અમદાવાદ ઝારખંડના સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણય સામે જૈન સમાજનો ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે ઝારખંડના પારસનાથમાં આવેલું (Eco tourism activity at Parasnath Jharkhand) જૈન તીર્થ સ્થાન સમ્મેદ શિખર પર (Sammed Shikharji Issue) પ્રવાસન અને ઈકો ટૂરિઝમ એક્ટિવિટી (Eco tourism activity) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુરૂવારે ત્રણ વર્ષ પહેલા જાહેર કરેલા આદેશને પરત લઈ લીધો છે. કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલય તરફથી ગુરૂવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં તમામ પ્રવાસન અને ઈકો ટૂરિઝમ એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સરકારે બનાવી કમિટી આ ઉપરાંત કેન્દ્ર સરકારે (Govenment stop Eco tourism activity at Parasnath) એક મોનિટરીંગ કમિટી પણ બનાવી છે. આ સમિતિ ઈકો સેન્સેટિવ ઝોનની (Eco Sensitive Zone) દેખરેખ રાખશે. કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે, આ સમિતિમાં જૈન સમાજના 2 અને સ્થાનિક જનજાતિ સમાજના કાયમી રીતે સામેલ કરવામાં આવશે.
કેન્દ્રિય પ્રધાને કરી બેઠક કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે (Bhupendra yadav union minister) ગુરૂવારે દિલ્હીમાં જૈન સમાજના પ્રતિનિધીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, જૈન સમાજને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમ્મેદ શિખર (Sammed Shikharji Issue) સહિત જૈન સમાજના તમામ ધાર્મિક સ્થળો પર તેમના અધિકારોની રક્ષા અને સંરક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો જૈનો આક્રમક મિજાજમાં, મુંબઈમાં પદયાત્રા થકી દર્શાવ્યો વિરોધ
આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ પારસનાથ પર્વત (Eco tourism activity at Parasnath Jharkhand) પર હવે આ પ્રવૃત્તિઓ નહીં થઈ શકે અહીં દારૂ, ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થનું વેચાણ, લાઉડ મ્યૂઝિક કે લાઉડ સ્પીકર વગાડવું, પાલતું પ્રાણીઓની સાથે આવવું, ગેરકાયદેસર કેમ્પિંગ અને ટ્રેકિંગ, માસાહારી ખાદ્ય પદાર્થોનું વેચાણ નહીં થઈ શકે. આ ઉપરાંત એવી અનેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કે, જેના કારણે જળ સ્ત્રોત, વૃક્ષો, પહાડો, ગુફાઓ અને મંદિરોને નુકસાન પહોંચે છે.
આ પણ વાંચો પવિત્ર તીર્થ સ્થાનો સમેત શિખર અને શેત્રુંજય પર્વતની સુરક્ષાને લઈ જૈન સમાજ રસ્તા પર
જૈનોનું પવિત્ર તીર્થ સ્થળ આપને જણાવી દઈએ કે, ઝારખંડના હિમાલય તરીકે ઓળખાતા આ સ્થળ જૈન સમાજનું પવિત્ર તીર્થ સ્થળ સમ્મેદ શિખરજી (Sammed Shikharji Issue) સ્થાપિત છે. આ પુણ્ય ક્ષેત્રમાં જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. અહીં પર 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથે (Govenment stop Eco tourism activity at Parasnath) નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ પવિત્ર પર્વતના શિખર સુધી શ્રદ્ધાળુ પગપાળા કે ડોલીથી આવે છે. તેઓ જંગલો, પહાડોના રસ્તોથી પસાર થઈને 9 કિલોમીટરની યાત્રા કરીને શિખર પર પહોંચે છે.