ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય કોરોના પોઝિટિવનો કુલ આંકડો 2100ને પાર પહોંચ્યો

author img

By

Published : Sep 15, 2020, 10:38 PM IST

શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવાર સાંજ સુધીમાં નવા 20 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 2108 પર પહોંચ્યો છે.

corona positive
કોરોના પોઝિટિવ

અમદાવાદઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 491 અને સાણંદમાં 472 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 45 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 317, બાવળામાં 248 કેસ નોંધાયા છે. હવે ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યો છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 183, વિરમગામ 241, બાવળા 248 અને માંડલ તાલુકામાં 83 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી 58 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.06 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 24 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ધોળકામાં 491 અને સાણંદમાં 472 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 491 અને સાણંદમાં 472 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 45 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 317, બાવળામાં 248 કેસ નોંધાયા છે. હવે ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યો છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 183, વિરમગામ 241, બાવળા 248 અને માંડલ તાલુકામાં 83 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી 58 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.06 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 24 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ધોળકામાં 491 અને સાણંદમાં 472 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.