ETV Bharat / state

સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા

author img

By

Published : Aug 25, 2020, 10:13 PM IST

અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કે.નિરાલાએ જણાવ્યું છે કે, ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા પણ સંપૂર્ણ રીતે સજ્જ છે. મંગળવારના રોજ સંત સરોવર ડેમની સપાટી 95 ટકા સુધી ભરાઈ છે. સાબરમતી નદીમાંથી 1500 ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હોવાથી અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે આ ગામડાઓને વિવિધ સિગ્નલ પ્રમાણે તેની ગંભીરતા નક્કી કરી તબક્કાવાર અલગ પાડવામાં આવશે.

સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા
સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા

અમદાવાદ: જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતુ કે, 1 લાખ 45 હજાર ક્યૂસેક લેવલ પર પાણીની સપાટી પહોંચતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. જેમાં અમદાવાદના શહેરી વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવશે. કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ પૂર્ણ રીતે કાર્યરત છે. અમદાવાદ કલેક્ટર કચેરીની વેબસાઈટ પરથી વરસાદના આંકડા તેમજ વરસાદી સ્થિતી અંગેની માહિતી સરળતાપૂર્વક મળી રહેશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા
સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા
આ ઉપરાંત વરસાદી સપાટી વધી જાય ત્યારે સલામતી પગલાના ભાગરૂપે અસરગ્રસ્ત ગામના સરપંચ, તલાટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને NDRF ટીમની મદદથી બોટ, તરવૈયા અને ઈમરજન્સી રેસ્કયૂ ટીમને તૈયાર કરવામાં આવશે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલની ટીમ તરફથી પણ જે સૂચનો અને સહકારની જરૂર પડશે તે તમામ સહકાર મેળવવા અમે તૈયારી દાખવી છે.જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, સોમવારના રોજ વિરમગામમાં વધુ વરસાદ વરસતા પાણીનું સ્તર વધવાથી અમુક ગામડાઓમાં પાણી ભરાઈ જવાના પગલે લોકોનુંં સ્થળાતંર કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર પરિસ્થિતીમાં કોઈપણ વ્યક્તિ કે જાનમાલનું નુકસાન થયું નથી. આવી પરિસ્થિતિઓમાં કોઈપણ મિલકત કે પાકનું નુકસાન થાય ત્યારે, અમારી ટીમ દ્વારા સર્વે કરીને સરકારી સહાય ચૂકવવા અમે કટિબદ્ધ છીએ.

અમદાવાદ: જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતુ કે, 1 લાખ 45 હજાર ક્યૂસેક લેવલ પર પાણીની સપાટી પહોંચતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. જેમાં અમદાવાદના શહેરી વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવશે. કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ પૂર્ણ રીતે કાર્યરત છે. અમદાવાદ કલેક્ટર કચેરીની વેબસાઈટ પરથી વરસાદના આંકડા તેમજ વરસાદી સ્થિતી અંગેની માહિતી સરળતાપૂર્વક મળી રહેશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા
સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા
આ ઉપરાંત વરસાદી સપાટી વધી જાય ત્યારે સલામતી પગલાના ભાગરૂપે અસરગ્રસ્ત ગામના સરપંચ, તલાટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને NDRF ટીમની મદદથી બોટ, તરવૈયા અને ઈમરજન્સી રેસ્કયૂ ટીમને તૈયાર કરવામાં આવશે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલની ટીમ તરફથી પણ જે સૂચનો અને સહકારની જરૂર પડશે તે તમામ સહકાર મેળવવા અમે તૈયારી દાખવી છે.જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, સોમવારના રોજ વિરમગામમાં વધુ વરસાદ વરસતા પાણીનું સ્તર વધવાથી અમુક ગામડાઓમાં પાણી ભરાઈ જવાના પગલે લોકોનુંં સ્થળાતંર કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર પરિસ્થિતીમાં કોઈપણ વ્યક્તિ કે જાનમાલનું નુકસાન થયું નથી. આવી પરિસ્થિતિઓમાં કોઈપણ મિલકત કે પાકનું નુકસાન થાય ત્યારે, અમારી ટીમ દ્વારા સર્વે કરીને સરકારી સહાય ચૂકવવા અમે કટિબદ્ધ છીએ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.