ETV Bharat / state

MLA ફંડ પાસ ન થતા અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સરકાર પર લગાવ્યા આક્ષેપો - Ahmedabad MLA Gyasuddin Sheikh

રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના અનેક ધારાસભ્યો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા હતા. સ્થાનિક તંત્રએ અને રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોને ફંડ આપવા બાબતે અનેક પ્રકારની મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યી હોવાની ફરિયાદો કરી હતી. અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખેનું પાંચ કરોડનું ફંડ હજુ પણ પાસ થયું નથી. જેને કારણે તેઓ નાખુશ જોવા મળ્યા હતા. આ બાબતે અમદાવાદ મ્યુનિશિપાલ કમિશનને પણ ફરિયાદ કરી હતી.

Etv Bharatઅમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે
Etv Bharatઅમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે
author img

By

Published : Oct 23, 2022, 6:41 PM IST

Updated : Oct 23, 2022, 6:53 PM IST

અમદાવાદ : ગ્યાસુદ્દીન શેખે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિશિપાલ સંકલન સમિતિમાં મારી અવારનવાર રજૂઆતને પગલે કન્સલન્ટન્ટની નિમણુંક કરી હતી. શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ કમુમીયાની ચાલી, ભગુભાઈની ચાલી, નકળંગપુરા અને રામલાલના ખાડા સહિત વિવિધ વિસ્તારો માટે રુપિયા 05 કરોડની ગ્રાન્ટ મંજુર કરી હતી. તેમ છતાં કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં રાજકીય કારણોસર કામ મંદ ગતિએ થઈ રહ્યા છે. આશ્ચર્યજનક રીતે મંજુર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં તો કામો હજુ સુધી શરુ પણ કરવામા આવ્યા નથી.

ગ્યાસુદ્દીન શેખે

પ્રાથમિક સુવિધાથી લોકો વંચિત : દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું કે, શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં પોલ્યુશનયુક્ત પાણી, ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા અને ખાડા-ટેકરા વાળા રસ્તાઓને પરિણામે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકો પ્રદૂષિત પાણી પીવાને કારણે અવારનવાર પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. ડ્રેનેજ લાઈનોમાંથી પાણીની લાઈનો પસાર થાય છે. ગંદકી અને દૂર્ગંધથી ત્રાહિમામ થઇ ગયા છે. યુદ્ધના ધોરણે કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં કામ ઝડપથી પૂરુ કરવામાં આવે અને મંજુર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં કામ ઝડપથી શરુ કરી પ્રજાની હાલાકી દૂર કરવામાં આવે.

અમદાવાદ : ગ્યાસુદ્દીન શેખે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિશિપાલ સંકલન સમિતિમાં મારી અવારનવાર રજૂઆતને પગલે કન્સલન્ટન્ટની નિમણુંક કરી હતી. શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ કમુમીયાની ચાલી, ભગુભાઈની ચાલી, નકળંગપુરા અને રામલાલના ખાડા સહિત વિવિધ વિસ્તારો માટે રુપિયા 05 કરોડની ગ્રાન્ટ મંજુર કરી હતી. તેમ છતાં કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં રાજકીય કારણોસર કામ મંદ ગતિએ થઈ રહ્યા છે. આશ્ચર્યજનક રીતે મંજુર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં તો કામો હજુ સુધી શરુ પણ કરવામા આવ્યા નથી.

ગ્યાસુદ્દીન શેખે

પ્રાથમિક સુવિધાથી લોકો વંચિત : દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું કે, શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં પોલ્યુશનયુક્ત પાણી, ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા અને ખાડા-ટેકરા વાળા રસ્તાઓને પરિણામે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકો પ્રદૂષિત પાણી પીવાને કારણે અવારનવાર પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. ડ્રેનેજ લાઈનોમાંથી પાણીની લાઈનો પસાર થાય છે. ગંદકી અને દૂર્ગંધથી ત્રાહિમામ થઇ ગયા છે. યુદ્ધના ધોરણે કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં કામ ઝડપથી પૂરુ કરવામાં આવે અને મંજુર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં કામ ઝડપથી શરુ કરી પ્રજાની હાલાકી દૂર કરવામાં આવે.

Last Updated : Oct 23, 2022, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.