ETV Bharat / state

રાજકોટમાં કસ્ટડીયલ ટોર્ચરના આક્ષેપ સાથે કોંગ્રેસ કિસાન પ્રમુખની હાઈકોર્ટમાં ઘા - Gujarat High Court

ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલાભાઈ અંબાલિયા સાથે રાજકોટમાં કસ્ટડીયલ ટોર્ચર કરવાં આવ્યું તેવા આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી પર શુ પગલાં લેવામાં આવ્યા તેવી માંગ કરતી કન્ટેમ્પ અરજીમાં શનિવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે શુ પગલાં લેવામાં આવ્યા તેવો રેકોર્ડ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 22મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

રાજકોટમાં કસ્ટડીયલ ટોર્ચરના આક્ષેપ સાથે કોંગ્રેસ કિસાન પ્રમુખની હાઈકોર્ટમાં ઘા
રાજકોટમાં કસ્ટડીયલ ટોર્ચરના આક્ષેપ સાથે કોંગ્રેસ કિસાન પ્રમુખની હાઈકોર્ટમાં ઘા
author img

By

Published : Sep 19, 2020, 11:00 PM IST

રાજકોટઃ અરજદાર પલાભાઇ આંબલીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટ જિલ્લાના DCP જયદીપસિંહ સરવૈયા અને રાજકોટ પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતા પી.આઈ હિતેશ ગઢવીએ કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો અને ધમકી આપવામાં આવી હતી કે જો ફરીવાર રાજકોટમાં દેખાશે તો નકલી એન્કાઉન્ટરમાં મારી નાખીશું તેવો આક્ષેપ કરાયો છે.

રાજકોટમાં કસ્ટડીયલ ટોર્ચરના આક્ષેપ સાથે કોંગ્રેસ કિસાન પ્રમુખની હાઈકોર્ટમાં ઘા

અરજદારના વકીલે આનંદ યાજ્ઞિક હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટમાં ડી.કે. બસુના જજમેન્ટ પ્રમાણે અરજદારે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે પલાભાઈ આંબલિયાએ પીએમ કેર ફંડમાં પૈસાને બદલે કૃષિ ઉત્પાદક મોકલ્યા જેનાથી ભૂખ્યા લોકોના પેટ ભરી શકાય. આ બાબત યોગ્ય ન જતા તેમની સાથે આવું કૃત્ય કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટઃ અરજદાર પલાભાઇ આંબલીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટ જિલ્લાના DCP જયદીપસિંહ સરવૈયા અને રાજકોટ પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતા પી.આઈ હિતેશ ગઢવીએ કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો અને ધમકી આપવામાં આવી હતી કે જો ફરીવાર રાજકોટમાં દેખાશે તો નકલી એન્કાઉન્ટરમાં મારી નાખીશું તેવો આક્ષેપ કરાયો છે.

રાજકોટમાં કસ્ટડીયલ ટોર્ચરના આક્ષેપ સાથે કોંગ્રેસ કિસાન પ્રમુખની હાઈકોર્ટમાં ઘા

અરજદારના વકીલે આનંદ યાજ્ઞિક હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટમાં ડી.કે. બસુના જજમેન્ટ પ્રમાણે અરજદારે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે પલાભાઈ આંબલિયાએ પીએમ કેર ફંડમાં પૈસાને બદલે કૃષિ ઉત્પાદક મોકલ્યા જેનાથી ભૂખ્યા લોકોના પેટ ભરી શકાય. આ બાબત યોગ્ય ન જતા તેમની સાથે આવું કૃત્ય કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.