- કોરોના મૃતકોના પરિવારને સહાય કરવાનું શરૂ
- અમદાવાદમાં કોરોનાના મૃતકોના 1229 ફોર્મ ભરવામાં આવ્યા
- કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને પરિવારને આર્થિક સહાય
અમદાવાદઃ કોરોનાની બીજી (Corona Pandemic )લહેર દરમિયાન શહેરમાં અનેક લોકો મૃત્યુ(Death from corona) પામ્યા હતા. દેશમાં આવા લોકોના પરિવારને મદદ કરવાની માંગ ઉઠી હતી. સુપ્રીમ કોર્ટે (Supreme Court )પણ સરકારને કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને પરિવારને આર્થિક સહાય કરવા હુકમ કર્યો છે.
મામલતદાર કચેરીમાં ભરાય છે ફોર્મ
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના મૃતકોના પરિવારને રૂપિયા 50 હજારની આર્થિક સહાય (Assistance of Rs. 50,000 to the family of Corona's deceased)કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. આ મુદ્દે અધિક કલેકટરનો ચાર્જ સંભાળતા જશવંત જેહોડાએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ (Death from corona)પામેલ વ્યક્તિનો સબંધી પોતાના વિસ્તારની મામલતદાર કચેરીમાં જઈને ફોર્મ ભરીને ત્યાં જમા કરાવી શકે છે. જે માટે તેણે ડેથ સર્ટીફીકેટ (Death certificate)અને તે વ્યક્તિનો કોરોના રિપોર્ટ રજૂ કરવાનો રહે છે.
મોટા ભાગે ફોર્મ રિજેક્ટ થતા નથી
જશવંત જેહોડાએ ETV Bharatને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના મૃતકોના સંબંધીઓ દ્વારા કુલ 1229 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાંથી 1219 વ્યક્તિઓને સહાય ચૂકવાઈ ગઈ છે. સરકારની ગાઈડલાઈન અનુસાર કોરોનાને લઈને વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેના સંબંધીને સહાય ચુકવવામાં આવે છે. પરંતુ જો ક્યાંય અસમંજસની સ્થિતિ હોય તો જિલ્લા કલેકટર તેનો નિકાલ લાવે છે.
પુરાવા ન હોય તો શું કરવું ?
જો મૃતકનો પોઝિટિવ ટેસ્ટનો રિપોર્ટ ન હોય, તો તેના સંબંધીએ જ્યાં સારવાર લીધી હોય તે ડોક્ટરનું સર્ટીફીકેટ રજુ કરવાનું રહેશે. જો કોરોના કાળમાં તેઓ કોઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમને દવા લીધી હતી કે પછી દાખલ થયા ન પણ હોય અને ઘરે પણ દવા લીધી હોય તો તેના પુરાવા રજુ કરવાના રહેશે.
આ પણ વાંચોઃ ...અને આખરે કોરોનાની જંગ સામે 4 મહિનાના જુગલે મેળવી જીત
આ પણ વાંચોઃ Omicron variant alert: આફ્રિકાથી આવેલા 9 લોકો સહિત 351 લોકો ક્વોરન્ટાઈન