ETV Bharat / state

અમદાવાદના શાહવાડી અને નારોલ વિસ્તારમાં ઘરમાં કેમિકલયુક્ત પાણી ઘરમાં ઘુસ્યા, લોકોની હાલત કફોડી

અમદાવાદઃ શહેરના શાહવાડી, નારોલ તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી અને ગટરના ગેરકાયદેસર કનેકશનો જોડાણ કરી દેવામાં આવે છે. આ અંગે રજૂઆતો કરવા છતાં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ આંખ આડા કાન કરે છે. આ ગેરકાયદેસર રીતે કરેલા ગટર કનેકશનનોમાં ફેકટરીઓ દ્વારા ગંદુ કેમિકલયુક્ત પાણી છોડાય છે. જેને કારણે ગટરો ઉભરાય રહી છે. ગટરો ખોલવામાં આવે ત્યારે તેમાંથી કચરો અને અન્ય કેમિકલ વેસ્ટ ઘન સ્વરૂપે નિકળે છે.

author img

By

Published : Sep 21, 2019, 1:15 PM IST

abd

અમદાવાદના દક્ષિણ ઝોનના શાહવાડી ખાતે વિનસ ટેકસટાઇલની પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનમાં ખામી છે. સ્થાનિક ટેક્સટાઇલની કંપનીના એસિડિક કચરાવાળા પાણીની ગેરકાયદેસર પાઇપ લાઇન નાખી લોકોના જીવ સાથે ચેડા કરાય છે. આવા ગેરકાયદેસર કનેકશનો આપવામાં ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સંડોવાયેલા છે. ભૂતકાળમાં આ જ પંપીંગ સ્ટેશનની બાજુમાં ગેસ ગળતરની ઘટનામાં ૪ લોકોના મૃત્યુ થયા હતા. સ્ટેન્ડીંગ કમિટીના ચેમમેન અમુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સાત જેટલી કેમિકલ ફેક્ટરીને નોટિસ અપાઈ છે. ગેરકાયદેસર જોડાણો દૂર કરાયા છે. લાંભા સહિતના વિસ્તારો કે જ્યાં કન્સ્ટ્રક્શન કામ કરાયા હોય ત્યાં કોઈ કોર્પોરેશનની મંજૂરી લેવામાં આવી નથી. જેના લીધે આ સમસ્યા સર્જાય રહી છે. પરંતુ કસૂરવારો સામે કડક પગલા ભરાશે.

અમદાવાદના શાહવાડી અને નારોલ વિસ્તારમાં લોકોના ઘરમાં કેમિકલયુક્ત પાણી ફરી વળ્યાં

મળેલ માહિતી મુજબ 10 જેટલી ઇન્ડસ્ટ્રીના ડ્રેનેજ કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. જેમાં કેમિકલયુક્ત પાણી મળ્યું છે. તેના નામ છે અંજલી ટરપોલીન, શ્રીનાથ એસ્ટેટ, બાલાજી ટેક્સટાઇલ, બાલા હનુમાન ટેક્સટાઇલ, આશાપુરા ઇન્ડસ્ટ્રી, સુવિધા કેમિકલ, બળદેવટેન્કર સર્વિસીસ, મુકેશ ભરવાડ ગોડાઉન, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે. તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી થઈ રહી છે.

અમદાવાદના દક્ષિણ ઝોનના શાહવાડી ખાતે વિનસ ટેકસટાઇલની પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનમાં ખામી છે. સ્થાનિક ટેક્સટાઇલની કંપનીના એસિડિક કચરાવાળા પાણીની ગેરકાયદેસર પાઇપ લાઇન નાખી લોકોના જીવ સાથે ચેડા કરાય છે. આવા ગેરકાયદેસર કનેકશનો આપવામાં ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સંડોવાયેલા છે. ભૂતકાળમાં આ જ પંપીંગ સ્ટેશનની બાજુમાં ગેસ ગળતરની ઘટનામાં ૪ લોકોના મૃત્યુ થયા હતા. સ્ટેન્ડીંગ કમિટીના ચેમમેન અમુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સાત જેટલી કેમિકલ ફેક્ટરીને નોટિસ અપાઈ છે. ગેરકાયદેસર જોડાણો દૂર કરાયા છે. લાંભા સહિતના વિસ્તારો કે જ્યાં કન્સ્ટ્રક્શન કામ કરાયા હોય ત્યાં કોઈ કોર્પોરેશનની મંજૂરી લેવામાં આવી નથી. જેના લીધે આ સમસ્યા સર્જાય રહી છે. પરંતુ કસૂરવારો સામે કડક પગલા ભરાશે.

અમદાવાદના શાહવાડી અને નારોલ વિસ્તારમાં લોકોના ઘરમાં કેમિકલયુક્ત પાણી ફરી વળ્યાં

મળેલ માહિતી મુજબ 10 જેટલી ઇન્ડસ્ટ્રીના ડ્રેનેજ કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. જેમાં કેમિકલયુક્ત પાણી મળ્યું છે. તેના નામ છે અંજલી ટરપોલીન, શ્રીનાથ એસ્ટેટ, બાલાજી ટેક્સટાઇલ, બાલા હનુમાન ટેક્સટાઇલ, આશાપુરા ઇન્ડસ્ટ્રી, સુવિધા કેમિકલ, બળદેવટેન્કર સર્વિસીસ, મુકેશ ભરવાડ ગોડાઉન, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે. તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી થઈ રહી છે.

Intro:અમદાવાદ


શહેરના શાહવાડી, નારોલ તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પાણી અને ગટરના કનેકશનો જોડાણ કરી દેવામાં આવે છે. આ અંગે અ. મ્યુ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ કેટલીક વાર આંખ આડા કાન કરતાં હોય છે. આ ગેરકાયદેસર રીતે કરેલા ગટર કનેકશનનોમાં ફેકટરીઓ દ્વારા ગંદુ કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં આવે છે. જેને કારણે ગટરો બ્લોક થાય છે અને ગટરો ઉભરાવવાના પણ પ્રશ્નો ઉભા થાય છે. ગટરો ખોલવામાં આવે ત્યારે તેમાંથી કચરો અને અન્ય કેમિકલ વેસ્ટ ઘન સ્વરૂપે નિકળે છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના દક્ષિણ ઝોનના શાહવાડી ખાતે વિનસ ટેકસટાઇલની પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનમાં ખામી છે અને કહેવાય છે કે તેનું કૌભાંમદ ચાલી રહ્યું છે.

સ્થાનિક ટેકસ ટાઇલની કંપનીના એસિડિક કચરાવાળા પાણીની ગેર કાયદેસર પાઇપ લાઇન નાખી લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવે છે. આવા ગેરકાયદેસર કનેકશનો આપવામાં ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સામેલ છે. ભૂતકાળમાં આ જ પંપીંગ સ્ટેશનની બાજુ માં ગેસ ગળતરની ઘટનામાં ૪ લોકોના મૃત્યુ થયા હતા.

Body:અમુલ ભટ્ટ ના જણાવ્યા પ્રમાણે સત જેટલી કેમિકલ ફેકરતીને નોટિસ આપવામાં આવી છે અને ગેર કાયદેસર જોડાણો દૂર કરવામાં આવી રહ્યા છે. લાંભા અને એ આખો વિસ્તાર જેમાં કન્સ્ટ્રક્શન કામ કરવામાં આવ્યા છે તેમા કોઈ મંજૂરી કોર્પોરેશન ની લેવામાં આવી નથી જેના લીધે આ વસ્તુ બની રહી છે. પરંતુ જે પણ આમાં જે કોઈ ભાગીદાર હશે તેને છોડવામાં આવશે નહીં.

મળેલ માહિતી મુજબ 10 જેટલી ઇન્ડસ્ટ્રીના ડ્રેનેજ કનેક્શન દૂર કરવામાં આવ્યા છે જેમાં કેમિકલ યુક્ત પાણી મળ્યું છે.
તેના નામ છે અંજલી ટરપોલીન, શ્રીનાથ એસ્ટેટ, બાલાજી ટેક્સટાઇલ, બાલા હનુમાન ટેક્સટાઇલ, આશાપુરા ઇન્ડસ્ટ્રી, સુવિધા કેમિકલ, બળદેવટેન્કર સર્વિસીસ, મુકેશ ભરવાડ ગોડાઉન, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.