ETV Bharat / state

ભાજપે શ્રેય હોસ્પિટલમાં આગ મુદ્દે સંવેદના પ્રગટ કરી, જાણો શું કહ્યું?

author img

By

Published : Aug 6, 2020, 12:12 PM IST

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટના એ દર્દનાક અને દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જે પણ કસૂરવાર હશે, તેમનાં પર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે.

શ્રેય હોસ્પિટલ
શ્રેય હોસ્પિટલ

અમદાવાદ: શહેરની શ્રેય હોસ્પિટલમાં આગની ગોઝારી ઘટનાથી ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શ્રેય હોસ્પિટલ ખાતે બનેલ આગની દુર્ઘટના એ દર્દનાક અને દુ:ખદ છે. આ હોસ્પિટલનાં બીજાં દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના છે.

ભાજપે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ મુદ્દે સંવેદના પ્રગટ કરી

આ મામલો અતિ દુ:ખદ અને સંવેદનશીલ છે. આ સમગ્ર મામલા માટે સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે આ દુર્ઘટનામાં જે પણ કસૂરવાર હશે, તેમનાં પર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે. બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

સી.આર.પાટીલે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું
સી.આર.પાટીલે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદ: શહેરની શ્રેય હોસ્પિટલમાં આગની ગોઝારી ઘટનાથી ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શ્રેય હોસ્પિટલ ખાતે બનેલ આગની દુર્ઘટના એ દર્દનાક અને દુ:ખદ છે. આ હોસ્પિટલનાં બીજાં દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના છે.

ભાજપે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ મુદ્દે સંવેદના પ્રગટ કરી

આ મામલો અતિ દુ:ખદ અને સંવેદનશીલ છે. આ સમગ્ર મામલા માટે સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે આ દુર્ઘટનામાં જે પણ કસૂરવાર હશે, તેમનાં પર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે. બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

સી.આર.પાટીલે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું
સી.આર.પાટીલે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.