ETV Bharat / state

શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ - અમદાવાદ

શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસે સૌથી વધુ પગપસેરો કર્યો છે ત્યારે અમદાવાદ સુન્ની વકફ કમિટી દ્વારા શબ-એ-બરાતની રાત્રે કબ્રસ્તાન ન જવા અને ઘરમાં જ ઈબાદત કરવાની મુસ્લિમ બિરાદરના લોકોને આપીલ કરી હતી.

શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ
શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ
author img

By

Published : Apr 9, 2020, 2:47 PM IST

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસના વધુ કેસીસ છે. જેને લઇને અમદાવાદ સુન્ની વકફ કમિટીએ શબ-એ-બરાતની રાત્રે કબ્રસ્તાન ન જઈ અને ઘરમાં જ ઈબાદત કરવાની મુસ્લિમ બિરાદરોને અપીલ કરી હતી. 9મી એપ્રિલે શબ-એ-બરાતની રાત છે ત્યારે આજે શહેરમાં 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં મોટી સંખ્યા કોટ વિસ્તારમાંથી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આવેલી મસ્જિદમાં પણ આ અંગેની સૂચના સ્પીકર દ્વારા આપવામાં આવી છે. મસ્જિદના સ્પીકરમાં લોકોને રાત્રે કબ્રસ્તાન ન જવા અને રાત્રે મસ્જિદમાં નહી પરંતુ ઘરે નમાઝ પઢવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક સ્થળે અઝાનની જેમ સ્પીકરમાં જ નમાઝ પઢવામાં આવશે. જેમાં લોકો પોતાના ઘરે સ્પીકરનો અવાજ સાંભળી ઈબાદત કરી શકશે. .લોકો કોઈપણ રીતે ઘરથી બહાર ન નીકળે તેના માટે જાહેરાત કરાઈ રહી છે. અમદાવાદના કાલુપુર, દરિયપુર, દાણીલીમડા વિસ્તારમાં કોરોના કેસ વધુ હોવાથી તેમને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ

મોટાભાગના પાછલા વર્ષોમાં જોવાઈ રહ્યું છે કે શબ-એ-બરાતની રાત્રે કેટલાક લબરમૂછિયા જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ અને ઉત્પાત મચાવે છે. આ પ્રકારની ઘટના ન બને તેના માટે પણ મસ્જિદમાં એલાન કરાયું છે. ઇસ્લામ ધર્મમાં વર્ષમાં ત્રણ રાત્રે ઇબાદતનો ખાસ મહિમા હોય છે જેમાં શબ-એ-બરાતની રાત સામેલ છે. આ દિવસની સાંજે ખાસ નમાઝ અદા કરવામાં આવે છે અને રાત્રે જાગીને સાચી ઈબાદત કરવામાં આવે તો તેમની માગ પુરી થાય છે.

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસના વધુ કેસીસ છે. જેને લઇને અમદાવાદ સુન્ની વકફ કમિટીએ શબ-એ-બરાતની રાત્રે કબ્રસ્તાન ન જઈ અને ઘરમાં જ ઈબાદત કરવાની મુસ્લિમ બિરાદરોને અપીલ કરી હતી. 9મી એપ્રિલે શબ-એ-બરાતની રાત છે ત્યારે આજે શહેરમાં 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં મોટી સંખ્યા કોટ વિસ્તારમાંથી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આવેલી મસ્જિદમાં પણ આ અંગેની સૂચના સ્પીકર દ્વારા આપવામાં આવી છે. મસ્જિદના સ્પીકરમાં લોકોને રાત્રે કબ્રસ્તાન ન જવા અને રાત્રે મસ્જિદમાં નહી પરંતુ ઘરે નમાઝ પઢવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક સ્થળે અઝાનની જેમ સ્પીકરમાં જ નમાઝ પઢવામાં આવશે. જેમાં લોકો પોતાના ઘરે સ્પીકરનો અવાજ સાંભળી ઈબાદત કરી શકશે. .લોકો કોઈપણ રીતે ઘરથી બહાર ન નીકળે તેના માટે જાહેરાત કરાઈ રહી છે. અમદાવાદના કાલુપુર, દરિયપુર, દાણીલીમડા વિસ્તારમાં કોરોના કેસ વધુ હોવાથી તેમને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

શબ-એ-બરાતની રાત્રે ઘરમાં જ નમાઝ-ઈબાદત કરવાની વકફ બોર્ડે કરી અપીલ

મોટાભાગના પાછલા વર્ષોમાં જોવાઈ રહ્યું છે કે શબ-એ-બરાતની રાત્રે કેટલાક લબરમૂછિયા જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ અને ઉત્પાત મચાવે છે. આ પ્રકારની ઘટના ન બને તેના માટે પણ મસ્જિદમાં એલાન કરાયું છે. ઇસ્લામ ધર્મમાં વર્ષમાં ત્રણ રાત્રે ઇબાદતનો ખાસ મહિમા હોય છે જેમાં શબ-એ-બરાતની રાત સામેલ છે. આ દિવસની સાંજે ખાસ નમાઝ અદા કરવામાં આવે છે અને રાત્રે જાગીને સાચી ઈબાદત કરવામાં આવે તો તેમની માગ પુરી થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.