ETV Bharat / state

'શાસક પક્ષને કાર્યક્રમ માટે પરવાનગી તો સામાન્ય લોકોને CAAનો વિરોધ કરવા માટે મંજૂરી કેમ નહીં' - Protests

નાગરિક્તા સુધારા કાયદા અંગે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન માટે પોલીસે પરવાનગી નહીં આપવા મુદ્દે રજૂ કરેલા સોંગદનામાંના જવાબમાં શુક્રવારે અરજદાર તરફે રિ-જોઈન્ડર એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, શાસકપક્ષને કાર્યક્રમ માટે ખાનપુર કાર્યાલય પાસે પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવે છે, પરતું અન્ય લોકોને પોલીસ પરવાનગી આપતી નથી.

Gujarat High Court
ગુજરાત હાઈકોર્ટ
author img

By

Published : Feb 7, 2020, 8:45 PM IST

અમદાવાદ: હાઈકોર્ટમાં અરજદાર મુદિતા વિદ્રોહી અને મુઝાહિદ નફીસ તરફે રજૂ કરાયેલા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસે સોંગદનામાં પબ્લિક ઓર્ડર શબ્દનો ઉપયોગ કર્યો છે. જ્યારે પોલીસે પરવાનગી રદ કરી ત્યારે તેમાં આ શબ્દનો ઉપયોગ કર્યો નથી. પોલીસ દ્વારા પરવાનગી ન આપવી એ અરજદાર અને સામાન્ય લોકોની વાણી અને અભિવ્યકિતની સ્વતત્રંતા વિરૂદ્ધ છે.

વિરોધ પ્રદર્શન માટે પરવાનગી લેવા મામલો હાઈકોર્ટ પહોંચ્યો

અમદાવાદમાં CAAનો વિરોધ કરવા માટે પોલીસે પરવાનગી નહીં આપતા હાઈકોર્ટમાં પડકારેલી રિટ મુદે રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે, CAA-NRC મુદ્દે શાહઆલમમાં હિંસાની ઘટના બની હતી. હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગત 19 ડિસેમ્બરના રોજ શાહઆલમમાં CAA-NRCના વિરોધ પ્રદર્શનને પરવાનગી આપવામાં આવી નહતી તેમ છતાં 500થી 700 જેટલા લોકોએ હિંસા કરી હતી.

અમદાવાદ: હાઈકોર્ટમાં અરજદાર મુદિતા વિદ્રોહી અને મુઝાહિદ નફીસ તરફે રજૂ કરાયેલા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસે સોંગદનામાં પબ્લિક ઓર્ડર શબ્દનો ઉપયોગ કર્યો છે. જ્યારે પોલીસે પરવાનગી રદ કરી ત્યારે તેમાં આ શબ્દનો ઉપયોગ કર્યો નથી. પોલીસ દ્વારા પરવાનગી ન આપવી એ અરજદાર અને સામાન્ય લોકોની વાણી અને અભિવ્યકિતની સ્વતત્રંતા વિરૂદ્ધ છે.

વિરોધ પ્રદર્શન માટે પરવાનગી લેવા મામલો હાઈકોર્ટ પહોંચ્યો

અમદાવાદમાં CAAનો વિરોધ કરવા માટે પોલીસે પરવાનગી નહીં આપતા હાઈકોર્ટમાં પડકારેલી રિટ મુદે રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે, CAA-NRC મુદ્દે શાહઆલમમાં હિંસાની ઘટના બની હતી. હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગત 19 ડિસેમ્બરના રોજ શાહઆલમમાં CAA-NRCના વિરોધ પ્રદર્શનને પરવાનગી આપવામાં આવી નહતી તેમ છતાં 500થી 700 જેટલા લોકોએ હિંસા કરી હતી.

Intro:નાગરિક્તા સુધારા કાયદા અંગે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન માટે પોલીસે પરવાનગી ન આપવા મુદે રજુ કરેલા સોંગદનામાંના જવાબમાં શુક્રવારે અરજદાર તરફે રિ-જોઈન્ડર એફિડેવિટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાસકપક્ષને કાર્યક્રમ માટે તેના ખાનપુર કાર્યાલય પાસે પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવે છે પરતું અન્ય લોકોને પોલીસ પરવાનગી આપતી નથી. Body:હાઈકોર્ટમાં અરજદાર મુદિતા વિદ્રોહી અને મુઝાહિદ નફીસ તરફે રજુ કરાયેલા સોંગદનામાં રજુઆત કરવામાં આવી હતી કે પોલીસે સોંગદનામાં પબ્લિક ઓર્ડર શબ્દનો ઉપયોગ કર્યો છે જ્યારે પોલીસે પરવાનગી રદ કરી ત્યારે તેમાં આ શબ્દનો ઉપયોગ કર્યો નથી. પોલીસ દ્વારા પરવાનગી ન આપવીએ અરજદાર અને સામાન્ય લોકોની વાણી અને અભિવ્યકિતની સ્વતત્રંતા વિરૂધ છે. ખામાસા પાસેથી રથયાત્રામાં હાજરો લોકો જોડાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા થતી નથી પરતું અરજદારને કાર્યક્રમ માટે શા માટે પરવાનગી આપવામાં આવતી નથી.

અમદાવાદમાં CAAના વિરોધ કરવા માટે પોલીસ પરવાનગી ન આપતા હાઈકોર્ટમાં પડકારેલી રિટ મુદે રાજ્ય સરકારે જવાબ રજુ કરતા કહ્યું કે CAA-NRC મુદે શાહઆલમમાં હિંસાની ઘટની હતી અને બે અરજદાર 10 હજાર લોકોની જવાબદાર મુદે શંકા વ્યકત કરી હતી. કાયદો અને વ્યવસ્થા બગડવાની શક્યતા પગલે પરવાનગી ન આપવાની રજુઆત કરી હતી..

હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે રાજ્ય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા સોંગદનામામાં રજુઆત કરવામાં આવી હતી કે 19મી ડિસેમ્બરના રોજ શાહઆલમમાં CAA-NRCના વિરોધને પરવાનગી આપવામાં આવી નહિ તેમ છતાં 500 થી 700 જેટલા લોકોએ પોલીસને માર માર્યા અને હિંસા કરી હતી. જમાલપુર દરવાજા અને ખમાસા વચ્ચે સભામાં 10 હજાર આવવાની સંભાવના છે અને બે અરજદાર જવાબદારી સંભાળી શકશે નહિ. કાયદો અને વ્યવસ્થાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થતી હોવાથી પરવાનગી ન આપવામાં આવે.

અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ રિટમાં દલીલ કરવામાં આવી છે કે CAAના વિરોધમાં અરજદાર ખમાસા વિસ્તારની હદમાં 19મી જાન્યુઆરીના રોજ વિરોધ પ્રદર્શન કરવા માટે પરવાનગી ફગાવી દેતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે. અગાઉ અરજદાર દ્વારા 7મી જાન્યુઆરીના રોજ ગાયકવાડ પોલીસ સ્ટેશન અને 8મી જાન્યુઆરીના રોજ શહેર પોલીસ કમિશ્નરને રજુઆત કરી હોવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ મંજૂરી ન આપતો આદેશ આપ્યો હતો.

અરજદાર વતી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા શહેરમાં વારંવાર ધારા 144 લાગુ કરી દેવાય છે અને CAAના શાંતિપૂર્ણ વિરોધ માટે કોઈ પરવાનગી આપવામાં આવતી નથી જ્યારે CAAના સમર્થનમાં લોકોએ પરવાનગી ન લીધી હોય તેમ છતાં તેમના વિરોધ પ્રદર્શન પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ CAAના વિરોધમાં પ્રદર્શન કરવા માટે પરવાનગી આપતી નથી અને કાર્યકરતાઓની અટકાયત કરવામાં આવે છે. 16મી ડિસેમ્બરના રોજ IIM બહાર અને 19મી ડિસેમ્બરના રોજ જ્ઞાંસી કી રાની પાસે પણ પરવાનગી ન હોવાથી લોકોની અટકાયત કરવામાં આવી હતી. CAAના વિરોધમાં પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી અને આ નીતિ ભેદભાવ કરનારી છે. પોલીસની આ નીતિ બંધારણના અનુચ્છેદ 19(1)વિરૂધની છે. Conclusion:અરજદારનો આક્ષેપ છે કે CAAના સમર્થનમાં 24મી ડિસેમ્બરના રોજ રાજ્યમાં 62 રેલીઓની પરવાનગી આપવામાં આવી છે પરતું વિરોધમાં પરવાનગી આપવામાં આવી નથી. 19મી જાન્યુઆરીના રોજ જમાલપુર વિસ્તારમાં CAAના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પોલીસે પરવાનગી ન આપતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.