ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટઃ 26 પોઝિટિવ કેસ નોંધાય, કુલ આંક 2088

author img

By

Published : Sep 15, 2020, 1:53 AM IST

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ચ વિસ્તારોમાં પણ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવાર સાંજ સુધીમાં 26 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે કુલ આંકડો 2088 પર પહોંચ્યો છે. જેમાં અત્યાર સુધીમાં ધોળકા તાલુકામાં 488 અને સાણંદ તાલુકામાં 467 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Ahmedabad
Ahmedabad

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવાર સાંજ સુધીમાં 26 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 2088 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડાનો અમદાવાદ શહેરના આંકડામાં સમાવેશ કરવામાં આવતો નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે. જ્યારે કોરોનાને કારણે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 58 કોરોના દર્દીઓના મોત થયા છે.

અમદાવાદના વિવિધ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા

  • ધોળકા - 488
  • સાણંદ - 467
  • દસક્રોઈ - 313
  • બાવળા - 247
  • ધંધુકા - 181
  • વિરમગામ - 239
  • માંડલ - 83

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 1.06 લાખ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોવિડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 24 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ધોળકા અને સાણંદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવાર સાંજ સુધીમાં 26 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 2088 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડાનો અમદાવાદ શહેરના આંકડામાં સમાવેશ કરવામાં આવતો નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે. જ્યારે કોરોનાને કારણે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 58 કોરોના દર્દીઓના મોત થયા છે.

અમદાવાદના વિવિધ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા

  • ધોળકા - 488
  • સાણંદ - 467
  • દસક્રોઈ - 313
  • બાવળા - 247
  • ધંધુકા - 181
  • વિરમગામ - 239
  • માંડલ - 83

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 1.06 લાખ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોવિડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 24 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ધોળકા અને સાણંદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.