ETV Bharat / state

MLA ધવલસિંહ ઝાલાએ આપી ચીમકી, કહ્યું કોંગ્રેસના વધુ 7 MLA કોંગ્રેસ છોડશે

અમદાવાદઃ કોંગ્રેસમાં બ્લેકમેઇલિંગ પાર્ટ-1 પૂર્ણ થયા બાદ પાર્ટ-2 શરૂ થયો છે. અલ્પેશ ઠાકોર બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ સામે બાયો ચડાવી છે. આજે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે કોંગ્રેસ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના પર પ્રતિક્રિયા આપતા ઝાલાએ ધમકીના સુરમાં જણાવ્યું હતું કે, જો પ્રદેશ નેતૃત્વનું વર્તન આ પ્રકારનું રહ્યું તો વધુ 7 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડશે. આમ અલ્પેશ બાદ અલ્પેશના વફાદાર એવા ધવલ સિંહ ઝાલાએ પ્રદેશ નેતાગીરીને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી.

author img

By

Published : May 8, 2019, 7:29 PM IST

MLA ધવલસિંહ ઝાલા

ઝાલાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પક્ષના પ્રમુખને કહેવા માગું છું. આ પહેલા પણ અનેકવાર અનેક લોકોએ પાર્ટી વિરુદ્ધના કામો કર્યા છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે અલ્પેશ ઠાકોરે મેન્ડેટ વિરુદ્ધ જઈને કોઈ કામ કર્યું નથી, ત્યારે અલ્પેશ સામે પગલાં લઈને કોંગ્રેસ આજે જનતાના વિરોધમાં જઈ રહી છે.

MLA ધવલસિંહ ઝાલાએ આપી ચીમકી, કહ્યું કોંગ્રેસના વધુ 7 MLA કોંગ્રેસ છોડશે

અલ્પેશ ઠાકોર એક કદાવર નેતા છે અને તેમને આગળ વધતા રોકવાનું આ ષડયંત્ર છે. અલ્પેશે કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે તેઓ આજે પણ છે. ભરત ઠાકોર હોય, અલ્પેશ હોય કે હું, અમે ધારાસભ્ય પદેથી ક્યારેય રાજીનામુ આપ્યું નથી.

પાર્ટીને ક્યાંય પણ એવું લાગતું હોય કે મેં પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે, તો મારા વિસ્તારમાંથી કોઈ પુરાવો આપે. કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે અને આવનારી 23મી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તેનું પરિણામ પણ ભોગવવું પડશે.

પ્રભારી, પ્રમુખને આવનાર દિવસોમાં દિલ્હીનું તેડુ આવશે. સમય આવશે ત્યારે કોંગ્રેસના ક્યાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ છે તે જાહેર કરીશું. ઘણા કોંગ્રેસના નેતાઓ અમારી સાથે છે. કોંગ્રેસને એક-બે વ્યક્તિનાં કારણે નુકશાન થાય છે, ત્યારે આગામી સમયમાં તમામ તથ્યો બહાર લાવીશું.

ઝાલાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પક્ષના પ્રમુખને કહેવા માગું છું. આ પહેલા પણ અનેકવાર અનેક લોકોએ પાર્ટી વિરુદ્ધના કામો કર્યા છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે અલ્પેશ ઠાકોરે મેન્ડેટ વિરુદ્ધ જઈને કોઈ કામ કર્યું નથી, ત્યારે અલ્પેશ સામે પગલાં લઈને કોંગ્રેસ આજે જનતાના વિરોધમાં જઈ રહી છે.

MLA ધવલસિંહ ઝાલાએ આપી ચીમકી, કહ્યું કોંગ્રેસના વધુ 7 MLA કોંગ્રેસ છોડશે

અલ્પેશ ઠાકોર એક કદાવર નેતા છે અને તેમને આગળ વધતા રોકવાનું આ ષડયંત્ર છે. અલ્પેશે કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે તેઓ આજે પણ છે. ભરત ઠાકોર હોય, અલ્પેશ હોય કે હું, અમે ધારાસભ્ય પદેથી ક્યારેય રાજીનામુ આપ્યું નથી.

પાર્ટીને ક્યાંય પણ એવું લાગતું હોય કે મેં પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે, તો મારા વિસ્તારમાંથી કોઈ પુરાવો આપે. કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે અને આવનારી 23મી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તેનું પરિણામ પણ ભોગવવું પડશે.

પ્રભારી, પ્રમુખને આવનાર દિવસોમાં દિલ્હીનું તેડુ આવશે. સમય આવશે ત્યારે કોંગ્રેસના ક્યાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ છે તે જાહેર કરીશું. ઘણા કોંગ્રેસના નેતાઓ અમારી સાથે છે. કોંગ્રેસને એક-બે વ્યક્તિનાં કારણે નુકશાન થાય છે, ત્યારે આગામી સમયમાં તમામ તથ્યો બહાર લાવીશું.

R_GJ_AHD_09_08_MAY_2019_DHAVAL_SINH_ALPESH_MLA_CONGRESS_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

કોંગ્રેસમાં બ્લેકમેલિંગ પાર્ટ 1 પૂરો થયો બાદ પાર્ટ 2 શરૂ ધવલસિંહની ચીમકી કોંગ્રેસના વધુ 7 MLA છોડશે કોંગ્રેસ

કોંગ્રેસમાં બ્લેકમેલિંગ પાર્ટ 1 પૂરો થયો બાદ પાર્ટ 2 શરૂ થયો છે અને અલ્પેશ ઠાકોર બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ સામે બાયો ચડાવી છે અને આજે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેના પર પ્રતિક્રિયા આપતા ઝાલાએ ધમકીના સુરમાં જણાવ્યું હતું કે જો પ્રદેશ નેતૃત્વનું વર્તન આ પ્રકારનું રહ્યું તો વધુ 7 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષ સાથેથી છેડો ફાડશે.આમ અલ્પેશ બાદ અલ્પેશના વફાદાર એવા ધવલ સિંહ ઝાલાએ પ્રદેશ નેતાગીરીને બ્લેકમેલિંગ કરવાની શરૂઆત કરી હતી

વધુમાં ઝાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ના પ્રમુખ ને કહેવા માગું છું.પહેલા પણ અનેકવાર અનેક લોકો એ પાર્ટી વિરુદ્ધ ના કામો કર્યા છે.છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા જ્યારે અલ્પેશ ઠાકોરે મેન્ડેટ વિરુદ્ધ જઈ કોઈ કામ કર્યું નથી ત્યારે અલ્પેશ સામે પગલાં લઈને કોંગ્રેસ આજે જનતા ના વિરોધ માં જઈ રહી છે અલ્પેશ ઠાકોર એક કદાવર નેતા છે અને તેને આગળ વધતો રોકવાનું આ ષડયંત્ર છે.અલ્પેશે કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપ્યું છે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે આજે પણ છે.ભરત ઠાકોર કે અલ્પેશ હોય કે હું અમે ધારાસભ્ય પદેથી ક્યારેય રાજીનામુ નથી આપ્યું

પાર્ટી એ ક્યાંય પણ એવું  લાગતું હોય કે મેં પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે તો મારા વિસ્તારમાં થી કોઈ પુરાવો આપે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે અને આવનારી 23 મી તારીખે જ્યારે રિજલ્ટ આવશે ત્યારે તેનું પરિણામ પણ ભોગવવું પડશે.પ્રભારી, પ્રમુખને આવનાર દિવસોમાં દિલ્હીનું તેડુ આવશે સમય આવશે ત્યારે કોંગ્રેસ ના ક્યાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ છે તે જાહેર કરીશું.ઘણા કોંગ્રેસના નેતાઓ અમારી સાથે છે.કોંગ્રેસને એક બે વ્યક્તિ નાં કારણે નુકશાન થાય છે ત્યારે આગામી સમયમાં તમામ તથ્યો બહાર લાવીશું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.