ETV Bharat / state

વી.એસ.હોસ્પિટલમાં મૃતદેહ બદલાય જવાના મામલે પરિવારજનોએ કરી કડક કાર્યવાહીની માંગ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં શુક્રવારે મૃતદેહ બદલી થવાનો મામલો સામે આવ્યો છે. જેમાં બાવળાની મૃતક મિત્તલ જાદવના પરિવારજનોને નસરીન બાનું નામની મહિલાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલમાં નસરીનબાનુના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા મીતલ જાદવના પરિવારોને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહ તરત હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને આજે બંને મૃતદેહના ફરી પોસ્મોર્ટમ કરવામાં આવશે.

author img

By

Published : May 11, 2019, 12:46 PM IST

મૃતદેહ એક્સચેન્જ મામલો

મૃતદેહ એક્સચેન્જ થવાને મામલે બંને પરિવારજનો ગુસ્સામાં છે અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, શુક્રવારે રાત્રે 11 વાગ્યે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ દાખલ કરવા આજીજી કરી હતી, પરંતુ પોલીસ સાંભળતી નથી. ત્યારબાદ Dy.sp આવ્યા અને તેમની સાથે વાતચીત કરી તેઓ તપાસ માટે વી.એસ.હોસ્પિટલ ગયા હતા, પરંતુ ત્યારબાદ તેમને ફોન કરી મળવા પ્રયત્ન કર્યો પણ હજુ સુધી મળ્યા નથી. બીજી બાજુ પોલીસ આ મામલે ફરીયાદ પણ દાખલ કરતી નથી અને આ સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મૃતદેહ એક્સચેન્જ મામલો

મિતલના પરિવારજનોએ માંગ કરી છે કે, આ સમગ્ર ઘટનામાં જે કોઈ છે તે, તમામ હોસ્પિટલના અધિકારીઓ, સ્ટાફ તેમજ પોલીસ સામે પગલાં ભરવામાં આવે. આ મામલે અમારી પોલીસ ફરિયાદ લેવામાં આવે અને જો ફરિયાદ નહિ લેવામાં આવે તો અમે મૃતદેહ સ્વીકારીશું નહિ. વધુમાં નસરીનબાનુના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, મારી બહેન 9 મહિનાની ગર્ભવતી હતી અને હાલ તેનું ભ્રુણ પણ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ વાત પણ તપાસનો વિષય છે અને આ સમગ્ર વિગતો બહાર આવી જોઈએ અને યોગ્ય તાપસ કરી અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ.

મૃતદેહ એક્સચેન્જ થવાને મામલે બંને પરિવારજનો ગુસ્સામાં છે અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, શુક્રવારે રાત્રે 11 વાગ્યે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ દાખલ કરવા આજીજી કરી હતી, પરંતુ પોલીસ સાંભળતી નથી. ત્યારબાદ Dy.sp આવ્યા અને તેમની સાથે વાતચીત કરી તેઓ તપાસ માટે વી.એસ.હોસ્પિટલ ગયા હતા, પરંતુ ત્યારબાદ તેમને ફોન કરી મળવા પ્રયત્ન કર્યો પણ હજુ સુધી મળ્યા નથી. બીજી બાજુ પોલીસ આ મામલે ફરીયાદ પણ દાખલ કરતી નથી અને આ સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મૃતદેહ એક્સચેન્જ મામલો

મિતલના પરિવારજનોએ માંગ કરી છે કે, આ સમગ્ર ઘટનામાં જે કોઈ છે તે, તમામ હોસ્પિટલના અધિકારીઓ, સ્ટાફ તેમજ પોલીસ સામે પગલાં ભરવામાં આવે. આ મામલે અમારી પોલીસ ફરિયાદ લેવામાં આવે અને જો ફરિયાદ નહિ લેવામાં આવે તો અમે મૃતદેહ સ્વીકારીશું નહિ. વધુમાં નસરીનબાનુના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, મારી બહેન 9 મહિનાની ગર્ભવતી હતી અને હાલ તેનું ભ્રુણ પણ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ વાત પણ તપાસનો વિષય છે અને આ સમગ્ર વિગતો બહાર આવી જોઈએ અને યોગ્ય તાપસ કરી અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ.

R_GJ_AHD_03_11_MAY_2019_VS_DEAD_BODY_CHANGE_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

પોલીસ ફરિયાદ નહિ લેવામાં આવે તો બોડી પણ નહીં સ્વીકારવામાં આવે-પરિવારજનો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં કાલે ડેડ બોડી એક્સચેન્જ થવાનો મામલો સામે આવ્યો હતો જેમાં બાવળાની મૃતક મિત્તલ જાદવ ના પરિવારજનોને નસરીન બાનું નામની મહિલાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો જેને લઈને હોસ્પિટલમાં નસરીનબાનુના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા મીતલ જાદવના પરિવારોને જાણ કરવામાં આવી હતી અને ડેડ બોડીને તરત હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં આજે બંને ડેડ બોડીના ફરી પોસ્માર્ટમ કરવામાં આવશે

ડેડ બોડી એક્સચેન્જ થવાને મામલે બંને પરિવારજનો ગુસ્સામાં છે અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગઈ કાલે રાત્રે 11 વાગ્યે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ગયા હતા પોલિસને આજીજી કરી હતી ફરિયાદ લેવા માટે પરંતુ Dysp આવ્યા હતા અને વાતચીત કરી તેઓ વી.એસ.હોસ્પિટલ ગયા હતા ત્યારબાદ તેમને કોલ કર્યો મળવા પ્રયત્ન કર્યો પણ હજુ સુધી મળ્યા નથી અને પોલીસ પણ સાંભળતી નથી અને અમારી ફરિયાદ નથી લઈ રહી અને સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે 

પરિવારજનોએ માંગ કરી છે કે આ સમગ્ર ઘટનામાં જે કોઈ છે તે તમામ હોસ્પિટલના અધિકારીઓ, સ્ટાફ તેમજ પોલીસ સામે પગલાં ભરવામાં આવે અમારી પોલીસ ફરિયાદ લેવામાં આવે અને જો ફરિયાદ નહિ લેવામાં આવે તો અમે ડેડ બોડી સ્વીકારીશું નહિ તેમ જણાવ્યું હતું વધુમાં નસરીનબાનુના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે મારી બહેન 9 મહિનાની ગર્ભવતી હતી અને હાલ તેનું ભ્રુણ પણ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે જે પણ તપાસનો વિષય છે અને તેની પણ સમગ્ર વિગતો બહાર આવી જોઈએ અને યોગ્ય તાપસ કરી અમને જવાબ મળે
 

બાઈટ-1 (મિતલના પરિવારજન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.