અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના હસ્તે પુનરુત્થાન વિદ્યાપીઠમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકોના વિમોચનમાં પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા તૈયાર કરવામાં આવેલા 1051 પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મોહન ભાગવતે સંબોધન કરતા કહ્યું હતું કે, 1051 પુસ્તકનું એક સાથે વિમોચન એ કોઈ નાનું કામ ન હોય શકે. એક સાથે આટલા બધા પુસ્તકોનું વિમોચન એ કદાચ વૈશ્વિક રેકોર્ડ બની શકે છે.
ભારતની આવશ્યકતા દુનિયાને : વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય લોકોને ભારતીય પરંપરાનું જ્ઞાન થઈ જાય એ માટે આ દિશામાં એક પગલું લેવામાં આવ્યું છે. આપણા ભારતીય જ્ઞાનને સમજવા માટે અલગ અલગ પ્રકાર છે. આપણી શિક્ષણ શૈલીમાં વિજ્ઞાન અને ધર્મ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત જ્યારે ગુલામીની શકંજોમાં હતો ત્યારે આપણી લૂંટ થતી રહી અને તેના જ કારણે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા જ નહીં. હવે દરેક ભારતીય પોતાના જ્ઞાન થકી શિક્ષણનું મહત્વ સમજવું જરૂરી છે. જ્યારે કોરોનાનો સમયગાળો હતો, ત્યારે વિશ્વને ખબર પડી કે ભારતની આવશ્યકતા દુનિયાને છે.
જ્ઞાન અને વિજ્ઞાન પુરક : મોહન ભાગવતે વિજ્ઞાન વિશેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આપણે બહારની વાતોને જણાવીએ છીએ એને જ્ઞાન માનવામાં આવે છે, પરંતુ હકીકત રૂપે એ વિજ્ઞાન છે. જ્યારે ધ્યાન કરવાથી આંતરિક જ્ઞાન મળે છે. આંતરિક જ્ઞાન થકી આપણે અહંકારને મારી શકીએ છીએ. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે જાણી જોઈને જ ઝઘડો ઉભો કરવામાં આવશ્ય. પરંતુ હકીકત રૂપે બંને એકબીજાના પર્યાય છે. એવી જ રીતે જ્ઞાન અને વિજ્ઞાન પણ પૂરક છે. નવી શિક્ષણ નીતિ વિશે તેમણે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે. નવી શિક્ષણનીતિ એપ રાષ્ટ્રવ્યાપી છે, પરંતુ આ નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે તેમાં શું નવું છે તે જોવાની દ્રષ્ટિ અલગ રીતે હોવી જોઈએ.
આ પણ વાંચો : Book on Animals: 11 વર્ષીય બાળકીએ પ્રાણીઓ ઉપર લખેલું પુસ્તક જોઈ બુદ્ધિજીવીઓ પણ વિચારમાં પડી ગ્યા
1051 ગ્રંથો તૈયાર : મોહન ભાગવત વિવિધ ઉદાહરણો થતી ભારતીય સંસ્કૃતિ, ભારતીય શિક્ષા, ધર્મજ્ઞાન, વિજ્ઞાન, ભવિષ્યમાં ભારતની ઉજ્જવળ તકો વગેરે જેવા વિવિધ વિષયોને આવરી લીધા હતા. પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોનું જે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં 1051 ગ્રંથોમાં જુદા જુદા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તકોમાં ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ સારી રીતે ઉલ્લેખ જોવા મળે છે.
આ પણ વાંચો : સંસ્કૃતને ફરી વ્યવહારૂ ભાષા બનાવવા 1 લાખ સંસ્કૃતં વદતુ પુસ્તકનું વિતરણ
કેવા પુસ્તકો : ભારતના ધર્મ સંસ્કૃતિ સમાજ, ભારતની પ્રાચીન શૈલી, આઝાદીના સમય ગાળો, ખેલ કુદ, અર્થશાસ્ત્ર, આજનું શિક્ષણ વિશેનો પ્રકાશ પાડતા પુસ્તકો, વેદ ગણિત, વિજ્ઞાન અને તંત્રજ્ઞાન, ખગોળ અને ભૂગોળ, આયુર્વેદ જીવન વ્યવસ્થા સાહિત્ય રાજનીતિક, જેવા તમામ વિષયોને આ 1051 પુસ્તકોની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે 1051 પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. તેના પુનરુત્થાન વિદ્યાપીઠના સ્થાપક હિન્દુમતી કાટદરે, રાષ્ટ્રીય સેવિકા સમિતિના પ્રમુખ સંચાલિકા સાન્તાકા અને જુના પીઠાધીશ્વર મહામંડલેશ્વરના મહારાજ અવેધશાનંદગીરી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.