ETV Bharat / state

Ahmedabad Crime : યુએસમાં કબૂતરબાજી કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ, સીઆઈડી પાસે તપાસનો દોર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 8:28 PM IST

અમેરિકામાં વસવાની લગની લઇને યેનકેન પ્રકારેણ કાયદાનો ભંગ કરીને પણ જવાના મામલામાં એજન્ટોનો મોટો ફાળો હોય છે. હાલના ફ્રાન્સથી વિમાન પરત આવવાના કબૂતરબાજી મામલામાં 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં સીઆઈડી ક્રાઈમે 14 એજન્ટો સામે કાર્યવાહી શરુ કરી છે તેમાં મુંબઇ, દિલ્હી, દુબઇ અને ગુજરાતના એજન્ટોનો સમાવેશ થાય છે.

Ahmedabad Crime : યુએસમાં કબૂતરબાજી કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ, સીઆઈડી પાસે તપાસનો દોર
Ahmedabad Crime : યુએસમાં કબૂતરબાજી કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ, સીઆઈડી પાસે તપાસનો દોર
14 એજન્ટો સામે ગુનો નોંધાયો

અમદાવાદ : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના કબૂતરબાજીના તાજેતરના મામલામાં 14 એજન્ટો સામે કાયદાની તલવાર ઉગામવામાં આવી છે. વિગતે જણાવીએ કે, દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તા.26/12/2023 ના રોજ ગેરકાયદેસર રીતે દુબઈથી નિકારાગુઓથી અમેરિકા જતાં પ્લેનને ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર રોકવામાં આવેલું. જેમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના મુસાફરો હતાં. ફ્રાન્સથી પરત આવેલા મુસાફરો પૈકી 66 જેટલા ગુજરાતી મુસાફરો હતાં. મામલાને લઇને સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. મોટા ભાગના મુસાફરો ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લાના હતાં. તપાસમાં બહાર આવેલી કેટલીક વિગતો પ્રમાણે અમુક મુસાફરોના 30 દિવસના તેમજ અમુક મુસાફરોના 3 મહિના સુધીના દુબઇના વિઝિટર વિઝા મેળવેલા હતાં અને તેઓને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મુંબઇ ખાતેના જુદા જુદા એજન્ટો દ્વારા પાઠવવામાં આવ્યાં હતાં. આ મુસાફરોને પંજાબી હોય તો ખાલીસ્તાની છીએ તેવું કહેવાનું જણાવાયું હતું. જેથી ખાલીસ્તાની કહે તો રાજ્યાશ્રય લેવા સહાનુભૂતિ મળે. મુખ્ય એજન્ટ કે જેઓ દિલ્હી, દુબઇ, નિકારાગોવા, મેક્સિકો, અમેરિકા છે. અમેરિકા પહોંચ્યા પછી 60 લાખથી 80 લાખ મુસાફર દીઠ નાણાં આ એજન્ટોને આપવાના નક્કી કરવામાં આવ્યું હતું. કુલ 14 આરોપીઓ વિરુદ્ધ સી.આઇ.ડી.ક્રાઇમએ આઇ.પી.સી. કલમ 370, 201 અને 120(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે...રાજીવ રંજન ( એડીજી, સીઆઈડી ક્રાઇમ )

કયા એજન્ટો સામે કાર્યવાહી : કબૂતરબાજી કેસમાં યુએસમાં કબૂતરબાજી કેસમાં ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે કાયદાકીય કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે પીયૂષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે પણ ગુનો નોંધાયો છે. ગત ડીસેમ્બર મહિનામાં ગેરકાયદે રીતે અમેરિકા જતા પહેલાં ફ્રાંસના વાંટ્રી એરપોર્ટથી વિમાન પરત મોકલવામાં આવ્યુ હતું જે બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ કરાવ્યા હતા ડિલીટ : જે સમગ્ર મામલે IPCની કલમ 120 B, 201, 370 મુજબ ગુનો નોંધાયો દાખલ કરવામાં આવ્યો છે. કાવતરું ઘડવું, પુરાવાનો નાશ કરવો તેમજ ગેરકાયદે લાલચ આપી વિદેશ મોકલવાનો કેસમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે ફ્રાન્સના વાંટ્રી એરપોર્ટથી પરત આવેલાં 66 પેસેન્જરના પણ નિવેદન લેવામાં આવ્યા છે. તેઓને મોકલનારા એજન્ટોએ પેસેન્જરોના મોબાઇલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતાં તેમજ લાલચ આપીને ગેરકાયદે મોકલ્યા હોવાનુ પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો હતો. આપને જણાવીએ કે ગત માસમાં 303 ભારતીય મુસાફરોને લઈને નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટને માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સ ખાતે ઉતારવામાં આવી હતી.

  1. Human trafficking : માનવતસ્કરીનો મહાપ્લાન ખોલશે ગુજરાત CID ક્રાઇમ, જુઓ અમેરિકામાં ઘૂસણખોરીનો રુટ
  2. લિજેન્ડ એરલાઇન્સમાં માનવ તસ્કરીની આશંકા, ભારતીયોને લઈ જતી ફ્લાઈટ ફ્રાંસ ખાતે રોકવામાં આવી

14 એજન્ટો સામે ગુનો નોંધાયો

અમદાવાદ : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના કબૂતરબાજીના તાજેતરના મામલામાં 14 એજન્ટો સામે કાયદાની તલવાર ઉગામવામાં આવી છે. વિગતે જણાવીએ કે, દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તા.26/12/2023 ના રોજ ગેરકાયદેસર રીતે દુબઈથી નિકારાગુઓથી અમેરિકા જતાં પ્લેનને ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર રોકવામાં આવેલું. જેમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના મુસાફરો હતાં. ફ્રાન્સથી પરત આવેલા મુસાફરો પૈકી 66 જેટલા ગુજરાતી મુસાફરો હતાં. મામલાને લઇને સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. મોટા ભાગના મુસાફરો ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લાના હતાં. તપાસમાં બહાર આવેલી કેટલીક વિગતો પ્રમાણે અમુક મુસાફરોના 30 દિવસના તેમજ અમુક મુસાફરોના 3 મહિના સુધીના દુબઇના વિઝિટર વિઝા મેળવેલા હતાં અને તેઓને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મુંબઇ ખાતેના જુદા જુદા એજન્ટો દ્વારા પાઠવવામાં આવ્યાં હતાં. આ મુસાફરોને પંજાબી હોય તો ખાલીસ્તાની છીએ તેવું કહેવાનું જણાવાયું હતું. જેથી ખાલીસ્તાની કહે તો રાજ્યાશ્રય લેવા સહાનુભૂતિ મળે. મુખ્ય એજન્ટ કે જેઓ દિલ્હી, દુબઇ, નિકારાગોવા, મેક્સિકો, અમેરિકા છે. અમેરિકા પહોંચ્યા પછી 60 લાખથી 80 લાખ મુસાફર દીઠ નાણાં આ એજન્ટોને આપવાના નક્કી કરવામાં આવ્યું હતું. કુલ 14 આરોપીઓ વિરુદ્ધ સી.આઇ.ડી.ક્રાઇમએ આઇ.પી.સી. કલમ 370, 201 અને 120(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે...રાજીવ રંજન ( એડીજી, સીઆઈડી ક્રાઇમ )

કયા એજન્ટો સામે કાર્યવાહી : કબૂતરબાજી કેસમાં યુએસમાં કબૂતરબાજી કેસમાં ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે કાયદાકીય કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે પીયૂષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે પણ ગુનો નોંધાયો છે. ગત ડીસેમ્બર મહિનામાં ગેરકાયદે રીતે અમેરિકા જતા પહેલાં ફ્રાંસના વાંટ્રી એરપોર્ટથી વિમાન પરત મોકલવામાં આવ્યુ હતું જે બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ કરાવ્યા હતા ડિલીટ : જે સમગ્ર મામલે IPCની કલમ 120 B, 201, 370 મુજબ ગુનો નોંધાયો દાખલ કરવામાં આવ્યો છે. કાવતરું ઘડવું, પુરાવાનો નાશ કરવો તેમજ ગેરકાયદે લાલચ આપી વિદેશ મોકલવાનો કેસમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે ફ્રાન્સના વાંટ્રી એરપોર્ટથી પરત આવેલાં 66 પેસેન્જરના પણ નિવેદન લેવામાં આવ્યા છે. તેઓને મોકલનારા એજન્ટોએ પેસેન્જરોના મોબાઇલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતાં તેમજ લાલચ આપીને ગેરકાયદે મોકલ્યા હોવાનુ પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો હતો. આપને જણાવીએ કે ગત માસમાં 303 ભારતીય મુસાફરોને લઈને નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટને માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સ ખાતે ઉતારવામાં આવી હતી.

  1. Human trafficking : માનવતસ્કરીનો મહાપ્લાન ખોલશે ગુજરાત CID ક્રાઇમ, જુઓ અમેરિકામાં ઘૂસણખોરીનો રુટ
  2. લિજેન્ડ એરલાઇન્સમાં માનવ તસ્કરીની આશંકા, ભારતીયોને લઈ જતી ફ્લાઈટ ફ્રાંસ ખાતે રોકવામાં આવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.