ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કુલ 913 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jul 8, 2020, 10:39 PM IST

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 7 કેસ નોંધાતા કુલ આંકડો 913 પર પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંકડો 250ને પાર એટલે કે, 261 થયો છે.

અમદાવાદ ગ્રામ્યમાં કુલ 913 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ ગ્રામ્યમાં કુલ 913 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા 261 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 29 ટકા જેટલું થાય છે. દસક્રોઈમાં 180, બાવળામાં 90 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 191, ધંધુકામાં 28, વિરમગામમાં 103, બાવળામાં 91 અને માંડલ તાલુકામાં 31 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી પણ 57 દર્દીઓના મોત નીપજ્યા છે.

અમદાવાદ ગ્રામ્યમાં કુલ 913 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ ગ્રામ્યમાં કુલ 913 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.46 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં 39 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યુ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 261 અને સાણંદમાં 191 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા 261 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 29 ટકા જેટલું થાય છે. દસક્રોઈમાં 180, બાવળામાં 90 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 191, ધંધુકામાં 28, વિરમગામમાં 103, બાવળામાં 91 અને માંડલ તાલુકામાં 31 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી પણ 57 દર્દીઓના મોત નીપજ્યા છે.

અમદાવાદ ગ્રામ્યમાં કુલ 913 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ ગ્રામ્યમાં કુલ 913 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.46 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં 39 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યુ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 261 અને સાણંદમાં 191 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.