ETV Bharat / state

ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલે તપાસ કમીટીની બેઠક મળી, મહિલાને ગુજરાત બોલાવવા પર સસ્પેન્સ

author img

By

Published : Jul 29, 2019, 7:49 PM IST

અમદાવાદઃ નેશનલ રુરલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં આઈએએસ ગૌરવ દહિયા દ્વારા દિલ્હી ખાતે રહેતી યુવતિ સાથે લગ્ન કર્યા બાદ છેતરપિંડી આચરી હોવાની લેખિત ફરિયાદ ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને મળી છે. બીજી તરફ આઈએએસ ગૌરવ દહિયાએ પણ સેક્ટર 7 પોલીસ મથકમાં દિલ્હી સ્થિત યુવતિ દ્વારા માનસિક હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ કરાઈ છે. ત્યારે બંને લેખિત અરજી મળતાં હવે ગાંધીનગર પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલી કમિટીની બેઠક મળી હતી. આ તપાસ ક્યાંથી અને કેવી રીતે શરુ કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

ahmedabad-gaurav-dahiya-love-case

રાજ્ય સરકાર દ્વારા IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણમાં એક ખાસ કમિટીની રચના કરવામા આવી છે. જેની પ્રથમ બેઠક સોમવારના રોજ સચિવાલય સંકુલમાં યોજવામાં આવી હતી. બેઠક મુદ્દે કમિટીના ચેરપર્સન સુનાયના તોમરે જણાવ્યું હતું કે ગૌરવ દહીંયાં પર જે મહિલા એ કરેલા આક્ષેપો મુદ્દે કમિટીમાં ચર્ચા થઈ છે. આ પ્રેમ પ્રકરણમાં સરકાર દ્વારા 5 મહિલા અધિકારીઓની તપાસ સમિતિ બનાવવામાં આવી છે, જેને સોમવારે બેઠક મળી હતી. અધિકારી ગૌરવ દહિયા અને પીડિત મહિલાનો કઈ રીતે કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને સમગ્ર ઘટના શું છે, તે અંગે તપાસ કરવામાં આવશે જેની પ્રાથમિક બેઠક મળી હતી

ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલો, તપાસ કમીટીની મળી બેઠક, મહિલાને ગુજરાત બોલાવવા પર સસ્પેન્સ

કમીટીના ચેરમેન સુનયના તોમર એ વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં પીડિતા સાથે કઈ રીતે તપાસ કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવશે. જ્યારે પીડિતાને ગુજરાતમાં બોલાવવામાં આવશે કે નહીં અથવા તો ગુજરાતી ટીમ દિલ્હી મોકલવામાં આવશે તે અંગે પણ પીડિત સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે, ઉપરાંત ગૌરવ દહીંયાંને પણ તપાસ માટે બોલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એવું નથી દિલ્હીની પીડિત મહિલા દ્વારા અગાઉ આઈએએસ ગૌરવ દહિયા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે કે નહીં, તે તપાસ કરવામાં આવશે. આ બેઠકમાં વાહનવ્યવહાર કમિશ્નર સોનલ મિશ્રા, પોર્ટ વિભાગના સુનાયના તૌમર, રિટાયર્ડ IAS દેવી બહેન, મમતા વર્મા, અને GADના અશોક દવે બેઠકમાં હાજર રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણમાં એક ખાસ કમિટીની રચના કરવામા આવી છે. જેની પ્રથમ બેઠક સોમવારના રોજ સચિવાલય સંકુલમાં યોજવામાં આવી હતી. બેઠક મુદ્દે કમિટીના ચેરપર્સન સુનાયના તોમરે જણાવ્યું હતું કે ગૌરવ દહીંયાં પર જે મહિલા એ કરેલા આક્ષેપો મુદ્દે કમિટીમાં ચર્ચા થઈ છે. આ પ્રેમ પ્રકરણમાં સરકાર દ્વારા 5 મહિલા અધિકારીઓની તપાસ સમિતિ બનાવવામાં આવી છે, જેને સોમવારે બેઠક મળી હતી. અધિકારી ગૌરવ દહિયા અને પીડિત મહિલાનો કઈ રીતે કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને સમગ્ર ઘટના શું છે, તે અંગે તપાસ કરવામાં આવશે જેની પ્રાથમિક બેઠક મળી હતી

ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલો, તપાસ કમીટીની મળી બેઠક, મહિલાને ગુજરાત બોલાવવા પર સસ્પેન્સ

કમીટીના ચેરમેન સુનયના તોમર એ વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં પીડિતા સાથે કઈ રીતે તપાસ કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવશે. જ્યારે પીડિતાને ગુજરાતમાં બોલાવવામાં આવશે કે નહીં અથવા તો ગુજરાતી ટીમ દિલ્હી મોકલવામાં આવશે તે અંગે પણ પીડિત સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે, ઉપરાંત ગૌરવ દહીંયાંને પણ તપાસ માટે બોલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એવું નથી દિલ્હીની પીડિત મહિલા દ્વારા અગાઉ આઈએએસ ગૌરવ દહિયા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે કે નહીં, તે તપાસ કરવામાં આવશે. આ બેઠકમાં વાહનવ્યવહાર કમિશ્નર સોનલ મિશ્રા, પોર્ટ વિભાગના સુનાયના તૌમર, રિટાયર્ડ IAS દેવી બહેન, મમતા વર્મા, અને GADના અશોક દવે બેઠકમાં હાજર રહ્યા હતા.

Intro:નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં આઈએએસ ગૌરવ દહિયા દ્વારા દિલ્હી ખાતે રહેતી યુવતિ સાથે લગ્ન કર્યા બાદ છેતરપિંડી આચરી હોવાની લેખિત ફરિયાદ ગાંધીનગર જીલ્લા પોલીસ વડાને મળી છે. બીજી તરફ આઈએએસ ગૌરવ દહિયાએ પણ સેક્ટર 7 પોલીસ મથકમાં દિલ્હી સ્થિત યુવતિ દ્વારા માનસિક હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ કરાઈ છે ત્યારે બંને લેખિત અરજી મળતાં હવે ગાંધીનગર પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસ ના આદેશ આપ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલ આજે કમિટી ની બેઠક મળી હતી. જેમાં આ તપાસ ક્યાંથી અને કેવી રીતે શરુ કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતીBody:રાજ્ય સરકાર દ્વારા ias ગૌરવ દહિયા કતીથ પ્રેમ પ્રકરણમાં એક ખાસ કમિટીની રચના કરવામા આવી છે. જેની પ્રથમ બેઠક આજે સચિવાલય સંકુલમાં યોજવામાં આવી હતી. બેઠક મુદ્દે કમિટી ના ચેરપર્સન સુનાયના તોમરે જણાવ્યું હતું કે ગૌરવ દહીંયાં પર જે મહિલા એ કરેલા આક્ષેપો મુદ્દે કમિટી માં ચર્ચા થઈ છે. આ પ્રેમ પ્રકરણમાં સરકાર દ્વારા 5 મહિલા અધિકારી ઓ ની તપાસ સમિતિ બનાવવામાં આવી છે જેને આજે બેઠક મળી હતી. અધિકારી ગૌરવ દહિયા અને પીડિત મહિલા નો કઈ રીતે કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને સમગ્ર ઘટના શું છે તે અંગે તપાસ કરવામાં આવશે જેની પ્રાથમિક બેઠક આજે મળી હતી

બાઈટ... સુનાયના તોમર કમિટી ચેરમેનConclusion:કમિટીના ચેરમેન સુનયના તોમર એ વધુમાં જણાવ્યું હતું કે આજની બેઠકમાં પીડિતા સાથે કઈ રીતે તપાસ કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવશે જ્યારે પીડિતાને ગુજરાતમાં બોલાવવામાં આવશે કે નહીં અથવા તો ગુજરાતી ટીમ દિલ્હી મોકલવામાં આવશે તે અંગે પણ પીડિત સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે, ઉપરાંતગૌરવ દહીંયાં ને પણ તપાસ માટે બોલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એવું નથી દિલ્હીની પીડિત મહિલા દ્વારા અગાઉ આઈએએસ ગૌરવ દહિયા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે કે નહીં તે તપાસ કરવામાં આવશે..આજની બેઠકમાં વાહનવ્યવહાર કમિશ્નર સોનલ મિશ્રા, પોર્ટ વિભાગ ના સુનાયના તૌમર, રિટાયર્ડ IAS દેવી બહેન, મમતા વર્મા, અને gad ના અશોક દવે બેઠક માં હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.