KARANE_PAANI_NI_CHORI_KARVI_PADE_CHE_VIDEO_STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - પાણી પુરુ પાડવાની સરકારની નિષ્ફળતાને કારણે પાણીની ચોરી કરવી પડે છે


ભાવનગરના 16 જેટલા ગામોમાં પીવાના પાણીની ત્રીવ અછત અને તંગી મામલે હાઈકોર્ટમાં વર્ષ2017માં દાખલ કરાયેલી જાહેરહીતની અરજી પર શુક્રવારે હાઈકોર્ટમાં  ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ અરજદારે રજુઆત કરતા કહ્યું કે  સરકાર પાણી આપતી ન હોવાથી ડિઝલ પંપ મૂકી પાણીની ચોરી કરવી પડે છે..હાઇકોર્ટ અરજદાી ની રજૂઆતને સાંભળી  જવાબદાર વિભાગ અને સરકારને આ મુદે એફિડેવિટ રજૂ કરવા  હુકમ કર્યો છે આ કેસમાં વધુ સુનવણી આગામી દિવસોમાં  હાથ ધરાશે.

વર્ષ 2017માં ગુજરાત હિત રક્ષક સમિતિ દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની કરવામા આવી હતી કે  ભાવનગરમાં 300 જેટલા ઉધોગોને પાણી આપવામા આવે છે પરતું 16 ગામોમાં લોકો પાણીના ટીંપા માટે તરસી રહ્યા છે..   ભાવનગર જીલ્લાના 16 ગામોને નર્મદાનીગ માંથી પાણી મળવુ જોઈએ અને તેના માટેની બધી જ વ્યવસ્થાઓ પણ ઉભી થઈ ગયેલી છે. તેમ છતા કેટલાય વર્ષોથી આ ગામોને પાણીનુ ટીપુય મળતુ નથી.  

નર્મદા નિગમે 16 ગામો પહેલા કેનાલમાં  3 આડી દિવાલો ઉભી કરી દઈને પાણીનો પ્રવાહ રોક્યો છે. પરીણામે 16 ગામો પાણીથી વંચીત રહી ગયા છે.  ખેડુત સમીતીની રજુઆત સામે  સરકારે કોર્ટમાં જવાબ રજુ કર્યો અને કહ્યુ કે અમે ગામોમાં પાણી ઉપલબ્ધ કરાવ્યુ છે. જ્યારે અરજદાર વતી કોર્ટમાં એવી રજુઆત કરાઈ કે અમને સરકારે કોઈ પાણી નથી આપ્યુ અમે ડીઝલ પંપો મુકીને પાણીની ચોરી કરવી પડી છે. 16 ગામોને એક ટીપુ પાણી સરકાર તરફે અપાયુ નથી. હાઇકોર્ટે ખેડૂતોના વલણ મુદ્દે અરજદારના વકીલને  સવાલ પણ કર્યા કે  ખેડૂતોને કેમ આંદોલન અને પાણી ચોરી કરવાની  જરૂર પડી .. ત્યારે વકીલો કોર્ટમાં કહ્યું કે  ખેડૂતોને પાણી ન મળવાને કારણે આખરે ખેડૂતોએ મજબૂરીથી પાણી ચોરી કરવું પડી રહ્યું છે... 

આ મામલે અરજદારના વકીલ જીતેનદ્ર પંડ્યાએ રજુઆત હતી કે 300 જેટલા ઉધોગોને પાણી આપવામા આવે છે પરંતુ પીયત માટે પાણી નથી અપાતુ.  પહેલા પીવા પછી પીયત અને ત્યારબાદ ઉધોગોને પાણી આપવુ જોઈએ તેવી રજુઆત કરાઈ તો સરકારે કહ્યુ કે અમે ઉધોગોને માત્ર 5 ટકા જ પાણી આપીએ છીએ. કોર્ટે 16 ગામોને પાણી નથી અપાતુ તે બાબતને ગંભીર ગણાવી હતી. અને સરકારને વિગતવાર એફીડેવટી કરી જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. 

બાઈટ - જીતેન્દ્ર પંડયા, વકીલ, અરજદાર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.