ETV Bharat / state

ભક્તોની હાજરી વગર માત્ર 3 રથની રથયાત્રા યોજવા હાઇકોર્ટમાં અરજી

author img

By

Published : Jun 22, 2020, 3:27 PM IST

Updated : Jun 22, 2020, 3:46 PM IST

કોરોનાની મહામારીને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં 143મી રથયાત્રાના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેમાં ભગવાનના ત્રણ રથને મંદિરની બહાર કાઢી સૌથી નાના રૂટ પર લોકોની હાજરી વગર રથયાત્રા યોજવાની માગ કરી છે. આ મુદ્દે આજે સોમવારે અરજન્ટ સુનાવણી હાથ ધરાઈ શકે છે અને રથયાત્રા યોજવામાં નહીં આવે તો બંધારણના અનુચ્છેદ 25 કે, જેમાં ધાર્મિક લાગણીની વાત કરવામાં આવી છે. તેનું ઉલ્લંઘન થશે.

લોકોની હાજરી વગર માત્ર 3 રથની રથયાત્રા યોજવા હાઇકોર્ટમાં અરજી
લોકોની હાજરી વગર માત્ર 3 રથની રથયાત્રા યોજવા હાઇકોર્ટમાં અરજી

અમદાવાદઃ કોરોનાની મહામારીને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં 143મી રથયાત્રા યોજવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે હિન્દુ યુવા વહિની દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ભગવાનના ત્રણ રથને મંદિરની બહાર કાઢી સૌથી નાના રૂટ પર લોકોની હાજરી વગર રથયાત્રા યોજવાની માગ કરી છે. આ મુદ્દે આજે સોમવારે અરજન્ટ સુનાવણી હાથ ધરાઈ શકે છે.

લોકોની હાજરી વગર માત્ર 3 રથની રથયાત્રા યોજવા હાઇકોર્ટમાં અરજી
લોકોની હાજરી વગર માત્ર 3 રથની રથયાત્રા યોજવા હાઇકોર્ટમાં અરજી

હિન્દુ યુવા વાહિની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે, અમદાવાદમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ વચ્ચે પણ પાછલા 142 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, ત્યારે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કોર્ટ ભગવાન જગન્નાથના ત્રણ રથને મંદિર બહાર કાઢી સૌથી નાના રૂટથી લોકોની હાજરી વગર રથયાત્રા યોજવાની પરવાનગી આપે. રથયાત્રા યોજવામાં નહીં આવે તો બંધારણના અનુચ્છેદ 25 કે, જેમાં ધાર્મિક લાગણીની વાત કરવામાં આવી છે. તેનું ઉલ્લંઘન થશે.

હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, આખા વર્ષ શ્રદ્ધાળુ વીડિયો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે, ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન પોતે બહાર નીકળી નગર ચર્ચા કરે છે. જેથી કરીને શ્રદ્ધાળુઓની લાગણીને માન આપી કોર્ટ ત્રણ રથને મંદિર બહાર કાઢવાની મંજૂરી આપે. રથયાત્રા માત્ર ધાર્મિક તહેવાર નહીં, પરંતુ કોમી એકતાની મિશાલ પણ છે. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદીના રથ આપવામાં આવે છે.

નોંધનીય છે કે, 20મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને સુપ્રીમ કોર્ટના પુરી જગન્નાથ મંદિરના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં યોજવા પર પ્રતિબંધ લાગ્યો હતો. વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી દ્વારા સૌપ્રથમ વખત રથયાત્રા યોજવામાં આવી હતી.

અમદાવાદઃ કોરોનાની મહામારીને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં 143મી રથયાત્રા યોજવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે હિન્દુ યુવા વહિની દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ભગવાનના ત્રણ રથને મંદિરની બહાર કાઢી સૌથી નાના રૂટ પર લોકોની હાજરી વગર રથયાત્રા યોજવાની માગ કરી છે. આ મુદ્દે આજે સોમવારે અરજન્ટ સુનાવણી હાથ ધરાઈ શકે છે.

લોકોની હાજરી વગર માત્ર 3 રથની રથયાત્રા યોજવા હાઇકોર્ટમાં અરજી
લોકોની હાજરી વગર માત્ર 3 રથની રથયાત્રા યોજવા હાઇકોર્ટમાં અરજી

હિન્દુ યુવા વાહિની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે, અમદાવાદમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ વચ્ચે પણ પાછલા 142 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, ત્યારે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કોર્ટ ભગવાન જગન્નાથના ત્રણ રથને મંદિર બહાર કાઢી સૌથી નાના રૂટથી લોકોની હાજરી વગર રથયાત્રા યોજવાની પરવાનગી આપે. રથયાત્રા યોજવામાં નહીં આવે તો બંધારણના અનુચ્છેદ 25 કે, જેમાં ધાર્મિક લાગણીની વાત કરવામાં આવી છે. તેનું ઉલ્લંઘન થશે.

હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, આખા વર્ષ શ્રદ્ધાળુ વીડિયો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે, ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન પોતે બહાર નીકળી નગર ચર્ચા કરે છે. જેથી કરીને શ્રદ્ધાળુઓની લાગણીને માન આપી કોર્ટ ત્રણ રથને મંદિર બહાર કાઢવાની મંજૂરી આપે. રથયાત્રા માત્ર ધાર્મિક તહેવાર નહીં, પરંતુ કોમી એકતાની મિશાલ પણ છે. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદીના રથ આપવામાં આવે છે.

નોંધનીય છે કે, 20મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને સુપ્રીમ કોર્ટના પુરી જગન્નાથ મંદિરના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં યોજવા પર પ્રતિબંધ લાગ્યો હતો. વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી દ્વારા સૌપ્રથમ વખત રથયાત્રા યોજવામાં આવી હતી.

Last Updated : Jun 22, 2020, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.