ETV Bharat / state

તીસ હજારી કોર્ટ હિંસા: વિરોધમાં બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે વકીલોને 6 નવેમ્બરે લાલપટ્ટી બાંધવા કર્યુ આહ્વાન

author img

By

Published : Nov 4, 2019, 11:14 PM IST

અમદાવાદ: દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાના વિરોધમાં 6 નવેમ્બરના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તાબા હેઠળ આવેલા તમામ વકીલોને કોર્ટ પર લાલપટ્ટી પહેરી વિરોધ વ્યક્ત કરવાનો આહવાન કરવામાં આવ્યો છે.

court

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફે જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં જે બનાવ બન્યો તેને લઈને દિલ્હી હાઇકોર્ટે સુઓમોટો લઈ દિલ્હી પોલીસ કમિશનરને ઇજાગ્રસ્ત વકીલોના નિવેદન લઇ સંડોવાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધી સમગ્ર કેસની જ્યુડિશિયલ તપાસ કરવાનો આદેશ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે એસ.પી.ગર્ગને 6 અઠવાડિયામાં તપાસ કરી સંડોવાયેલા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અથવા તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવાનો આદેશ કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ સમગ્ર ઘટનાને વખોડી વિરોધમાં વકીલોને લાલપટ્ટી બાંધવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 2જી નવેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં વકીલો અને પોલીસ વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા ઘર્ષણનો બનાવ બન્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા મામૂલી બાબતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં એક વકીલ ઘવાયા હતા ત્યારબાદ સમગ્ર મામલો બિચક્યો હતો.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફે જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં જે બનાવ બન્યો તેને લઈને દિલ્હી હાઇકોર્ટે સુઓમોટો લઈ દિલ્હી પોલીસ કમિશનરને ઇજાગ્રસ્ત વકીલોના નિવેદન લઇ સંડોવાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધી સમગ્ર કેસની જ્યુડિશિયલ તપાસ કરવાનો આદેશ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે એસ.પી.ગર્ગને 6 અઠવાડિયામાં તપાસ કરી સંડોવાયેલા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અથવા તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવાનો આદેશ કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ સમગ્ર ઘટનાને વખોડી વિરોધમાં વકીલોને લાલપટ્ટી બાંધવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 2જી નવેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં વકીલો અને પોલીસ વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા ઘર્ષણનો બનાવ બન્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા મામૂલી બાબતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં એક વકીલ ઘવાયા હતા ત્યારબાદ સમગ્ર મામલો બિચક્યો હતો.

Intro:દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાના વિરોધમાં ૬ઠ્ઠી નવેમ્બરના રોજ બાર. કાઉન્સિલ ઓફ ગુજરાતના તાબા હેઠળ આવેલા તમામ વકીલોને કોર્ટ પર લાલપટ્ટી પહેરી વિરોધ વ્યક્ત કરવાનો આહવાન કરવામાં આવ્યો છે...Body:બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફે જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં જે બનાવ બન્યો તેને લઈને દિલ્હી હાઇકોર્ટે સુઓમોટો લઈ દિલ્હી પોલીસ કમિશનરને ઇજાગ્રસ્ત વકીલોના નિવેદન લઇ સંડોવાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધી સમગ્ર કેસની જ્યુડિશિયલ તપાસ કરવાનો આદેશ કર્યો હતો... દિલ્હી હાઈકોર્ટે એસ.પી. ગર્ગને 6 અઠવાડિયામાં તપાસ કરી સંડોવાયેલા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અથવા તેમની વિરુદ્ધ શિકસાત્મક પગલા લેવાનો આદેશ કર્યો હતો... બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ સમગ્ર ઘટનાને વખોડી વિરોધમાં વકીલોને લાલપટ્ટી બાંધવાની અપીલ કરી હતી...Conclusion:આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે 2જી નવેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં વકીલો અને પોલીસ વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા ઘર્ષણનો બનાવ બન્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા મામૂલી બાબતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં એક વકીલ ઘવાયા હતા ત્યારબાદ સમગ્ર મામલો બિચક્યો હતો.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.